SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - [ ૨૪૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૬ . સર્ગ સાતમ. સૂર્યની જેવો નલ રાજા, “હવે પછી શું થશે?” એ પ્રમાણે અંત:કરણમાં વિચારણા કરવા લાગ્યા. નગર, પર્વત, નદી, વૃક્ષસમૂહવાળા દક્ષિણ દિશાના માર્ગનું કેઈપણ પ્રકારે ઉલ ઘન કરીને કુંઠિનપુર આવી પહોંચેલાને બંને સુદેવ અને શાંડિલ્ય ક્ષણમાત્રમાં ભીમરાજાના મહેલ તરફ ચાલી નીકળ્યા. રાજસભામાં પહોંચીને, ભીમરાજાની સમક્ષ અસંખ્ય દેશવિદેશની સુંદર ઘટનાઓ, તેમજ કૂજને થયેલ મેળાપ, તેની તથા પ્રકારની હકીકતે, તેનું વિલાસપણું, તેનું કળા-કૌશલ્ય, તેનું ઉત્તમ પ્રકારનું દાન, તેનું સમસ્ત વૃત્તાંત વિગેરે હકીકત તે બંનેએ કહી સંભળાવી. અને તે સમસ્ત વૃત્તાંત દેવી દમયંતી તેમજ તેની માતા પ્રિયંગુમંજરીને એકાંતમાં જણાવ્યું. # સર્ગ સાતમે. છે છે . [ કુજ રૂપધારી નલને સંદેશ મળતા દમયંતીને વિલાપ: નળને પ્રત્યક્ષ કરવા માટે નવીન યુક્તિ ] # તથા પ્રકારના અદ્દભુત વૃત્તાંતને સાંભળીને ભીમરાજા ચતુર હોવા છતાં આ Sછ-વા-ાણા-પા પn- Uારૂ તે જ નલ છે” એમ જાણી શકવાને સમર્થ થયા નહીં. આશ્ચર્ય પામેલી દમયંતીએ જણાવ્યું કે –“પૂર્વે અમારા નિષધ દેશના રાજ્યમાં તથા પ્રકારનો કુન્જ હતો નહીં. આ વિશ્વને વિષે મહારાજા નલ સિવાય બીજી કોઈપણ વ્યક્તિ સૂર્યપાક રસોઈ જાણતી નથી. દારિદ્રયને હણનારું દાન, હસ્તીને જીતી લેવાની શક્તિ અને મારા પ્રત્યેની અત્યંત પ્રીતિ–આ સર્વ વિના પરિચયે કેમ ઘટી શકે?” ભીમરાજાએ દમયંતીને જવાબ આપતાં જણાવ્યું કે–“હે પુત્રી ! તું જે. પવિત્ર કીર્તિવાળ, બુદ્ધિના ભંડાર સમાન, શ્રીમાન નલરાજા, બીજાને ઘરે રહીને દાસત્વ કરે તે શું ઘટી શકે? પિતાને તેમજ પારકાને અહિતકારક એવું દૃષ્ટિવિષ જરૂર વિચારવા લાયક છે. કોઈ પણ કારણ સિવાય તેને કૂબડાપણું કયાંથી પ્રાપ્ત થયું ? વળી, નિર્જન વનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy