SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીને પિતાને ઘરે કુંઠિનપુરમાં આગમન. [ ર૨૯ ] નથી, તે ઉચિત છે. પશુ સરખા મૂઢ એવા અમને ધિક્કાર હે ! પ્રપંચી એવા અમને ધિક્કાર હે ! હે પુત્રી ! કુટુંબી જનેના આભૂષણ સરખા તારા વિષે દુર્દેવે આવા પ્રકારનું અધમ આચરણ કર્યું.” આ પ્રમાણે બોલતાં તેઓએ નીચા મુખવાળી દમયંતીને આલિંગન આપીને તેની માસી વિગેરે પરિજનવર્ગ હર્ષજન્ય શેકાશ્રુ વહાવીને રુદન કરવા લાગે. વળી તે સર્વેએ સુદેવ તેમજ શાંડિલ્યને સુવર્ણ, મણિ, માણેક, ઉત્તમ વસ્ત્ર, ફલ અને ચંદનાદિથી ઢાંકી દીધા અર્થાત્ પુષ્કળ દાન આપ્યું. દમયંતીના હજારો મંગળ કાર્યો વારંવાર કરવામાં આવ્યા તેમજ તેની માસીએ તેણીને પોતાના ખેાળામાંથી એક ક્ષણમાત્ર પણ દૂર કરી નહીં. વળી હજારો લોકે “હું પહેલાં જઈને, દમયંતીની પ્રાપ્તિના સમાચાર કહું-જણવું” એવી આકાંક્ષાથી ઉંટ તથા અશ્વદ્વારા અને પગપાળા કુંડિનપુર તરફ દેડ્યા. ભીમરાજાની સભામાં દમયંતીની પ્રાપ્તિને જણાવનારા તે લોકોને, જેવી રીતે યાચક જનને અપાય તેવી રીતે સુવર્ણના પુષ્કળ દાનથી સંતુષ્ટ કર્યા. દમયંતીને જદી લઈ આવવાને ઉત્સુક બનેલા દમ, દમન અને દાંત એ ત્રણે ભાઈઓ, પિતાની આજ્ઞાથી, અક્ષૌહિણી (વિશાળ ચતુરંગી) સેના સાથે શ્રીવર્દન નગરે પહોંચી ગયા અને ત્યાં માતૃતુલ્ય મોટી બહેનને મસ્તકથી પ્રણામ કરીને, ત્રણે ભાઈઓએ કુંઠિનપુર આવવા માટે ભક્તિપૂર્વક પ્રાર્થના કરી એટલે તેણીએ માસાની, માસીની, સુનંદાની તેમજ પરિવારવર્ગની રજા માગી. ઘણું મુશ્કેલીથી રજા લઈને, રથ પર બેસીને, ત્રણે ભાઈઓથી અનુસરાતી દમયંતી કંડિનપુર તરફ ચાલી નીકળી. ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ સુધી સાથે રહેલા ચંદ્રાવતંસ વિગેરે રાજકુળને પાછા વાળીને, ઉત્સાહિત બનેલ દમયંતી એક અઠવાડિએ પિતાની જન્મભૂમિમાં આવી પહોંચી. તેને સામે લેવાને માટે જ્યારે ભીમરાજા ગયા ત્યારે ફકત કુંડિનપુરના ઘરે ન જઈ શક્યા, અર્થાત ઘરે જડ હોવાથી ન જઈ શક્યા પરંતુ સમસ્ત નગરજને સ્વાગતાથે ગયા હતા. જો કે કુંડિનપુરને ધવજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું અને વિવિધ પ્રકારનાં વાજિંત્રે વાગી રહ્યા હતા, છતાં તેને અટકાવીને દમયંતી માત્ર સામાન્ય વિધિપૂર્વક નગરમાં દાખલ થઈ. (પિતાને નલનો વિરહ હતું તેથી આ ઉત્સવ ન શોભે એમ વિચારીને તેણે સાદાઈ ગ્રહણ કરી હતી.) કુળદેવીને પ્રણામ કરીને માતાપિતાના ચરણોમાં નમસ્કાર કરીને દમયંતી દ્વિ-સંપત્તિથી સુશોભિત ઇંદ્રસેનની હવેલીમાં જઈને રહી. “હે માતા ! આ શું થયું?” એમ પૂછતાં ઇસેનને આલિંગન આપીને, અશ્ર યુક્ત લોચનવાળી દમયંતીએ ઉચિત જવાબ આપે. બીજે દિવસે ભીમરાજાએ પિતાની પત્ની પ્રિયંગુમંજરી સાથે દમયંતી પાસે જઈને હકીક્ત પૂછતાં તેણીએ તેમને મૂળથી પ્રારંભીને સમસ્ત વૃત્તાંત નીચે પ્રમાણે જણાવ્યું “હે પિતાજી! નિષધાનગરીમાં લેકે ધર્યકમ માં રક્ત અને આબાદીવાળા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy