SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૦ ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૬ . સર્ગ પાંચમે. આ પ્રમાણેનો તે બંનેને જવાબ સાંભળીને વિરમય પામેલો, પિતાની સ્ત્રી દમયંતીના સમાચાર જાણવાને ઉત્સુક બનેલ નલરાજા તેઓ બંનેનું આતિઓ કરવાને માટે પિતાના મહેલે લઈ ગયે. સમસ્ત જનતાની દષ્ટિમાં અણગમતા તથા પ્રકારના કુપણાને વિષે અનુપમ દાન, ભેગ, વિનય, સુંદર વાણું અને વૈભવ-સંપત્તિ જોઈને આશ્ચર્યમુગ્ધ બનેલા સુદેવ અને શાંડિલ્ય રત્નને વિષે પણ દૂષણ મૂકનાર યમરાજની અત્યંત નિંદા કરી, સર્ગ પાંચમે. [સુદેવ અને શાંડિલ્ય કૂબડા પાસે કહેલ દમયંતીની વિતક કથા: નળની હૃદયગત વિચારણ+] 各种会 Yબાદ કુબડાના રૂપધારી, ચતુર નલરાજાએ દમયંતીના દૂત બનેલા તે બંનેને ------ - પ્રસંગવશાત્ પિતાના મનમાં રહેલી વસ્તુને પૂછવાની શરૂઆત કરતાં જણાવ્યું કે-હર્ષની વાત છે કે અત્યારે કવિશ્રેષ્ઠ તમને બંનેને જોઈને મારા બંને નેત્રોની સફળતા થઈ છે તેમજ મારા હૃદયને આરામ મળ્યો છે. હે વિપ્રો! નિષધ દેશના રાજા નલનું જાણે બીજું શરીર હોઉં તે હું દૈવયોગે તેનાથી વિખૂટે પડી ગયેલ કુજ છું. પૂર્વે નલરાજા ઘતમાં પિતાનું સમસ્ત રાજ્ય હારી ગયા અને તેથી તેના રાજ્યથી શ્રણ બનેલ હું હમણાં પરદેશમાં આવી પડ્યો છું. દમયંતીની સાથે પરદેશમાં ચાલ્યા ગયેલા તેઓની “તેઓ આ સ્થળે છે” તેવી હકીક્ત પણ સાંભળવામાં આવી નથી, તે કંડિનપુરથી આવેલા તમને બંનેને હું પૂછું છું કે-ભીમરાજા અને તેના દમ વિગેરે પુત્રો તો કુશળ છે ને ? દેવી દમયંતી ત્યાં છે કે કેમ? કારણકે તે કૂબેરની પાસે તે રહી જ નહોતી.” જવાબમાં તે બંનેએ જણાવ્યું કે “આ ચિત્રપટમાં આળે ખેલ નળરાજાનું ચરિત્ર અમે જાણીએ છીએ.” ત્યારે મને પૂછયું કે–“તમે બંને શું હકીકત જાણે છે?” આ પ્રમાણે પ્રશ્ન કરતાં તે કૂજને તેઓ બંનેએ જણાવ્યું કે–“તમે દીઘાયુ બનો! તમને જોઈને અમે બંને હર્ષિત બન્યા છીએ. હે ચતુર ! તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છે તેને જવાબ સાંભળે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy