SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ કુન્જના લક્ષણેથી બંને તેને નલ સંબંધી થયેલ નિરધાર. [ ૨૪૫] દ્વારા સન્માન પામેલા સુદેવ-શાંડિલ્યને જ નલ પિતાના આવાસે લઈ ગયે. પછી પાત્રમાં ચાર પ્રકારના આહારને નાંખીને, કૂજે તે બંને માટે સૂર્ય પાક રસોઈ બનાવી. તે રસોઈ કરતાં, કુબડાના નેત્રો ધૂમાડાથી મલિન થયા નહીં. બંને હસ્ત મશવાળા (શ્યામ) ન બન્યા, શ્રમજન્ય પરસે પણ ન થયે, કુંકાવારૂપી થાક ન જણાયે. તે બંનેએ તે રસોયા(કૂબડા)ની નિર્મળ, સુકમળ, પવિત્ર, અત્યંત સુગંધી, વિશિષ્ટ પ્રકારની, તાત્કાલિક બનેલી, દેશ-કાળને અનુરૂપ, અલોકિક, શ્રેષ્ઠ અને અપૂર્વ એવી રસોઈ જોઈ. ભક્તિપૂર્વક પીરસાયેલ તે ભેજનને તે બંને શક્તિ મુજબ જમ્યા, પરંતુ તે રસોઈના રસનો નિર્ણય કરવાને માટે તે બંનેની જિહવા સમર્થ થઈ નહીં. બાદ સરસ્વતી દેવીની પૂજા, નૈવેદ્ય અને આસ્વાદન વિગેરેની ક્રિયા દ્વારા “ આ નલ જ છે.” એ પ્રમાણે જ તે બંનેને પ્રતીતિ થઈ. તે બંનેએ જણાવ્યું કે–“હે કુજ ! તમે જ આ પૃથવીપીઠને વિષે મહાન્ પુરુષ છે. તમે જીવતા હોવાથી નલ રાજા ખરેખર જીવી રહેલ છે. ભેજનથી અમૃતને આવાદ, દર્શનથી તીર્થયાત્રાનું ફળ અને મહાદાન આપીને દારિદ્રય રહિતપણું તમેએ અમને બંનેને આપ્યું છે. તમારા દર્શનથી અમારા બંનેનું કયું પ્રયજન સિદ્ધ ન થયું? ફક્ત એક માત્ર નલ રાજવીનો વૃત્તાંત પ્રાપ્ત ન થયું. હે મુબજ ! તારું કલ્યાણ થાઓ ! હવે અમે જશું, કારણ કે કુંડિનપુરથી નીકળ્યાને અમને ઘણા દિવસો પસાર થઈ ગયા છે. અહીંથી પાછા ફરીને દમયંતીને વિજ્ઞપ્તિ કરતાં અમે જ્યારે તેણીને નલ સંબંધી કંઈ પણ સમાચાર નહી જણાવીએ ત્યારે અમે જાણી શકતા નથી કે તે શું કરશે?” સુદેવ તેમજ શાંડિયનું આવા પ્રકારનું કથન સાંભળીને કુજ રૂપધારી નલ કહેવા લાગ્યો કે “હે બ્રાહ્મણે! તમારે જે અવશ્ય કુંડિનપુર જવાનું જ છે તે હું તમારી સાથે સંદેશ મોકલાવું છું સદભાગ્યની વાત છે કે–તમારા મળવાથી દમયંતી તેમજ ભીમરાજાના કુશળ સમાચાર મને મળ્યા. તમારે દમયંતીને મારા નમસ્કાર જણાવવા, અને આ મારું શરીર તેમજ સર્વસ્વ દેવી દમયંતીનું જ છે. જ્યારે દેવી દમયંતી જીવી રહી છે, તો નળરાજા પણું જીવતો હશે. અથવા તે ઇંદ્રસેન પોતાનું રાજ્ય લેવા અવશ્ય સમર્થ બનશે. વિદેશમાં રહેતા મારા માટે તે જ સ્થાન છે. નિષધા નગરી સિવાય અન્ય સ્થળે મને એક મુહુર્ત માત્ર પણ સુખ પ્રાપ્ત થતું નથી, તો હે દ્વિજ છે આપણે ફરી મળીએ તેવી રીતે તમે જાઓ. વિષમ માર્ગમાં પણ તમે બંનેનું કલ્યાણ થાઓ. તમારા દેશમાં પહેલા એવા તમારે અહીં બનેલો આ અલ્પ વૃત્તાંત અવશ્ય યાદ રાખો, આ બાબતમાં વિશેષ શું કહેવું?” આ પ્રમાણે કહીને, ચપળ અશ્વોવાળા , અત્યંત દ્રવ્ય અને પુષ્કળ વસ્ત્રોના દાનથી સંતુષ્ટ બનેલ તે બંને દ્વિજોને, દમયંતીના અંત:કરણમાં પ્રવેશ કરેલા નિલે, કુંડિનપુર તરફ વિદાય કર્યા. તે બંને ચાયે ગયે છતે, નહીં સહન થઈ શકે તેવા પ્રકાશવાળા ઉગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy