SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ - [ ર૫ર ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ સાતમઃ સર્ગ પહેલો. | ઋતુપર્ણ રાજાએ તેને કહ્યું કે – “હે મિત્ર! તારું સ્વાગત છે-તું ભલે આવ્યો. મારા એક ભાંગી ગયેલા મને રથને તે પૂર્ણ કરી દમયંતીના સ્વયંવર મહોત્સવ પ્રસંગે પ્રાત:કાળમાં કુંડિનપુરમાં કઈ રીતે પહોંચી શકાય? તે તું મને કહે, તેમ જ એક જ ૨થદ્વારા આપણે શીધ્ર કઈ રીતે જઈ શકીએ તે પણ જણાવ. આપણું સત્ય ભલે થોડો સમય બાદ કુંડિનપુર આવે; પરંતુ મારી ઈચ્છા કોઈપણ પ્રકારે સ્વયંવર મહોત્સવ પ્રસંગે કુંઠિનપુર પહોંચી જવાની છે. “શું કોઈપણ પ્રકારે નલ પ્રગટ નહીં થાય?” આવા પ્રકારનું કોતક મને અહીં (સ્થિર) રહેવા દેતું નથી; અથોત કેઈપણ હિસાબે કુંડિનપુર જવાની મારી ઉત્કટ ઈચ્છા છે.” મુજે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે-“હે રાજન્ ! આપ જે કહો છો તે સત્ય છે, કારણ કે દમયંતીને મેળવવા માટે મૂર્ખ રાજવીઓ ગિટ સંતાપ પામી રહ્યા છે. એકલે, કૃપદીન, નપુંસક, હું ઠો અથવા તો કુબડે એ નલ જીવતો હશે ત્યાં સુધી પોતાની પ્રિયાને કોઇને પણ હસ્તગત નહીં થવા દે. સ્ત્રીને માટે જે નલ મૃત્યુ પામ્યા છતાં પણ પાછો આવે. ભરમીભૂત બનવા છતાં પણ જીવતે થાય, તે નલ પોતાની સ્ત્રીને પરહસ્તમાં જતી સહન કરી શકે ખરા? જે આપને સ્વયંવર મહત્સવ પ્રસંગે જવાની પ્રબળ ઈચ્છા હોય તે હે રાજન ! જલદી તૈયાર થાઓ, નિરર્થક સમય ન ગુમાવે. અશ્વવિદ્યાને જાણનાર નલના સારથિ એવા મારી તમારી પાસે હાજરી હેઇને, ગ્ય અશ્વની પ્રાપ્તિથી આ પૃથ્વીપીઠને વિષે કંઈપણ દૂર નથી. સૂર્યોદય ન થાય તે પહેલાં ભેરીઓનો અવાજ થયે છતે તમને રથમાં બેસારીને કંડિનપુર લઈ જવાની મારામાં શક્તિ છે. ” કુજનું આ પ્રમાણેનું કથન સાંભળીને ઋતુપર્ણ રાજાએ તેને પિતાના હસ્તદ્વારા પકડીને, પિતાની અશ્વશાળામાં લઈ જઈને મુશ્કેલીથી મળી શકે તેવા અશ્વો બતાવ્યા. વિવિધ ક્ષેત્રમાં જન્મેલા, જુદા જુદા વર્ણવાળા, સંભાળપૂર્વક કેળવાયેલા યુવાન અશ્વો કુજેને પસંદ પડ્યા નહીં. “તેજસ્વીપણામાં પતંગીયા સરખા, જવરૂપી કાષ્ઠને ખાઈ જવામાં દાવાગ્નિ સરખા, પિતાના સ્વામીને પીઠ પર વહન કરનારા આ અશ્વરૂપી પશુઓથી શું થઈ શકે ? ” આ પ્રમાણે બોલતાં અને સર્વત્ર નિરીક્ષણ કરતાં ચતુર કુબજે કરોડે અશ્વો પૈકી એકે અશ્વને પસંદ કર્યો નહીં. બાદ, હષારવધારા દરથી પણ પોતાની જાતને જણાવતાં બે સામાન્ય અશ્વોને મુજ ન થ્રહણ કર્યા. આશ્ચર્ય પૂર્ણ ઋતુપર્ણ રાજાના દેખતા છતાં મુજે તે બંને અને રથમાં જોડાયા અને પોતે હાથમાં ચાબક લીધે. બંને બાજુ ચામર ધારણ કરનાર બે સેવક, છત્રને ધારણ કરનાર, ગીધર (તાંબલ આપનાર), રાજા ઋતુપર્ણ અને કુન્જઆ પ્રમાણે છ જણ સ્વેચ્છાપૂર્વક રથમાં બેઠા. સાગરના જળમાં ગાઢ સંધ્યા રંગવાળા સૂર્ય ડૂબી ગયે, દિશારૂપી સ્ત્રીઓએ ગાઢ અંધકારરૂપી પછેડે ઓઢી લીધે અને નક્ષત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy