SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શંખરાજા તથા કલાવતીના પૂર્વભવનું વૃત્તાંત અને સ્વર્ગગમન. [ ૨૧૫ ] સાથે ક્રીડા કરવામાં રક્ત રહેતી હતી. તેણે નર્માકર નામના તે પોપટને પોતાની હથેળીમાં ધારણ કરતી. દેવપૂજા સિવાય તેને કોઈપણ સ્થળે અળગો કરતી નહી. તે પિપટ પણ તેણના પાલન-પોષણથી તેણીના પ્રત્યે પ્રીતિવાળો બન્યો હતો. તે બંનેની પરસ્પર રીસાવું અને રીઝાવું વિગેરે પ્રકારની ક્રિયાઓ થતી હતી. કઈ એક દિવસે શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરવા જતી તેને પોપટે પ્રાર્થના કરી એટલે તેણે તેને પોતાની સાથે લઈ ગઈ. દેવાધિદેવ શ્રી આદીશ્વર પરમાત્માની મૂર્તિને જોતાં જ તે પોપટે તે મૂર્તિને પ્રતિદિન પ્રણામ કરવા આવવાને માટે પિતાના મનમાં પ્રતિજ્ઞા કરી. ઘણું કરીને મનુષ્યવાણ બેલતાં પોપટોની જાતિ માંસભક્ષણ કરતી નથી તેમજ ભદ્રિક ભાવવાળી હોય છે. વિદ્યમુખીની માફક પુણ્યની લાલસાથી તે પિપટે પણ જેમ જેયું તેમ પૂજન કરીને મનમાં પિતાની જાતને ધન્ય માની. બીજે દિવસે પૂર્વની માફક પિપટથી પ્રાર્થને કરાયા છતાં પણ, તેની ચંચળતાના ભયને લીધે વિન્મતી પોપટને સાથે લઈ ન ગઈ. એકલી તે જઈને, પરમાત્માને નમીને પાછી આવી અને ભજનના સમયે પિપટને પાંજરામાંથી બહાર કાઢ્યો ત્યારે પોતાનું ભજન ત્યજી દઈને, જિનમંદિરમાં જઈને, પિતાનો નિયમ પૂર્ણ કરીને ફરીથી અવસરે તે આવી પહએ. વિદ્યમુખી ભક્ટ્રિક સ્વભાવવાળી હેવા છતાં ફરીથી આવેલા તેને પ્રાપ્ત કરીને, સ્ત્રી સ્વભાવજન્ય વ્યાકુળતા તેના મનમાં પ્રગટી નીકળી અર્થાત તેણી ક્ષેભ પામી. આ પિપટનું બાલ્યાવસ્થાથી મેં કાળજીપૂર્વક પાલન-પોષણ કર્યું છે, છતાં મને ત્યજીને, નિર્ભય બનીને હમણું ભ્રમણ કરી રહ્યો છે. કદાચ કઈ વખત આ પોપટ બીજાના હસ્તમાં જઈ ચઢશે તો મારા હદયદાને શમાવવા માટે ઓષધ કે વૈદ્ય મળી શકશે નહીં. કદાચ બાજ, બીલાડો અને ગીધાદિકથી તેને પરાભવ (મૃત્યુ) થાય અથવા તે આ પ્રમાણે છાપૂર્વક ભ્રમણ કરવાથી તે વનમાં ચાલ્યા જાય તે સંપૂર્ણ નાશ કરતાં અર્ધનાશ સારે, તે હવે ફરીને આ પોપટ કઇ પણ સ્થળે ચાલે ન જાય તેમ હું કરું.” આ પ્રમાણે વિચાર કરીને તે દીન પક્ષીને પકડીને, “આમ ન કરે, આમ ન કરે.”. એમ પોપટ બોલી રહ્યો હતો છતાં પણ તેની બંને મુખ્ય પાંખને ખેદપૂર્વક છેદી નાંખી અને છેદાયેલ પાંખવાળો, દુઃખથી પીડાયેલ અને અશ્રયુક્ત લોચનવાળે તે પોપટ ઉચ્ચ સ્વરે શકયુક્ત વાણીથી વિદ્યન્મતી પ્રત્યે બે કે–“મેં કાંઈ સમયનું ઉલ્લંઘન કર્યું નથી, ભેજનસમયે તારી પાસે આવી પહોંચે છે, છતાં નિરપરાધી એવા મારી બંને પાંખો તેં શા માટે છેદી નાખી? તારાથી જાતે જ રક્ષાયેલે, તારા પ્રત્યે પ્રીતિવાળે અને તેને અત્યંત પ્રિય, તારે આધીન રહેનાર તેમજ રંક-ગરીબડા એવા મારા પર તે જે પરાક્રમ દાખવ્યું તે ઠીક જ કર્યું છે ! આવા પ્રકારનું મારા પરત્વે વર્તન દાખવીને તે લેશ માત્ર દયા દાખવી નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy