SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૪૮ ] શ્રી દમયંતી ચરિત્ર : રકંધ છો. સર્ગ સાતમે. શું આવી રીતે અટકી જાત? ખરેખર, હું આકાશથી પડી છું અને પૃથ્વીએ મને ઝીલી છે. નિર્જન વનમાં હું રડી રહી છું. મારા દુઃખમાં કાણું ભાગ લે છે? મારા દુઃખે કાણુ દુઃખી બને છે? મલિન બુદ્ધિવાળા પુરુષોના પૂર્વ પક્ષની જેમ મારા કુટુમ્બી જનેને, “જે કુજ રૂપધારી પારકે ઘરે દાસપણું કરે તે નલ કેમ સંભવી શકે?” આવો વિચાર ઉચિત નથી. વિવિધ પ્રકારના આશ્ચર્યોથી વ્યાપ્ત આ વિશ્વમાં પ્રાણીઓને માટે કદી કલ્પનામાં પણ ન આવી શકે તેવી ઘટના શું બનતી નથી? અર્થાત આ જગતમાં સર્વ કઈ ઘટના સંભવી શકે છે. યયાતિ રાજા યુવાન હોવા છતાં (શુક્રાચાર્યના) શાપથી વૃદ્ધ બની ગયે, નહુષ રાજા (અગત્ય મુનિના) શાપથી સપપણને પામ્યું હતું, સનસ્કુમાર ચક્રવતી (રૂપના અહંકારથી) કુષ્ઠ રોગી બની ગયે હતો અને વિષ્ણુએ મોહિની(સ્ત્રી)નું સ્વરૂપ ધારણ કર્યું હતું, બ્રહ્મા ગદંભ(ગધેડા)ના મુખવાળા બન્યા હતા, શંકર (પંઢ) નપુંસક બન્યા હતા, ઇંદ્ર હજાર નેત્ર(છિદ્ર)વાળો પણ દોષિત બન્યું હતું, શુક્રાચાર્ય એક આંખવાળા(કાણા) બન્યા હતા, વિશ્વામિત્ર અને વિશિષ્ટ દોષિત બન્યા હતા તે પછી નલરાજા કુજ બને તેમાં મહાપુરુષો કેમ મૂંઝાઈ જતા હશે ? અર્થાત્ તે પણ સંભવી શકે તેવી ઘટના છે. સૂમ બુદ્ધિવાળી સ્ત્રી સિવાય કોને આવા પ્રકારનું જ્ઞાન થાય કે મારા રાજ્યભ્રષ્ટ સ્વામી શ્લેષ્ઠ વ્યક્તિનું પણ દાસત્વ સ્વીકારશે. પૂર્વે દુર્વાસા ઋષિના શાપને કારણે ઈ સ્ત્રી રહિત નહોતો બન્ય? અને સુરથ વિગેરે કેટલાય રાજા શું દુઃખી નહોતા બન્યા? સાગરના મોજાંઓની સાથે વસવાટ કરવાથી વૃદ્ધિ પામેલી, ચંચળ બનેલી સાગરની પુત્રી લક્ષ્મી, થાકી જવા છતાં પણ કોના ઘરમાં સ્થિર બને છે? અર્થાત ટકતી જ નથી. હજુ પણ દાનવીર, વિલાસી, પવિત્ર, શ્રીમાન, ધર્માત્મા, વાત્સલ્ય ગુણવાળા અને બલીઝ મારા સ્વામી નળ અયોધ્યાના રાજવી ઋતુપર્ણની મિત્રાચારીથી ત્યાં રહેલા છે. વિવિધ પ્રકારના માર્મિક વચન દ્વારા તેમજ લેકવ્યવહારથી પણ તેમણે પોતાની જાતને ઓળખાવી નહીં. મારા જન્મસમયે થયેલ દિવ્ય વાણ, સ્તંભ પર કતરાએલ અક્ષરપંક્તિ, તે તે પ્રકારના શકુને, સ્વના અને જ્ઞાની પુરુષની વાણી આ બધું પાસે રહેલાની માફક પ્રતીતિ કરાવતી હોય તેમ જણાવે છે કેમારા પ્રાણનાથ અર્ધભરતના સ્વામી થશે. આજે સ્વપ્નમાં હું પાંદડાઓ તેમજ ફળોથી લચી પડેલા, ઊંચા અને કોયલના ધવનિવાળા આમ્રવૃક્ષ પર ચઢી, તે અત્યારે અયોધ્યા નગરીને વિષે મારા સ્વામી જાણવામાં આવ્યા છતાં પણ હું શું કરું? કયાં જાઉં? અને કેને કહું ?” આ પ્રમાણે અશ્રુ યુક્ત લેનવાળી, રુદન કરતી દમયંતીને આશ્વાસન આપવાને માટે પ્રિયંગુમંજરીએ મેઘ-ન્યાયની માફક સમજાવવાની શરૂઆત કરી. “હે પુત્રી ! તું ગંભીરતાને ધારણ કર, દીનતાને ત્યજી દે, ધીરજ ધારણ કર. * મેઘ-વરસાદ શરૂઆતમાં ઝીણે ઝીણે વરસે અને પછી મુશળધાર વર્ષે તેની માફક પ્રિયંગુ મંજરીએ શરૂઆતમાં ધીમેધીમે દમયંતીને સમજાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy