SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નળ રાજાનું માહાસ્ય અને મહિમા. [ ૩ ] ભગવાનના મરણ માત્રથી દુઃસ્વપ્ન, ઈજિત( રાવણને પુત્ર મેઘનાદ)ના મરણથી ભયંકર ઝેર નાશ પામી જાય તેમ નળ રાજાના નામસ્મરણથી નિરંતર પાપને વિનાશ થાય છે. ગંગા નદીના જળરનાનથી, સદગુરુનું પૂજન કરવાથી તથા છાનું રક્ષણ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય નળ રાજાનું કીર્તન-ગુણગાન કરવાથી ઉપાર્જન થાય છે. જેમ ઊનાળામાં શરીર પર ચંદનનું વિલેપન શીતળતા ઉપજાવે છે, વર્ષાઋતુમાં માલતી પ્રિય લાગે છે, વસંતઋતુમાં કોયલનો ટહુકાર કર્ણપ્રિય બને છે તેમ નળ દમયંતીનું ચરિત્ર પ્રમોદ પ્રગટાવે છે. જેવી રીતે દાન કલ્યાણ કરનારું છે, તપશ્ચર્યા પાપને હરનાર છે, શિયલ પવિત્ર બનાવે છે તેવી રીતે નળ રાજાના ગુણગાન કલ્યાણકારક, પાપહર અને પવિત્ર કરનાર છે. કોઈ પણ કાર્ય કરવાના અવસરે એક તરફ શુભ ને ફળદાયક બધાં શકુને હોય અને બીજી બાજુ નળ રાજાનું માત્ર નામસ્મરણ જ હોય તો પણ પૂરતું છે અર્થાત તે સર્વ કરતાં નળનું નામસ્મરણ અધિક ફળદાયી છે. યાત્રાદિક કાર્ય પ્રસંગોમાં ભરત, અર્જુન, પૃથુ રાજા અને નિષધ દેશના સ્વામી નળ રાજાને કાર્યસિદ્ધિ માટે યાદ કરવા જોઈએ. * ભીમ નહિ હોવા છતાં ભીમવાળું અને મરાલ રહિત હોવા છતાં મરાલવાળું એવું આ ચરિત્રનું વાંચન (પઠન ) કેને આશ્ચર્ય ઉપજાવતું નથી? (એટલે કે ભીમ=ભયંકર નહિ હોવા છતાં ભીમ(દમયંતીના પિતા) રાજાની કથાવાળું અને મરાલ દુર્જનતા રહિત હોવા છતાં મરાલ=હંસ(દમયંતી પાસે નળ રાજાની પ્રશંસા કરનાર)ના વૃત્તાંતવાળું આ ચરિત્ર કોને અચંબો ઉપજાવતું નથી ? ) વિશ્વવિખ્યાત, નિષ્કલંક, ધૈર્ય ગુણ યુક્ત અને વિસ્તૃત એવું આ પવિત્ર કીર્તિશાળી નળ રાજર્ષિનું કિર્તન પાપને નાશ કરનાર છે. ચોથા આરામાં શ્રી ધર્મનાથ તથા શ્રી શાંતિનાથ ભગવંતના આંતરામાં વીરસેનને પુત્ર નળ નામનો રાજા રાજ્ય કરતા હતા. પૂજ્ય પુરુષને વિશ્વાસપાત્ર, સેળ વર્ષની ઉમ્મરવાળે અને બળદની ખાંધ જેવા બલિષ શરીરવાળે તે પ્રજાને અત્યંત પ્રિય હતું. પોતાના રૂપવડે અશ્વિનીકુમારને પણ જીતી લેનાર, તેમજ સત્યવાદી નળ રાજા જ્યારે રાજ્ય કરતો હતો ત્યારે પ્રજા સુખી હતી. આ ઉપરાંત શાંતિ, સમૃદ્ધિ, સુરાજ્ય ને અસાધારણ સુખને કારણે આર્યાવર્તની ભૂમિએ અન્ય દેશોમાં શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યું હતું. વાવ, કૂવા, પરબ, બગીચા, મઠ-આશ્રમ અને મંદિરોરૂપી ધર્મસ્થાનક બનાવવારૂપી કાર્યોથી લોકોના દિવસો વ્યતીત થતા હતા. વિધવિધ પ્રકારના કલયાણને કરનાર માંગલિક વનિપૂર્ણ, હમેશાં ઉત્સવવાળા અને અતિશય સમૃદ્ધિવાળાં ગામડાઓ પણ શોભતા હતા. ધર્મ, અર્થ ને કામ–આ ત્રણ પુરુષાર્થને કારણે નળ રાજાથી શાસિત * अभीमं भीमसंयुक्तममरालं मरालवत् । ન ચ વિસ્મથે , વાવ્યમાનં નાચનમ્ II ૨૪ [ ૧, ૪ ૫ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy