SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શંખ રાજાએ શત્રુ રાજાનો કરેલ પરાભવ. [ ર૦૩] જલદી શંખરાજાને વરી. લોકો સમાન ગુણવાળા તે બંનેની હર્ષપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા ત્યારે સ્વયંવર મંડપમાં આવેલા રાજાઓના હદયમાં ઈર્ષારૂપી વરે પ્રવેશ કર્યો, અર્થાત બધા રાજાઓ શંખ રાજવી પ્રત્યે ઈર્ષાળુ બન્યા. હદયમાં ગાઢ રોષવાળા અને બહારથી હર્ષ બતાવતા તે બધા રાજાઓ, રસ્તામાં જ શંખ રાજાને રોકી લેવાની ભાવનાથી દશાર્ણ રાજની રજા લઈને ચાલી નીકળ્યા. લગ્નોત્સવની વિધિ પૂર્ણ કરીને કલાવતી સાથે સ્વદેશ તરફ જતાં શંખ રાજાની સાથે જ માર્ગમાં જ શત્રુ રાજાઓએ યુદ્ધ શરૂ કર્યું. તે સ્થળે ધૂળથી સૂર્યને ઢાંકી દેતું અને શબ્દના સ્પર્શ માત્રથી હસ્તી, અશ્વ, રથ અને સૈનિકવર્ગને જાણી શકાય તેવું મહાયુદ્ધ થયું. જેમ કાષોથી અગ્નિ દેદીપ્યમાન બને તેમ શત્રુઓના પડતા એવા અને મર્મસ્થળને ભેદનારા બાણથી શંખરાજાને વિયરૂપી અગ્નિ પ્રજવલિત થઈ ગયે. જેમ પતંગીયાઓથી ઘેરાયેલ મહાવૃક્ષ ન જોવામાં આવે તેમ શત્રુઓના બાણથી ઢંકાયેલ શંખરાજવીને કોઈ જોઈ શકતું નહોતું અર્થાત તેના પર પુષ્કળ બાણવૃષ્ટિ થવા લાગી. એટલે મહાપરાક્રમી શંખ રાજાએ, પ્રિયંવદ ગાંધર્વે આપેલ સંમેલન નામનું મહાબલીઝ અસ્ત્ર મૂકીને શંખ ફેંકે ત્યારે જેમ રાત્રિ કમલોને સંકેચ પમાડે તેમ દુશ્મન સૈનિકના ને ગાઢ રીતે બીડાઈ ગયા અર્થાત્ શત્રુઓ નિદ્રામાં પડ્યા. બાળકથી પણ પકડી શકાય તેવા તેઓને દેખાડતા શંખરાજાએ કલાવતીને જણાવ્યું કે“યુદ્ધદ્વારા આ લેકે, મારા હાથમાં રહેલી તને ગ્રહણ કરવાને ઈરછે છે. ” ત્યારે સ્વામીના વિજય સંબંધમાં પૂર્વે જાતિ યુકત બનવાથી હાસ્ય રહિત મુખને વહન કરતી અને શરમથી ઘેરાયેલી કલાવતીએ સખીમુખદ્વારા સ્વામીની પ્રશંસા કરી. પછી શંખરાજાએ તે રાજાઓની વજાઓને વિષે પિતાના બાણના અગ્રભાગથી નીચે પ્રમાણે અક્ષરપંકિત લખી કે-“દયાને અંગે હું તમારા જીવિતને ત્યજી દઉં છું; ( તમને જીવતાં છોડું છું, પરંતુ તમારા યશને તે હરી જ લઉં છું.” પછી પ્રિયા સાથે શંખ રાજા કિલાથી રક્ષાયેલ પોતાના નગરમાં આવી પહોંચે અને ઉપરાઉપરી થતાં અનેક ઉત્સવો દ્વારા દિવસો વ્યતીત કરવા લાગ્યું. બંને નેત્રોની માફક શંખ તથા કલાવતીનો ઉત્કૃષ્ટ પ્રેમ નિરન્તર વૃદ્ધિ પામવા લાગ્યા. સનેહી શંખરાજા સાથે નિર્દોષભાવે ક્રીડા કરતી કલાવતીને, દેહને પુષ્ટ કરતો ગર્ભ રહ્યો. તે અવસરે તેના પિતાના ગૃહેથી મોકલાવાયેલ અંતઃપુરવાસી ઉત્તમ પુરુષ માંગવિધિ (સીમંતવિધિ) કરવા માટે આવે. તે જ દિવસે શંખરાજા વનક્રીડા કરવા માટે ગયા હતા અને તે જ સ્થળે વિદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy