SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સુદેવ અને શાંડિલ્યે વણુ વેલ દમયતીની વીતક કથા. [ ર૪૧ ] ,, ભીમરાજા કુશળ છે અને તેના પુત્રા પણ વિજયવંત વતે છે. વિરહુ વ્યાધિથી પીડાચેલી, રુદન કરવાને કારણે તેજહીન નેત્રવાળી, દમકુમારની બહેન દમયંતી કુંડિનપુર આવ્યાને એક વર્ષ થયું છે. વનમાં સૂતેલી અને નલવડે રાત્રિને વિષે ત્યજી દેવાયેલી દમયંતી “ પેાતાના સ્વામી કયાં ચાલ્યા ગયા છે ? ” તે જાણતી નથી. પતિથી ત્યજી દેવાયેલ તેણીએ જેવી રીતે દિવસેા પસાર કર્યા છે તે સઘળી હકીકત આ ચિત્રપટમાં આળેખેલી છે. સમસ્ત પરિવાર વર્ગથી આશ્વાસન અપાવા છતાં વિયેાગરૂપી વરથી કુશ બનેલી તેણી નિરંતર નીચે પ્રમાણે એલી રહી છે—“ વજ્ર ચીરીને, વનમાં સૂતેલી મને ત્યજી દઈને તું ચાલ્યા ગચે છે, પરન્તુ જો તુ મારા હૃદયપ્રદેશમાંથી ચાલ્યે જા તા હું તારા પુરુષાર્થ સાચા જાણું. પુત્ર, સ્ત્રી અને મિત્રમાં મમતા રહિત બનેલ હું દેવ! તું ધૃતરૂપી દીક્ષા ગ્રહણ કરીને નિરાગી ચેાગીની માફક રહેલ જણાય છે. પૂર્વે દેવકાર્ય નિમિત્તે (ધૈવત બનીને ) તેં તારી જાતને અદૃશ્ય બનાવી હતી તા શું તે કાર્યં એક જ વખત કરવાનું હતું. અત્યારે શું' તેમ ન કરી શકાય ? ( અર્થાત અઢશ્ય રૂપે તારે મારી પાસે આવવું જોઇએ. ) ” આ પ્રમાણે નલના વિરહને અંગે તેણીનું શરીર, હિમને અંગે ખળી ગયેલ કમલિનીની માફક હંમેશાં ખળેલુ જ રહે છેતેને હંમેશાં વર ( તાવ ) પીડી રહ્યો છે. અને દેવી દમયંતીના દુ:ખને લીધે તેના માતા, પિતા, બંધુઓ તેમજ સમસ્ત રાજ્ય દુ:ખી ખનેલ છે. પૂર્વ મનુષ્ય રહિત વનમાં તેણીને તથાપ્રકારનું દુઃખ ન હતુ કે જે અત્યારે તેણીને તેના બંવર્ગના સમાગમમાં અત્યંત વૃદ્ધિ પામ્યું છે. જંગલમાં થયેલા તે તે પ્રકારના ઉપદ્રવથી તેણી કાઇપણ પ્રકારે જીવતી રહી તેને અત્યારે વિયેાગરૂપી અગ્નિ ખાળી રહ્યો છે. કાઈપણ વ્યક્તિ પતિને અનુસરનારી, સાધ્વી, શરમાળ અને કલેશને દૂર કરનારી સ્ત્રીનેા કદાચ ત્યાગ કરે, પરન્તુ નળ જેવે રાજવી આવુ કાર્ય કરે તેને અમે શું કહીએ? તેણે સ્નેહની, પાપની, શરમની અને કરુણાની ગણત્રી કરી નહીં, ફક્ત પેાતાના મહત્તાને અવલખીને આ પ્રમાણે વન કરેલ છે. નળરાજા કરતાં જિલ્લ લેાકેા, પશુએ તેમજ પક્ષીઓ પણ સારા કારણુ કે તે નળરાજાએ તે સતી એવી પેાતાની સ્ત્રીના સંગ-સહવાસને પણ ત્યાગ કર્યો. દિક્પાલાના તિરસ્કાર કરીને દમયંતીએ નલ પ્રત્યે પ્રેમ દર્શાવ્યા હતા, પરન્તુ ઊલટા નલરાજાના પ્રેમે તે તે પ્રેમને નષ્ટ કર્યાં અર્થાત્ નલે તથાપ્રકારના સ્નેહભાવ દર્શાવ્યે નહીં. નલરાજા તેમજ લીંબડાના વૃક્ષને સરખા કેમ ગણી શકાય ? કારણ કે લીંબડા પણુ પરિણામે તેા મધુર નીવડે છે. જ્યારે નલ તા કડવા ને કડવા જ રહ્યો. વિશ્વમાં અતિશયતા ( પ્રભાવ ) દર્શાવનાર “ રાજ '' શબ્દથી શું ? સ્ત્રીનેા ત્યાગ કરનાર તે * લીંબડે આમ કડવા હાય છે, તેના ફળ જે લોંખાળી તે પાકે છે ત્યારે સ્વાદમાં મધુર હોય છે. 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy