SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ - - [ ૨૧૪] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૫ મે. સર્ગ અઢારમે. (O) જળથી આનંદ આપી રહી છે.” આશ્ચર્યપૂર્વક ઉપર પ્રમાણે બોલતા સમસ્ત લોકે પિતાનું મસ્તક પૃથ્વી પર્યત નમાવોને પ્રણામ કરવા લાગ્યા ખરેખર સતીરૂપ તીર્થ અદ્દભુત છે, અલૌકિક છે. તેવામાં છત્ર અને ચામર રહિત, પગપાળા ચાલતા અને દુઃખી બનેલા પિતાના સ્વામી શંખ રાજવીને જોઈને કલાવતી ઊભી થઈ ગઈ. “હે આર્યપુત્ર! આપ આપના પુત્ર સહિત વિજયવંત વર્તે, આપના ચરણની સેવાથી હંમેશાં મારો સંતાપ દૂર થાઓ!” ત્યારે લજજાથી નમેલા મસ્તકવાળા, આંખમાંથી અશ્રુને વહાવતા શંખરાજાના મંત્રીએ મિષ્ટ વાણુ બોલી કલાવતીને કહ્યું કે-“હે માતા કલાવતી ! તમે જે કહો છો તે યોગ્ય છે. જે રાજાની તું શરીરધારિણી યશલક્ષમી છે તે શંખરાજા આજે વિજયશાળી બન્યા છે. તમે ખરેખર સતી હોવાથી આ પ્રમાણે સાધના કરી શકયા છે, તે હે કલાવતી ! ચાર ભુજાને કારણે તમે દેવી સ્વરૂપે પ્રસિદ્ધિ પામ્યા છો. ચંદ્ર સરખા તારા પુત્રના મુખે, પત્થરની પૂતળીને દૂધ વષોવનારી બનાવી તે જાણે કે ચંદ્રથી સ્પર્શ કરાયેલ સૂર્ય જળની વૃદ્ધિ કરે તેના જેવું આશ્ચર્યકારક છે. તારા આ રમ્ય આશ્રયસ્થાનમાં કલ્યાણને ઈચ્છવાવાળા લોકે નિર્મળ જળમાં સ્નાન કરી રહ્યા છે અને ફલ તથા પુને ગ્રહણ કરી રહ્યા છે. જે કદાચ તારું અમંગળ થયું હોત તે આ રાજા તેમજ પ્રજાનું શું થાત? તે અમે જાણી શકતા નથી. તું, મહારાજા શંખ કે આ જનસમૂહ ખરેખર ભાગ્યશાળી છે. રાજાના અંત:કરણમાં તારા માટે અંશમાત્ર પણ દ્વેષભાવ નથી, માટે તું માફ કર, હે દશાર્ણરાજ પુત્રી ! તમે સામાન્ય નારી નથી પણ દેવી છે. તમે કલ્પાંતકાળ પર્યત આ વનપ્રદેશને તીર્થભૂમિ બનાવી છે તે હે માતા ! હવે પ્રસન્ન થાઓ અને નગરને નાથ યુક્ત બનાવો–શોભાવ.આ પ્રમાણે વસુભૂતિ મંત્રીએ કહ્યાબાદ, વનદેવીને પ્રણામ કરીને, તે વનની રજા લઈને કલાવતી શિબિકા પર ચઢી. પાણિગ્રહણના ઉત્સવ કરતાં પણ વિશેષ એ, જેમાં ધ્વજાઓ ફરકી રહી છે અને પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે તે નગરપ્રવેશોત્સવ થયે. તે સમયે તે બંનેનું ક્ષીર-નીરની માફક એકય થયું કે જેને ભિન્ન કરવાને હંસની ચાંચ પણ સમર્થ થઈ શકી નહીં. કોઈ એક દિવસે તે નગરમાં દેવ, દાનવ અને મનુષ્યોથી થતુતિ કરાયેલા, ચાર ઘાતી કર્મનો નાશ કરનાર કેવળી મુનિ પધાયો. સુદર્શન નામના તે કેવળી ભગવંતને વંદન કરવાની ઈચ્છાવાળો, ભક્તિપરાયણ શંખરાજ પોતાના અંત:પુર-પરિજન વર્ગ સાથે ગયે. તેમની પર્યું પાસનાથી પાપસમૂહને નષ્ટ કરીને હર્ષ પામેલા રાજાએ યોગ્ય સમયે પિતાની પત્ની કલાવતીને હસ્ત-છેદનની પીડા થવાનું કારણ પૂછયું ત્યારે કેવળી ભગવતે જણાવ્યું કે “હે રાજા ! તેનું કારણ સાંભળ. પૂર્વ દિશામાં કલ્યાણકટક નામનું નગર હતું. તે નગરમાં બલ્લોલ નામના રાજાના સત્યકી નામના મંત્રીની વિદ્યુમ્મુખી પુત્રી પિપટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy