SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૬] શ્રી દમયંતી ચરિત્રઃ આંધ ૫ મે. સર્ગ પંદરમે. થવા લાગ્યું. રાજાના આદેશથી ગાઢ વનપ્રદેશમાં કલાવતીને ત્યજી દેવાને ઇચ્છતા રોષણ નામના સારથિનું મન ઘોડા હાંકવાને ઇચ્છી રહ્યું હતું, છતાં તેને હસ્ત તેવા પ્રકારનું કર્મ કરવા ચાહતા નહોતા. કલાવતીના દુઃખને નહીં જવાને માટે અંધકારરૂપી કાજળથી ઢંકાયેલી આકાશ અને પૃથ્વીરૂપી દેવીઓએ જલદીથી પોતાના મુખને ઢાંકી દીધું અથોત સર્વત્ર અંધકાર વ્યાપી ગયે. અહિં કલાવતીનું મન શંકા રહિત હોવા છતાં અને તે વનપ્રદેશ નિર્જન હોવા છતાં ભયને કારણે તેણીનું જમણું નેત્ર અત્યંત ફરકવા લાગ્યું. આવા પ્રકારના અપશુકનને લીધે અત્યંત દુઃખી બનેલ કલાવતીએ સારથિને વારંવાર પૂછયું કે-“ હજી પણ સ્વામી કેટલે દૂર છે?” ત્યારે ગભરાયેલ અને વ્યાકુળ તેણીને નિર્લજજ સારથિએ, જડતાને કારણે, કઠોર વાણીથી કહ્યું કે-“હે દેવી ! સ્વામીના કાર્યને અંગે જેઓને પિતાના પિતા, ભાઈ અને પુત્ર હણવા લાયક બને છે તે અમારી જેવા સેવકને જન્મ ધિક્કારને પાત્ર છે! તો દુઃખપૂર્વક ભરી શકાય તેવા ઉદરને માટે હંમેશાં સર્વ પ્રકારનાં પાપને કરતાં એવા અમો પરાધીન પ્રાણીઓ પર પ્રસન્ન થાઓ! તું અમને મન, વચન અને કર્મથી પૂજનિક છે તો પણ મારા મનને વજ જેવું બનાવીને હું કહું છું તે સાંભળો “સ્વામીના આદેશથી દૂર શિકારી પશુઓથી વ્યાપ્ત આ વનપ્રદેશમાં તમારે ત્યાગ કરીને, લજજા પામતો હું જલ્દી ચાલ્યો જઈશ, હે પૂજ્ય ! તારા જેવી સગર્ભા સાધ્વી સ્ત્રી પ્રત્યે રાજાનું હૃદય કેમ વિરોધી બન્યું છે તેનું કારણ હું જાણતો નથી. આ બાજુ સુકાઈ ગયેલી નદી છે અને આ નદીથી થોડે દૂર હાડકાઓથી કઠોર અને નરકના પાથડાઓથી પણ દુઃખદાયક નદીને કિનારે છે, તે તું અહીં બેસ. અહીં રહેલી એવી તને કદાચ તારું દુદેવ જીવતી રાખે. જે કે તું રક્ષણ કરવા લાયક હોવા છતાં પણ રક્ષણ નહીં કરવાને માટે તું રાજાવડે અમને સુપ્રત કરાઈ છે અર્થાત્ રાજાના આદેશથી અમે તારું રક્ષણ કરવા સમર્થ નથી. ” આ પ્રમાણે શિલાના પાત સરખા તેના ઘર વચનને સાંભળીને ભયને લીધે અંધાયેલ વાણીવાળી કલાવતીની ગળું તેમજ હેઠ અચાનક સુકાઈ ગયા. પછી કાદવના સરખા મલિન દેહવાળી તેને રથમાંથી નીચે ઊતારીને, સારથી એ, મૃગલાની માફક તેણીને તે શૂન્ય સ્થાનમાં નદીના કિનારે ત્યજી દીધી. બાદ જદી જવાને રજા માગતા એવા તે સારથીને વિશેષ ગંભીરતાને લીધે જેને ક્રોધ ઢંકાઈ ગયું છે એવી વિચક્ષણ કલાવતીએ કહ્યું કે-“હે પૂજ્ય! મારી આવા પ્રકારની સ્થિતિને શોક કરવાની જરૂર નથી કે જેણીના દુઃખમાં ભાગ લેવાને માટે તમારા જેવા દયાળુ વિદ્યમાન છે. જે મારા પ્રાણુનાશથી પણ મારા સ્વામીનું મન પ્રસન્ન કરાતું હોય તો તથા પ્રકારના વર્તનથી પણ મારા જીવિતવ્યનું કંઈક ફળ મેં પ્રાપ્ત કર્યું છે, તે છે આર્ય! જ્યાં સુધીમાં હું પરલોક પ્રયાણ ન કરું તે પહેલાં ધીરજને ધારણ કરીને જલ્દી ચાલ્યો જા.” આ પ્રમાણે કહેવાયેલ સારથિ અશ્રુને સારો અને કલાવતીના દુઃખથી દુઃખી બને અને તેણીના ભવિષ્ય સંબંધી કંઈક વિચારણા કરતે ચાલી નીકળ્યો. તે સારથિ ચાલ્યા જવા બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy