SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ --- - ----- - --- -- - - [ ૨૦૮ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૫ મે. સર્ગ સેળ. છે.” એમ વ્યાકુળતાપૂર્વક બેલતી, આશા રહિત બનેલી, કુમુદના જેવા નેત્રવાળી અને ઊંચી નીચી તેમજ કઠિન પૃથ્વી પર જેનો દેહ પડ્યો છે એવી કલાવતીને તે સમયે દેવયોગથી પુત્ર જન્મ થયો. પૂર્ણિમાના ચંદ્ર સરખા પુત્રના પવિત્ર (નિર્મળ) મુખને જોઈને તેના પ્રત્યે વાત્સલ્યભાવને કારણે પિતાની ભુજાના છેદનની પીડાને ભૂલી ગયેલ, પતિવ્રતા કલાવતી મંગલિકને માટે, પુષ્કળ ભરવ તથા ભૂતના ભયંકર સ્વરવાળા અને નિર્જન પર્વતવાળા તે વનપ્રદેશમાં ભક્તિપૂર્વક દેવ-ગુરુનું સ્મરણ કરવા લાગી. ર સર્ગ સેગમે. . Uપ છે wા [ કલાવતીને પુત્ર જન્મ અને શીલના પ્રભાવથી ભુજાની પ્રાપ્તિ ] ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦ સ્તનપાન કરવાને માટે રુદન કરતાં તે પિતાના પુત્રને પિતાના મેળામાં લેવા """"""""" માટે કલાવતી કોઈ પણ પ્રકારે શકિતમાન થઈ નહીં. કલાવતીથી મધુર સ્વરે વારંવાર બોલાવાયા છતાં પણ, માતાના હસ્તપર્શને પ્રાપ્ત નહીં કરવાથી તે બાળક કોઈપણ પ્રકારે રુદન કરતાં અટક્યા નહીં. આ પ્રમાણે કરુણુસ્વરે રુદન કરતાં તે બાળકને દૂરથી સાંભળીને કરુણાભાવથી વનદેવીઓ જલ્દી તેની નજીક આવી પહોંચી, અને પિતાના જ્ઞાન દ્વારા કલાવતીનું સમગ્ર ચરિત્ર જાણીને તે વનપ્રદેશની અધિષ્ઠાયક દેવીઓ પરસ્પર વાર્તાલાપ કરવા લાગી કે રાજાઓના આ રાજ્યને ધિક્કાર હો ! કારણ કે જે રાજ્યને કારણે રાજાઓ આંખેવાળા હોવા છતાં કૃત્યાકૃત્યને જોઈ શકતાં નથી. સામાન્ય વ્યક્તિ પણ કેળને ફળ આવી ગયા પછી જ છેદે છે જ્યારે શંખરાજાએ તે, કલાવતી સગભાં હોવા છતાં તેનું (હસ્તીનું) છેદન કરાયું. આ કલાવતીના એક હસ્તના જ અપરાધ છે કે જે હાથ શ ખનું પાણિગ્રહણ કર્યું તો શંખરાજાએ તેણીના બંને હાથે શા માટે છેદી નાખ્યા? જે તે રાજાએ સીહત્યા તેમજ ગહત્યા ન ગણી તો શું તે રાજા વજને બનેલો હશે કે જેથી પ્રેમ પણ તેને પીડા ઉપજાવી શક્યો નથી. જે કઈ ફકત એક જ વાર આ કલાવતીને જે તે પિતાના પ્રાણેના ભેગે પણ તેનું પ્રિય કરવાને ઈ છે તો આ જેના મહેલમાં રહી તે તેણનું પ્રિય કેમ ન કરે? પુત્રરૂપી તંતુથી જે સંધાયેલું ન હોત તે દુઃખરૂપી અસથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy