SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૦ ]. શ્રી દમયંતી ચરિત્ર : ડંધ ૬ છે. સર્ગ પહેલે, ઇંદ્રસેન પાંચ વર્ષનો થયો ત્યારે તમારા જમાઈ નલરાજા દુર્ભાગ્યને કારણે ઘતક્રીડામાં આસક્ત બન્યા. હે પિતાજી! તે વખતે આ કેશિની ત્યાં હાજર હતી, તેને તમે પૂછો કે અનેક ઉપાયે દ્વારા મેં તેમને ઘતક્રીડા કરતાં અટકાવ્યા હતા. કેશિનીના જણાવવાથી ભવિષ્યમાં અશુભ બનવાનું છે એમ જાણ્યા બાદ મેં સમૃદ્ધિ અને લશ્કર સહિત બંને સંતાનને અહીં મોકલી આપ્યા હતા. રાજmણ બનેલા સ્વામી નલને મેં અહીં આવવા માટે વનમાં પ્રાર્થના કરી, છતાં મને સંદેશો આપીને, વસ્ત્ર ચીરીને, સૂતેલી એવી મને ત્યજી દઈને તે ચાલ્યા ગયા. બાદ તેના શરીરમાં કઈપણ અસાધારણ વ્યંતરને પ્રવેશ થયો હોય તેમ લાગે છે અને તેથી પરાધીન બની જવાથી તે કોઈપણ પ્રકારે ઓળખી શકાતા નથી. આ સન્મુખ જેવાય છે તે વસ્ત્ર છે અને તેના પર લખેલી આ અક્ષરપંક્તિ છે: મુનિવર્યના જણાવવાથી હું પર્વતને વિષે રહીને તપ કરતી હતી. હે પિતાજી! શરમ અને દીનતાને કારણે હું ગુપ્તભાવે માસીના ઘરે સુખપૂર્વક રહેતી હતી. આ પરિસ્થિતિને કારણે હું અહીં પણ આવવા ઈચ્છતી નહોતી. હે પિતાજી ! વીરસેન રાજાના પુત્ર નલ વિના મારું જીવિત કેમ ટકી શકશે ? એક વર્ષ વ્યતીત થઈ જવા છતાં તેના કોઈ સમાચાર નથી અને સંતાન રહિત વ્યક્તિની જેમ તેમનું નામ પણ ભુલાઈ ગયું જણાય છે.” આ પ્રમાણે અશુસમૂહને વહાવતી તેમજ શાકજન્ય પીડાને કારણે ત્રુટકત્રુટક બોલતી અને રુદન કરતી દમયંતીને જોઈને ભીમરાજાએ કહ્યું કે-“ હે પુત્રી! તું અશ્રુ બંધ કર, હે પ્રિયે પ્રિયંગુમંજરી ! પુત્રીને રડતી અટકાવ. હે પુત્રી દમયંતી! તારા ભાઈઓ જીવતા છતાં તને હીનતા કેમ હોઈ શકે? આર્યાવર્તના કોશલ દેશથી પ્રારંભી કાશમીર સુધીને પ્રદેશ મેં મારા ભાણેજ ઇદ્રસેનને અર્પણ કર્યો છે. હે દમયંતી ! છત્રીશ અક્ષોહિણી સેનારૂપી સાગરવાળે દમકુમાર જ્યારે દિવિજય કરવાને માટે તૈયાર થાય છે ત્યારે તેની સમક્ષ ઊભા રહેવાને કોણ સમર્થ થઈ શકે છે? વળી હે પુત્રી ! દુદેવને કારણે ભલે તે મારા જમાઈ રાજા નલ વ્યંતરથી પીડાતા હોય તો પણ “તે અમુક ઠેકાણે છે” એમ શોધી કાઢવાને માટે મને શે વિલંબ છે? અર્થાત્ હું ગમે તે સ્થળેથી નળરાજાને શોધી કાઢીશ. આ પૃથ્વીને ગોળે તે કેણું માત્ર છે? મારી પાસે શોધનારા, તપાસ કરનારા કરોડો માણસો છે. થોડા સમયમાં જ તે રાજાને પ્રાપ્ત થયેલે તું સાંભળીશ. મારા દૂતસમૂહ સાથે તું નલ પ્રત્યેના તારા સંદેશાને મોકલ. જેથી તું અહીં જીવતી આવી છે એમ જાણીને તે પણ કુંડિનપુર આવવાને તૈયાર થાય. ઘણું કરીને પશુ તેમજ મનુષ્યોને પોતાની પત્નીનું બંધન હેય છે. નલ વિકળ બનેલો હોવા છતાં ખરેખર નલ જ બનશે, માટે તું દૂતોને તે રાજાની ચેષ્ટા, આકાર, કલા વિગેરે અસાધારણ લક્ષણે જણાવ, જેથી તેઓ જાણી શકે કે તે નલરાજા જ છે. આજથી જ દશે દિશાઓને વિજય કરવામાં ડૂતોને રવાના કરવાના સંબંધમાં તેમજ નલરાજાની પ્રાપ્તિ માટે મારો પ્રયત્ન શરૂ રહેશે. હે પુત્રી ! સ્વામીના સંકટથી દીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy