SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લેા. સ ૧ લે. આ પૃથ્વી સ્વર્ગ તેમજ પાતાળ કરતાં પશુ ચઢિયાતી ખની હતી. વર્ષાઋતુમાં ખેડૂતાની જરૂરિયાતના પ્રમાણમાં વરસાદ વરસતા હતા અને સ્વચક્રકે પરચક્રના ભય તા સ્વપ્નમાં પણ સંભવતા †નહિ. પૃથ્વી, ખેતરાદ્વારા ધાન્ય-અનાજ, ખાણુાદ્વારા રત્ના, આકર( નગરાદિ )દ્વારા ઉત્તમ વસ્તુએ અને અરણ્યાદ્વારા હાથીને પ્રગટાવતી હતી. આ ઉપરાંત જ્યારે નળરાજા રાજ્ય કરતા હતા ત્યારે દેવા સાનિધ્ય કરનારા હતા, તપસ્વીઓ પ્રભાવશાળી હતા, અધ્યાપકો વિદ્યાવાન હતા તેમજ ગૃહસ્થા દ્રવ્યસંપત્તિથી પરિપૂર્ણ હતા. ગાયા દૂધ આપનારી, વૃક્ષેા નિરંતર ફળ આપનારા, નદીએ સદૈવ અખૂટ જળવાળી અને એ જીવિત સંતાનવાળી હતી, અર્થાત્ કે માતાની હૅયાતિ સુધીમાં કોઇપણ સંતાન મૃત્યુને વશ થતું ન હતું. વ્યાકુળતા ( ગાઢપણું ) ફક્ત બગીચામાં હતી, અક્કડપણું (ગવીઋપણું ) માત્ર પીપળામાં જ હતું અને સરેાગપણ કમળને વિષે જ હતું. ( એટલે કે કાઇ માનવી વ્યાકુળ ન હતા, ફક્ત અતિશય ઝાડ–પાન, ફળ-ફૂલને લીધે બગીચા જ વ્યાકુળ દેખાતા, કાઇ પુરુષ ગર્વિષ્ઠ ન હતા, પણ નમ્ર હતા; ફક્ત એક પીપળા જ અડ-ટટ્ટાર-ગીષ્ઠ જણાતા અને કેઈપણુ માણસ સરાગ-રાગવાળા ન હતા, પણ ફક્ત કમળ જ સત્તળ હતું, અર્થાત્ સોન્ગ સાવરમાં ઊગનારું હતુ. ) ધન( પાળ ) તળાવને જ હતુ, પ્રહાર વાજિંત્રને જ થતા, સુવર્ણ ના જ છેદ કરવામાં આવતા, દંડ તા ફક્ત છત્રમાં જ રહેતા, ક્રેપણુ’-વાંકડીયાપણું' તેા કેશકલાપમાં જ હતું, કઠારતા તેા સ્ત્રીઓના સ્તનેામાં જ હતી, તેમજ ચપળતા તા માત્ર સ્ત્રીએના નેત્રામાં જ સ્થિર થઈ ગઈ હતી અર્થાત તે દેશની પ્રજામાં ઉપરાક્ત દુર્ગુણા કે શિક્ષાના અભાવ જ હતા. વળી પાપી, વજ્ર, જડબુદ્ધિવાળા, જુગારી, ક્રોધી, દુર્બુદ્ધિવાળા, કૃતઘ્ન, ( ઉપકાર પર અપકાર કરનાર ), કંજુસ, નિર્દય તેમજ અભિમાની કોઇપણું ન હતું. આવી રીતે જે દિવસેામાં નળરાજા રાજ્ય કરતા હતેા તે દિવસેાને પણ નમસ્કાર હા! તેમજ જે જે મનુષ્યાએ તેમની વાણીરૂપી અમૃતનું પાન કર્યું. હાય તે પણ ધન્યવાદને પાત્ર છે ! અતિશય પ્રેમના કારણે જેમને કંઠે પણ ગદ્ગદ્ થઇ ગયા છે તેવા વિદ્વાન પુરુષાની વાણી પણ જેના ગુણને ગ્રહણ કરવામાં નિષ્ફળ નીવડી છે તે નળરાજાનુ વર્ણન પણ શી રીતે થઈ શકે ? પૃથ્વીપીઠ પર રહેવા છતાં જે સ્વર્ગીય ભાગેાપભાગને ભાગવતા હતા તે નળ રાજાના ગુણેની પ્રશંસા જગત પર ફેલાઇ રહી છે. આ પૃથ્વીમ`ડળ પરના સ નૃપતિએમાં ફક્ત એક નળરાજા જ એવા હતા જેણે પેાતાની રૂપ-સમૃદ્ધિથી દેવાને પણ જીતી લીધા હતા. આ ઉપરાંત સહસ્રાક્ષાદિ બિરુદ (યથાર્થ ઉપનામ) ધારી જે ઇંદ્ર કૃપાવડે લાખા કલ્પવૃક્ષા, સે’કડા કામધેનુ તેમજ હજારો ચિંતામણિ રત્ના દાનમાં આપી શકે † પ્રકારાંતરે કવિવરે સાતે જાતની ઈતિના અભાવ જણાવ્યા છે. વરસાદ યાગ્ય પ્રમાણમાં હાય એટલે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન હેાય. અને એ ન હેાય ત્યારે ઊંદર, તીડ કે પાપઢને પણ ઉપદ્રવ ન હેાય. તેમજ સ્વચક્ર તથા પરચક્રના તા સ્વપ્નમાં પણ ભય નહેતા. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઊંદર, તીડ, પાપટ, સ્વચક્ર અને પચક્ર-આ જાતની સાત ઇતિ–ઉપદ્રા ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy