SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંડાલણીઓએ કલાવતીની અને ભુજાનુ કરેલ છેદન. [ ૨૦૭ ] નિર્જન વન-પ્રદેશને જોતી કલાવતીના ભયયુક્ત શાકે તેણીના વૃક્ષસ્થળ( છાતી )ને ચીરી નાખ્યુ. નદીના કિનારે આળેાટતી તેણી હસ્તના તાડનાપૂર્વક પૃથ્વીને સાક્ષી બનાવતી હોય તેમ મુક્ત કંઠે રડવા લાગી. ખરેખર ખેદની વાત છે કે- હૈ વિધિ ! તારી ગતિ જાણવી ઘણી જ મુશ્કેલ છે તેમ રાજાએાનુ વર્તન જાણવાને માટે વિદ્વાન પુરુષા સમ થઈ શકતા નથી. મને પૂરેપૂરા આત્મ-વિશ્વાસ છે કે–તમારે વિષે હું વિરાધભાવ ( દ્વેષભાવ ) ધરાવતી નથી, તેથી હું નાથ,! તમે આવા પ્રકારનું વર્તન કર્યું. હાવા છતાં ભાભવને વિષે જ મારા સ્વામી થાઓ ! હે પ્રાણેશ્વર ! તમે મારા પ્રાણાને હણ્યા છે તે ચેાગ્ય જ છે, કારણ કે સ્વામીને માટે વિપત્તિને સહન કરનારી સ્ત્રીઓ ધન્યવાદને પાત્ર છે. નજીકના સમયમાં જ મૃત્યુ પામવાવાળી હું તમારા મને ચરણાને યાદ કરી રહી હૈાત્રા છતાં ભયંકર સ્વરૂપવાળી શિયાલથી શિલા પર ચઢીને શામાટે રુદન કરી રહી છે ?—— “ કલાવતી દુરાચારિણી હતી, તેથી શંખ રાજાએ તેના ત્યાગ કર્યાં. ” આવા પ્રકારના, મારી કીર્તિ ને હણનારા અપયશ પ્રસરશે. કુળમર્યાદાના ત્યાગ કરનારા, તિરસ્કારને પાત્ર અને અપયશના ભાજન સમાન વ્યક્તિઓને માટે સ્વર્ગમાં તેમજ દેવાની સભામાં સ્થાન મળતુ નથી તે વાત ખરેખર સત્ય છે. હે પિતા! હે માતા ! તમારે ત્યાં મારા જે જન્મ થયેા તેથી તમારા નિષ્કલંક કુળમાં મે ડાઘ લગાડ્યો છે. અરે! તમને તેને શરમ તથા મારા પતિ તરફ્ના તિરસ્કાર પીડી રહ્યો છે. મારું વક્ષસ્થળ ચીરાઇ રહ્યું છે અને મારી ચેતના પણ ચાલી જાય છે. ” આ પ્રમાણે કરુણુ, દીન અને દુઃખદાયક સ્વરે રુદન કરતી કલાવતીની પાસે બે ચાંડાલણીઓએ આવીને કહ્યું કે—“ અરે ! પાપિણો ! ફાગટ રુદન કરવાવડે કાનાને શા માટે મહેરા બનાવી રહી છે ? ઊભી રહે, ઊભી રહે, શું તું તારું આચરણ જાણતી નથી ? હૈ કુલટા! તું યાદ કર, યાદ કર. તારા મંડન( આભષષ્ણુના )ના સ્થાનરૂપ હસ્તાને સ્થાને ખંડન કરવામાં આવે છે—અર્થાત અમે હમણાં જ તારા હસ્ત કાપી નાખશું. રાજાનું અપ્રિય કરનારી હે પાપીઇ! અમે તને શિક્ષા કરશું. "" આ પ્રમાણે તિરસ્કાર કરતી અને હસ્તમાં છૂરીને નચાવવી તે ખને ચાંડાલણીએને જોઇને, જેના પ્રાણા કઢે આવી ગયા છે તેવી કલાવતી જલ્દી મૂર્છા પામી. અત્યંત કંપારી થવાથી પ્રગટેલા ભયાનક ( રોદ્ર ) રસે તે સમયે દશા ભદ્ર રાજાની પુત્રી કલાવતીના દેહને શિથિલ બનાવી દીધા અર્થાત્ તેણીનાં ગાત્રા ઢીલા અની ગયા. યમરાજના સેવકા જેવી, કષાય (રાતા ) અને ધારણ કરનારી તેમજ કરુણા રહિત તે અને ચાંડાલણીએ, તેવી અવસ્થામાં રહેલી કલાવતી પાસે જલ્દી પહેાંચી અને તેણીના અને ( કાણી. પતના) હસ્તને કાપીને, તે અને ભુજાઓને લઇ જઇને, શખરાજા પાસે આવી પહેાંચી. અને ભુજાઓના છેદનથી પ્રગટેલ અધિક પીડાને કારણે સ`જ્ઞા પામેલી, છેદાયેલી અને ભુજાઓને ધારણ કરતી, સ્વામીની નિર્દયતાને કારણે મૃત્યુ સન્મુખ પહોંચેલી કલાવતીએ મઢ અને કરુણ સ્વરે રુદન કર્યું. “ સર્વ પ્રકારે જીવનમાં ધર્મ જ એક માત્ર શરભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy