SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ મન્મથને થયેલ વિટંબણ અને તિલકમંજરીએ કહેલ આત્મવૃત્તાંત. [ ૧૩૫ ] વિતાવવા લાગ્યું. તેણે ચોતરફ પરવાળા અને ખેતીના ઢગલા કર્યા અને અંદરના ભાગમાં પિતાના નામથી અંકિત સુવર્ણની ઈટેના યુઓ (જેડલાઓ) તૈયાર કર્યા. આ બાજુ શાદવ નામના વહાણવટીના નોકરે પિતાના વહાણને કિનારે રોકીને મીઠું પાણી લેવાને માટે તે વાર્ષિદ્વીપમાં આવ્યા. તેઓનાથી પૂછાયેલા અને પિતાના ઉદ્ધારને વિચારતા મર્મજ્ઞ એવા મન્મથે તેઓને જણાવ્યું કે–“તમારા સ્વામીને હું પાણી ક્યાં છે તે બતાવીશ.” ત્યારે તેની પ્રીતિથી સિદ્ધ થયેલ કાર્યવાળા શાલવ વહાણવટીએ, કૂવાને કાંઠે ઊભેલા તે મન્મથને, તેના ઘનને લેભથી અંધ બનીને કૂવામાં નાખી દીધો. તે મન્મથનું સર્વસ્વ લઈને વહાણવટી ચાલ્યા જવા બાદ કૂવામાં પડેલ તે ફક્ત તે ગાથાના અર્થને જ વિચાર કરવા લાગ્યા. હવે તે કૂવાના મધ્ય ભાગમાં જોતાં મન્મથે નીચે જતી અને વાંકીચૂંકી પગથિયાની પંકિત જોઈ. વિસ્મય પામેલે મન્મથ તે પગથિયા દ્વારા પાતાળમાં પહોંચ્યા. ત્યાં પર્વત, નદી, વૃક્ષ, ક્ષેત્ર અને ચેત્યથી ભૂષિત પૃથ્વી જોઈ. તે સ્થળે બ્રમણ કરતાં તેણે બગીચાની મધ્યમાં રહેલ એક અત્યંત મનોહર અને શ્રેષ્ઠ મહેલમાં જઈને વૈચ્યા દેવીની મૂર્તિ જોઈ. પિતાના ઉદ્ધારની ઈચ્છાથી તેની આરાધનામાં તત્પર બનેલા તેણે, રાત્રિને વિષે સ્વપ્નમાં દેવીએ કરેલ કથન નીચે પ્રમાણે સાંભળ્યું–“હે પુત્ર! જળ, અગ્નિ, ઝેર, રાક્ષસ તથા વ્યાધિને અટકાવનારા પાંચ પ્રકારના રત્નને મારા ચરણ પાસેથી લઈને તેમજ મારા તેરણમાંથી બહાર નીકળેલ ત્રણસંહિણુ નામની ઔષધીને લઈને, સન્મુખ દેખાતા થરાદ્વારા નગરમાં પહોંચી જઈને તું સુખ પ્રાપ્ત કરજે.” આ પ્રમાણે દેવીથી આદેશ અપાયેલ મન્મથ નિદ્વારહિત બનીને, પ્રાતઃકાળે સર્વ વતુ પ્રાપ્ત કરીને, પિતાની જાંઘ ચીરીને, તેમાં રત્નો સ્થાપીને, ત્રણસંહિg ઔષધીથી ઘાને રૂઝવી દીધા. પછી, માણસ, પશુ અને પક્ષી રહિત, વિચિત્ર પ્રકારનાં ધન-ધાન્યથી યુક્ત તેમજ આકાશને સ્પર્શતાં ઊંચા મહેલાવાળા તે પાતાળ નગરમાં મન્મથ પહોંચે. તે સ્થળે ભ્રમણ કરતાં તેણે શ્રેષ્ઠ મહેલના સાતમા માળે રહેલી અને હીંડોળા પર સૂતેલી કેઈએક મનોહર કન્યા જોઈ. તેણીથી સત્કાર કરાયા બાદ પૂછતાં એવા મન્મથને તેણે પિતાની સત્ય બીના જણાવી કે–વર્ગની સાથે સ્પર્ધા કરતું બેલાતટ નામનું નગર હતું. તે નગરમાં સુકેતુ નામનો રાજા હતા. પિતે શક્તિશાળી હોવા છતાં એકદા દેવને કારણે શત્રુસૈન્યથી ઘેરાઈ જવાને કારણે શૂન્ય ચિત્તવાળ બની ગયો. તથા પ્રકારની સ્થિતિમાં આવી પડેલા તેને જાણીને, પૂર્વભવના નેહથી ત્યાં આવેલા કેઈએક દેવે સમુદ્રની અંદર સુશુપ્ત નામનું નગર બનાવીને તે સ્થળે મૂક્યું. રાજા સુકેતુના કલ્યાણની ઈચ્છાથી તે દેવે પાતાલ પ્રદેશ તરફ જતાં કુવાના પગથિયા દ્વારા આ ગર્ભપુર નામનું નગર બનાવ્યું. સુગુપ્ત નગરમાં રાજા સુકેતુ સુખપૂર્વક રહેતો હતો તેવામાં દૈવને કારણે કેઈએક માંસભક્ષી રાક્ષસ આવી પહોંચે. તે દુષ્ટ રાક્ષસ સમસ્ત લેકેને ખાઈ જવા લાગ્યા ત્યારે રાજા પોતાના કુટુંબીજનની સાથે જ હદી ગર્ભ પુરમાં આવ્યું. રાક્ષસ પણ નગરવાસી સમસ્ત જનતાને હણીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy