SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ નલને શેાધી કાઢવા માટે પ્રિયંગુમજરીએ કરેલ યુકિત. [ ૨૪૯ ] તને આવા પ્રકારની સ્થિતિવાળી જોઇને મારું વક્ષસ્થળ જાણે ચીરાઈ જતું હોય તેમ જણાય છે. કુબ્જ સંબંધી વૃત્તાંત સાંભળવા છતાં પણ તારા પિતાએ તને જે રાકી તેમાં કારણ છે, હે પુત્રી ! તું ડાહી હવા છતાં પણ કેમ સમજતી નથી ? સામાન્ય માણસ પણ આવા સંશયવાળા કાર્ય ને ન સ્વીકારી શકે તેા પછી જગતને વિષે મુખ્ય, મહામળશાલી અને મહાત્મા પુરુષા તા તેના શી રીતે સ્વીકાર કરી શકે ? હું... તારા પિતાના કથનને સ ંમત છું, છતાં પછુ તારા પ્રત્યેના સ્નેહને લીધે આ પ્રકારની વિચારણા કરું છું. “સૂ પાક રસાઇના જ્ઞાનથી જો તે કુબ્જ નળરાજા જ હશે તેા ભીમરાજાના હુકમથી તુ જઇને તે વસ્તુના નિર્ણય કરી આવશે. મૃષાવાદી અને છળ-પ્રપંચમાં ચતુર એવા આપણે દૂત સભામાં બેઠેલા ઋતુપર્ણ રાજાને જણાવશે કે પિતાની વાણીથી શેક રહિત અનેલ દમયંતીને આવતી કાલે પ્રાત:કાળે ફરીથી સ્વયંવર મહેાત્સવ થશે. ” આ પ્રમાણેનું દૂતનું કથન સાંભળીને તે કુબ્જ જો ખરેખર નલ જ હશે તેા અહીં તરત જ દોડયા આવશે. પેાતાની પત્નીની પીડાથી પારેવા ( કબૂતરા ) પણુ આકાશમાંથી નીચે દોડી આવે છે. પાર એકેન્દ્રિય હાવા છતાં પણ જતી એવી સ્રીની પાછળ દાઢે છે અને મનુષ્યા પણ તે સ્ત્રીને શેાધવાને માટે પાતાને એ પાંખ હાય તે સારું એમ ઇચ્છે છે; તેા અશ્વવિદ્યાના કારણે, દૂર દેશાંતરથી જો તે આપણા નગરે શીઘ્ર આવી પહેાંચશે તે તે ખરેખર નલ જ હશે. ” 7 માતાની આવા પ્રકારની યુક્તિને સ્વીકારીને, ન્યૂન દુ:ખવાળી ખનેલી દમયંતીએ કુશળ, ઉદાર ચિત્તવાળા અને મનેાહર વેશવાળા કુરબક નામના દૂતને રવાના કર્યાં. ઋતુપર્ણ રાજવીને આમંત્રણ આપવાના બહાનાથી, આમ ત્રણ અપાયેલ નલરાજા પાતાના સ્વાને લીધે ઋતુપર્ણ રાજાને પણ સાથેાસાથ લેતા આવશે. અહીં તા સ્વયંવરનું નામનિશાન પણ નથી. અને હકીકત તદ્દન જૂઠી જ છે; છતાં આપણા દૂતનેા શ્રમ નિષ્ફળ નહીં જાય. વિશ્વને વિષે માનવ ભવ અત્યંત દુર્લભ છે, અને વિરહી નળ પ્રત્યેના માહને કારણે “ હું આવા પ્રકારના પ્રપંચે કરી રહી છું. ” એમ હૃદયમાં વિચારીને દમયંતી સ્વયં અત્યંત શરમાઈ. શ્રી માણિક્યદેવસૂરિએ આ શ્રેષ્ઠ અને નૂતન મંગળરૂપ નલાયનની રચના કરી, તે આ પુરુષાના કર્યું ને શાભાવવામાં કમળ સમાન નળાયનના આ છઠ્ઠો સ્કંધ સંપૂર્ણ થયા. * પારાને સ્ત્રી પ્રત્યે અજખ આકર્ષણ ડાય છે. તેના કૂવાની અદર સ્ત્રીના મુખનું પ્રતિબિંબ પડે છે કે તરત જ પારો ઉછળે છે અને ઉછળીને કૂવાની આજુબાજુ ખોદેલા ખાડામાં ભરાઇ જાય છે. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy