SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ધ સતીત્વના પ્રભાવથી કલાવતીને થયેલ બંને ભુજાની પ્રાપ્તિ. [ ૨૦૯ ] ઘાયલ થયેલું તેણીનું વક્ષસ્થળ અવશ્ય બે કકડા થઈ ગયું હતું. રાજાથી દુઃખ પામવા છતાં કાંતિયુત અને અત્યંત દુભાયેલો હોવા છતાં મૃદ-કમળ બેલનારી આ કલાવતી સરખી નારી આ વિશ્વમાં કોઈ પણ સ્થળે જોવામાં આવતી નથી. શાપથી સમસ્ત રાષ્ટ્રને ભમીભૂત કરવાને શક્તિશાળી હોવા છતાં પતિપરાયણ, આ કલાવતી પતિ પ્રત્યે અંશ માત્ર રોષ કરતી નથી. પતિવડે આ પતિવ્રતા સ્ત્રી આપણા વનમાં ત્યજી દેવાઈ છે, તે આપણે તેનું પાલન (રક્ષણ) કરીએ. સ્ત્રીઓ હમેશાં સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારી હોય છે. ખરેખર, આ આપણે પ્રમાદ છે કે-આપણા વનની મર્યાદામાં આ કલાવતી બે ચાંડાલણીથી પરાભવ પામી.” આ પ્રમાણે તે વનદેવીઓ પરસ્પર બોલી રહી હતી ત્યારે પિતાના પુત્રનું લાલનપાલન કરવાને ઉત્સુક બનેલ કલાવતી વિહવળતાપૂર્વક વિલાપ કરવા લાગી કે-“હે પુત્ર! પગલે પગલે ક્યા દુઃખથી તું રડી રહ્યો છે? મારી કુક્ષીએ તું જે જન્મ્યો તે જ ખરેખર દુખનું મૂળ કારણ છે. હે પુત્ર! તું જે, છત્રીપલંગમાં સૂવાની તારા માટે વાત કરવી નકામી છે. અત્યારે તે પત્થરથી કઠોર એવી પૃથ્વી એ જ તારા માટે સુખશવ્યા છે. સુગંધી અને કંઈક ઉષ્ણ એવા જળથી સ્નાન કરવું તે દૂર રહ્યું છે, પરંતુ અત્યારે તે પહોળા પટવાળી, ઊંચા કિનારા(ભેખડીવાળી અને સુકાઈ ગયેલી આ નદી ડાકણ સરખી છે. જેનાથી તારી સુશ્રષા કરી શકાય તે મારા બંને હતે જ જ્યાં નથી ત્યાં બીજા પરિવારવર્ગની તે વાત જ શી કરવી? જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે છેદાયેલી, પતિથી ત્યજાએલી અને આશા રહિત હું આ નિર્જન વનમાં કેમ જીવી શકીશ? ભૂખ લાગવાથી શિકારી પશુઓ મને પીડા કરશે. અરે ! અરે ! ખેદની વાત છે કે-હું મરી ગયા પછી મારા બાળકનું શું થશે? હે પુત્ર! શાંત અને સર્વાગે સુંદર તું મને સેંકડો સંક૯પથી પ્રાપ્ત થયા છે, પરંતુ દૂરથી તારા અંગનું જેવું તે જ મારા માટે તે ઉત્સવરૂપ છે. મારા મૃત્યુ બાદ, તારા પિતા વૈરનો ત્યાગ કરીને તને અહીં રહેલે જાણીને શરમને અંગે કદાચ તારા પર મહેરબાની કરે, અથવા ગર્ભવતી એવી મારા વિષે પ્રેમરહિત અને દયાવિહીન યમરાજા સરખે તે રાજા તારે સ્વીકાર કેમ કરશે? બસ કર, બસ કર, હે બેટા ! તું રુદન કરતું બંધ થા. હું તારું પાલન કરીશ. હે વનરાજ ! તું રુદન કરતા બંધ થા. જે મેં સમ્યક્ પ્રકારે શીલ પાળ્યું હોય તે મારી બંને ભુજાઓ મને પ્રાપ્ત થાઓ, જેથી હું પુત્રનું પાલન કરી શકું.” આ પ્રમાણે વાત્સલ્ય, વિધુરતા અને ધીરજવાળી ગદગદ વાણી બોલતી તેણીના શિયળના પ્રભાવથી તે સમયે હુંઠા જેવા મહાવૃક્ષની બે ડાળી સરખી અને પહેલાં કરતાં અધિક શોભાવાળી બે ભુજાઓ પ્રગટી નીકળી એટલે પિતાના બંને હસ્તરૂપી સમૃદ્ધિ પ્રાપ્ત થવાથી હર્ષને અંગે પિતાના પુત્રને હૃદય સાથે ગાઢ આલિંગન આપી રહી હતી તેવામાં પૂર્વ દિશામાં २७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy