SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ તિલકમંજરી અને મત્સ્યોદરને મેળાપ. ૨૩૭ ગાનારા માતંગ (ચાંડાલો) રાજસભામાં તે મદરને શીઘ આલિંગન દઈને રેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે–“આ અમારે ભાઈ રીસાઈને ચાલ્યો ગયો હતો. સભાગ્યની વાત છે કે–આજે તું અમારા જેવામાં આવ્યું છે.” મદરે તેઓને જવાબ આપે કે–“આ હકીકત બરાબર છે.” આ પ્રમાણે સાંભળીને ક્રોધ પામેલા રાજાએ ગીધરને પૂછયું કે –“આ હકીકત શું છે?” ત્યારે માદરે જણાવ્યું કે- “આ માતંગે જે જણાવે છે તે સર્વ સત્ય છે અને હું તેઓને નાને ભાઈ છું. મારા પિતાએ મારા સાથળમાં ફક્ત પાંચ રને મૂકયા હતા અને આ સર્વેની કાખલી, મસ્તક, સ્કંધ (ડોક) અને નીતંબ પ્રદેશ તેમજ હતમાં સર્વ સ્થળે રતને મૂકયા હતા તેથી નાશીને હું ચાલ્યું ગયે હતે.” આ પ્રમાણે કહીને મદરે પિતાને સાથળ ચીરી બતાવીને પાંચ રત્નો દેખાડ્યા. તાત્કાલિક (હાજરજવાબી) બુદ્ધિ સિવાય અન્ય વ્યક્તિ રાજસભામાં કેમ રહી શકે? પછી “આ લોકોને ચીરીને તેની તપાસ કરે” એ પ્રમાણે રાજાના આદેશથી તથા પ્રકારે કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારે તે ચાંડાલાએ જણાવ્યું કે–“આ અમારો ભાઈ થતો જ નથી. વહાણવટીની સૂચનાથી જ આ પ્રમાણે અમે જાડું બોલ્યા છીએ. હે સ્વામિન! રક્ષા કરો, રક્ષા કરો. ફરી વખત અમે કદી અસત્ય બોલશું નહીં.ત્યારે રોષે ભરાયેલા રાજાએ વહાણવટીને પકડ્યો અને મત્સ્યદરે પણ એકાંતમાં રાજાને પોતાનું સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યું. તે હકીકત જાણું લઈને, રાજાથી પૂછાવા છતાં ગુપ્ત વાતને જાણનારા તે વહાણવટીઓ દ્રવ્ય સંબંધી હકીકતના વિષયમાં કોઈપણ પ્રકારનો જવાબ આપે નહીં ત્યારે તે વણિકપુત્રના નામની સંજ્ઞાવાળું સઘળું દ્રવ્ય રાજાએ મદરને આપ્યું. ખરેખર રાજાઓ ન્યાય કરનારા છે. વધને ગ્ય બનેલા તે વહાણવટીને મત્સ્યદરે મુક્ત કરાવ્યો. હંમેશાં સજજન પુરુષે દુજર્જન પ્રત્યે સજજનપણું દર્શાવે છે. હવે કેટલોક સમય પસાર થયા બાદ બીજા વહાણનો સ્વામી પણ તે કાંતિ નગરીમાં આવી પહોંચે અને રાજા તેને લેવા માટે સન્મુખ ગયા. મદરની પ્રિયા તિલકમંજરીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિના આ વહાણવટીએ મને કેદી બનાવેલ છે. મારા સ્વામીને હણીને આ પાપી મને હણવાને તૈયાર થયેલ છે. હું મારા જીવિતનો ત્યાગ કરીશ અને આપ આ વહાણવટીને પકડી ” ત્યારે રાજાએ જણાવ્યું કે –“હે ચતુર ! તું જીવિતનું રક્ષણ કર, રક્ષણ કર. કારણ કે ભાગ્યને કદાચ તે તારો સ્વામી જીવતો હોય.” પિતાને સ્વામી જીવે છે તે પ્રકારની માન્યતાને નહીં માનતી તેણી, સર્વથી આશ્વાસન અપાયા છતાં પણ મુક્તકંઠે રડવા લાગી. બાદ રાજાવડે કહેવાયેલ વૃત્તાંતવાળા મદર, વિશ્વાસથી હર્ષ પામેલી તિલકમંજરીને પિતાના આવાસે લઈ ગયે, અને અપરાધી તે વહાણવટીને, પિતાના બંધુની માફક રાજાના દંડમાંથી છોડાવ્યું. વળી વેરોચ્યાદેવીથી અપાએલ સર્ષના વિષને હરણ કરનાર રત્નદ્વારા, સર્પથી ડસાયેલી રાજપુત્રીને જીવાડી એટલે રાજાએ મદરને પિતાની તે પુત્રી પરણાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy