SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૨ ] શ્રી દમયંતી ચરિત્ર : કધ ૬ ઠ્ઠો. સં પાંચમા. ક્રુતિ નર ( માણસ ) નામને પણ લાયક નથી. પુરુષાર્થહીન બનેલ તે રાજા સત્ત્વની સાથેાસાથ પાતાની પત્નીને! ત્યાગ કહીને કાઇપણ સ્થળે રહેલા અને જીવતા તેનલ ખરેખર મૃત્યુ પામેલા સરખા છે. વિરહરૂપી અગ્નિવર્ડ દમય'તી મૃત્યુ પામી રહી છે ત્યારે જેનુ નામનશાન પણ નથી તેવા દુષ્ટાત્મા નળના જીવવાથી શેા લાભ ? દમયંતીને સાથે લઇ જવી છુ તેને ભારે પડી ગઈ હશે ? અથવા તે શુ તેને કાઈપણ પ્રકારને ભય લાગ્યા હશે કે જેથી તે તેણીનેા ત્યાગ કરીને, મહાતસ્કરની માફક ભાગી ગયા-નાશી ગયા. જો તેને જવું જ હતું તે! દમયંતીની રજા લઈને શું ન જઇ શકાત ? આ પ્રમાણે જો તે પેાતાનું સ્થાન બતાવીને ગયા હૈાતા દમયંતીને સંતાપનું કારણ શા માટે રહેત ? પેાતાના સસરાને ઘરે પ્રાપ્ત થયેલ તે ફરી રાજા બનત, પરન્તુ આ પ્રમાણે ચાલ્યા જવાથી મનેના પ્રાણના સંદેહ આવી પડ્યો છે. વનમાં સૂતેલી પેાતાની પ્રિયતમાને છેત રીને, તેણે ખરેખર પેાતાની ચતુરાઇ તેમજ સામર્થ્ય અને બતાવ્યા છે. રાજ્યથી ભ્રષ્ટ અનેલ તેને સાસરાના ઘરે જતાં. જો શરમ આવી તા શરમાળ એવા તેને આ પ્રમાણે પ્રિયતમાને ત્યાગ કરતાં શરમ કેમ ન આવી પત્નીના ત્યાગ કરવારૂપ તેના મહાસામરૂપી મહાયશને આળેખીને અમે અને આ ચિત્રપટ સત્ર ખતાવી રહ્યા છીએ. રાજાએની સર્વ પ્રકારની સભાઓમાં ધિક્કારથી મલિન બનેલ નલ યા પાણીથી સ્નાન કરીને શુદ્ધ બનશે તે અમે જાણતા નથી. આજે ઋતુપર્ણ રાજા આ ચિત્રપટ સબધી હકીક્ત સાંભળે તે સમયે તમે પણ અમારા મુખમાંથી નીકળતા તે વૃત્તાંતને સાંભળજો, તમે સાક્ષાત્ કૂખડાના રૂપને ધારણ કરનાર બીજા નલ હા તેમ અમને જણાય છે. સ’બધી હાવાથી રાજપુરુષ પણ રાજા કહેવાય છે. "" પેાતાની પ્રિયા સંબંધી તે ખ'નેથી કહેવાયેલ કથા સાંભળીને નલરાજા અનેક પ્રકારનાં ભાવાથી વ્યાકુળ બની ગયા. ખરેખર ભાગ્યની વાત છે કે—મારી ચિંતા કરતી મારી પ્રિયા થવી રહી છે. દુ:ખદાયક, દુષ્ટ અને ગૂઢ વર્તનવાળા મને ધિક્કાર હા! અરે ! હું કેવી રીતે તેને મારું' મુખ બતાવી શકીશ ? તે દિવસ કયારે આવશે કે જ્યારે તેણી મને પ્રાપ્ત થશે? ખરેખર, હવે દમયંતી મળશે, પરન્તુ મને તેના સ્વજનાની શરમ આવે છે. હું જો ત્યાં જાઉં તેા ખિન્ન બનેલા ક્રમ વિગેરે દમયતીના બંધુએ મને શું કહેશે ? હમણાં આ બંનેની સમક્ષ હું. મારું વૃત્તાંત કહી દઉં, પરન્તુ રાજ્યવિહાણેા હું અત્યારે પ્રત્યક્ષ થઈને કરું પણ શુ? અથવા દેવી દમયંતી સાથે મારા મેળાપ એ જ મારું' રાજ્ય છે. મારી પત્ની જીવતી મળી આવશે તેવી કાળું સભાવના કરી હતી? તે। હવે હું જઈને દુ:ખથી પીડાયેલી તે મારી પ્રિય પત્નીના સત્કાર કરું—તેને આશ્વાસન આપું. અનિત્ય એવા સંસારમાં સ્નેહીજનાના મેળાપ થવા એ ખરેખર દુભ છે. જેમ નદીને ત્યજી દઈને ભૂમિ પર લવાયેલ માટા મત્સ્ય લાંબે વખત જીવી શકે નહિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy