SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીને સંતાપ. [ ૨૪૭] તને ત્યજી દઈને નલ ચા ગયે, તે અત્યારે તારા પ્રત્યે સદ્દભાવ દર્શાવતે હેઈને તેને ગુણવાન કેમ ગણી શકાય? તે તે નલરાજા પણ જુદે અને આ કુબડો પણ જુદો એમ મને જણાય છે. ભલે આ કુબડાને તે વિદ્યા આપી હશે. પોતે કઈને નહીં સહન કરનારા રાજાઓને કેટલાક વિશ્વાસપાત્ર નેકર હોય છે, જેને તેઓ સર્વવ (વિદ્યા વિગેરે) જણાવે છે. શું રાજાના સેવકે પરાક્રમી અને દાનવીર નથી હતા ? સ્વામી પ્રત્યેની ભક્તિને લીધે તેની તારા પ્રત્યે પ્રીતિ થઈ જાય છે, બીજું કંઈ કારણ નથી. જ્યારે આ પ્રમાણે પરિસ્થિતિ છે તે “તે નલ છે” એમ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ ? પિતાના સ્વાર્થની ખાતર પોતાની મહત્તા ત્યજવી જોઈએ નહીં. હે પુત્રી ! તારો સંદેહ દૂર કર, આપણે લેકની નિંદાને પાત્ર ન બનીએ. રાગી બનેલ નલ જે જીવતો હશે તે આવશે, નહીંતર નહીં આવે. હે પુત્રી ! તું સુખપૂર્વક અહીં રહે. આ સમસ્ત રાજ્ય તારું જ છે. જે કોઈ ઠેકાણે રાજા નલ જાણવામાં આવશે તે તેને અહીં લાવવામાં આવશે.” આ પ્રમાણેની પિતાની વાણી સાંભળીને, વ્યાકુળ હોવા છતાં પણ દમયંતી “ભલે એમ હો !એ પ્રમાણે બોલીએ, પિતાને નમસ્કાર કરીને પિતાના આવાસે ગઈ. બાદ દમયંતી કોઈની સાથે બેલી નહીં, ઊંધી પણ નહીં, નાન ન કર્યું, કઈ સ્થળે ગઈ નહીં, હાસ્ય ન કર્યું, ક્રીડા ન કરી તેમજ ઉદ્યાનમાં પણ ગઈ નહીં. માતા પ્રિયંગુજરીની પાસે જઈને, અશ્રદ્ધારા સ્તનને ભીંજાવતી સુકુમાર તેણે ગગ૬ વાણીથી રુદન કરવા લાગી. તે સમયે પ્રિયંગુ જરીએ તેણીને ગાઢ આલિંગન આપીને શાન્ત કરી. પછી દુઃખથી પીડાયેલ ચિત્તને કારણે દમયંતીએ મિષ્ટ વાક્યોથી માતાને જણાવ્યું કે હું શા માટે અહીં આવી? પિતાના ઘરે આવવાથી મને શો લાભ? ઇંદ્રસેન તેમજ ઇંદ્રસેનાથી પણ મને શું ? અથવા સુખથી પણ શું ? અથવા તે આ પૈકી કેઈની પણ સાથે મારે કંઈ પણ પ્રજન નથી. અરણ્યમાં ત્યાગ કરાવા છતાં હું મૃત્યુ ન પામી, શિકારી પશુઓથી ભક્ષણ ન કરાઈ, તેમજ તપ અને અણુશદ્વારા મારું મૃત્યુ ન થયું–આ સર્વ ઉચિત ન થયું; કારણ કે રાજણ, જડ, ઠગાએલ, વિયેગી, કુલીન, મહાબાહ, બલીઝ, સન્માન યોગ્ય, દૂર દેશમાં રહેલ, તેમજ મૂળ સ્વરૂપને છુપાવનાર એવા મારા સ્વામીને, મારી બુદ્ધિથી જાણવા છતાં પણ હું તેની અંશમાત્ર ચિંતા કરતી નથી. હું હજી પણ આવી રહી છું, શરમહીન બનીને હું બોલી રહી છું, અસતી, પાપી, સવહીન અને સ્વામી પ્રત્યે વેરભાવ ધરાવનારી મને વારંવાર ધિક્કાર છે ખરેખર, શરમ અને વિનયપૂર્ણ સંદેશાને મારા પ્રત્યે મોકલતા એવા કુજ રૂપધારી મારા સ્વામી નલ અયોધ્યા નગરીમાં રહેલ છે. જે મારા માતા, પિતા, અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ મારા પ્રત્યે નેહભાવ ધરાવતી હગ તે મારું આ કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy