SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્ર પ્રારંભ. سمرهكع رفوف محمد رفی 2 આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રને વિષે નિષધ નામના દેશમાં ભારત મહારાજાના વંશમાં ભૂષણ સમાન નળ નામનો રાજા થયે હતો. સમસ્ત ગુણોથી સંપૂર્ણ, દરેક અંગોથી સુંદર, સર્વ પ્રકારના પુરુષાર્થને જાણનાર, સકળ શાસ્ત્રને જ્ઞાતા, ધનુર્ધારીઓમાં ઉત્તમ, રાજર્ષિઓના કુળમાં દીપક સમાન, પૃથ્વીપીઠના આભૂપણ સદશ, દુર્જનના સમૂહને ભસ્મીભૂત કરવામાં દાવાનળ તુલ્ય, ગુણરૂપી રન્નેને સાગર, સદુવચનરૂપી જળબિંદુઓની વૃષ્ટિ કરવામાં મેઘ સમાન, શત્રુઓ રૂપી વૃક્ષને ઉખેડી નાખવામાં પવન સરખો, શસ્ત્રોરૂપી કિરણોને ફેંકવામાં સૂર્ય સદશ, સૌભાગ્યમાં કામદેવ જે, રાજ્યશાસન ચલાવવામાં ઇદ્ર સરખે, મનહરપણામાં સિંહ સમાન, તેજસ્વીપણુમાં સૂર્ય જે, પર્વતને વિષે મેરુપર્વત સરખો, પત્થરોને (રત્નને) વિષે ચિંતામણું રત્ન તુલ્ય અને વૃક્ષને વિષે કલ્પવૃક્ષ જે તે નળ રાજા સમસ્ત રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તેને થઈ ગયાને આટલે બધે કાળ વ્યતીત થવા છતાં હજી સુધી ગ્રામ, આકર અને નગરને વિષે થતાં તેના ગુણકીર્તનથી પૃથ્વી સુંદરરીતે શોભી રહી છે. વળી જેની સૂર્યપાક રસવતી(રસોઈ), નળ એવું નામ, ધ્રુતકીડા અને અશ્વશાસ્ત્રની કુશળતા અદ્યાપિ પર્યત પ્રખ્યાતિ પામેલાં છે. તારાઓ રૂપી કેડીઓ જ્યાં વેરાયેલી છે તેવા વિશાળ ગગનરૂપી ચોપાટ પર સ્વર્ગમાં રહેલા દે નળરાજાએ કરેલી છૂતક્રીડાને હજુ સુધી ખેલી રહ્યા છે, તેમજ પવન પિતાના ઝંઝાવાતથી અને નદીઓ પવનપ્રેરિત મોજાંઓદ્વારા નળરાજાની અશ્વક્રીડાને-વિધવિધ ચાલને હજુ સુધી માત્ર શીખી જ રહ્યા છે. દિયાત્રાના સમયે સન્ય-સમૂહના ભારથી દબાઈ ગયેલ કૂર્મ-કાચબો હજુ પણ સંકેચને લીધે ટંકા(નાના) ગાત્રવાળે બળે જાય છે, તેમજ દિગવિજયના ભારથી નમી ગયેલ નાગરાજ-શેષનાગ અદ્યાપિ પર્યત કુંડળ(ગાળ) જેવા શરીરને ધારણ કરી રહ્યો છે. વળી જેના પ્રયાણ સમયે ઘડાઓની ખરીથી ખોદાયેલી રજ(ધૂળ) ચંદ્રને વિષે કલંકના-ડાઘાના બહાનાથી રહેલી હજુ સુધી પણ જોવાય છે. ખરેખર નળ જે રાજા ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ. એમ જે ન હોત તો તેના જેવા ગુણવાળી અન્ય કઈ પણ વ્યક્તિ કેમ સાંભળવામાં આવતી નથી? જેમ શ્રી શાંતિનાથ * ધર્મ, અર્થ, કામ ને મેક્ષ-એ ચાર પ્રકારના પુરુષાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy