SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શંખરાજાનું સ્વયંવર મંડપમાં આગમન. ૨૦૧૭ સરસ્વતીની કૃપાથી અત્યંત બુદ્ધિશાળી બનેલ શંખરાજ પદ અને વાકયની પૂર્તિ કરવામાં અસાધારણ શક્તિશાળી બન્યા. બાદ ગરુડ નામના તે દૂતને અગાઉથી રવાના કરીને શંખરાજા ગજસાધુ સાર્થવાહની સાથે કલાવતીના સ્વયંવરમાં જવા માટે ચાલી નીકળ્યા. રેવા નદીના કિનારે પિતાના સૈન્યને પડાવ નાખીને શંખરાજા રહ્યા હતા તે વખતે નદીના જળમાંથી એક મહાહસ્તી ( ગંધહસ્તી) જલી બહાર નીકળે. અને રાજાના હસ્તી સમૂહને જોઈને તત્કાળ તે ગંધહસ્તીની, જળસ્નાનથી દેવાઈ જવા છતાં પણ મદલક્ષમી શોભી ઊઠી અર્થાત તેને અત્યંત મદ ઝરવા લાગ્યા. ઘડાઓથી ઘોડાઓને હણતા અને જેની સાથે રથને અફળાવતા તે હસ્તીએ સમસ્ત સંન્યસમૂહને વ્યાકુળ બનાવી મૂકયું. આ પ્રમાણે હુમલે કરતાં અને મદોન્મત્ત બનેલા તેમજ યમરાજ સરખા તે હસ્તીને, અવધ્ય હોવા છતાં, શંખરાજાએ શિક્ષા કરવાને માટે તેને કંઈક તાડન કર્યું. ગંડસ્થળમાં પડેલા બાણને પર્વતના શિખર સમાન વહન કરતાં તે ગંધહસ્તીએ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યુંજેને જોવાથી અન્ય વિસ્મય પામ્યું. પિતાના સામર્થ્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય પુપની શંખરાજા પર વૃષ્ટિ કરીને પોતાના દંતસમૂહની કાંતિથી મોતીઓને વેરતે તે બે કે હે રાજન! ગંધર્વોના સ્વામી પ્રિયદર્શનના પ્રિયંવદ નામના પુત્ર તરીકે તું મને જાણે. પૂર્વે મારી વિદ્યાધરીઓ સાથે નિર્લજજતાપૂર્વક ક્રીડા કરતાં મેં માતંગ નામના મહામુનિનો તિરસ્કાર કર્યો હતે, એટલે રોષે ભરાયેલા તેણે શાપ આપવાથી હું મદોન્મત્ત હસ્તી બની ગયે. પછી ફરીથી તેમને વિનતિ કરવાથી તે મહામુનિએ મને જણાવ્યું કે –“જ્યારે મદ્ર દેશને સ્વામી શંખરાજા તને પ્રહાર કરશે ત્યારે તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરીશ. આજે તે શાપનું નિવારણ થવાથી હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. હે રાજન! ઉપકારી એવા આપનું હું કંઈ પણ પ્રિય કરવાને ઈચ્છું છું. હું આપને પ્રસ્થાપન નામનું ગાંધર્વ–અસ્ત્ર આપું છું તે સ્વીકારે. આ અસ્ત્રના પ્રાગ કરનારને અહિંસા અને વિજયરૂપી બને ફલ પ્રાપ્ત થાય છે. (આ અશ્વના ફેંકવાથી પ્રતિપક્ષ ઊંઘમાં પડે એટલે તેઓની હિંસા ન કરવી પડે અને વિજય પ્રાપ્ત થાય.) આ પ્રમાણે પ્રિયંવદથી પ્રાર્થના કરાયેલ શંખ રાજાએ પોતે તેના મુખથી અસ્ત્ર-મંત્ર સારી રીતે ગ્રહણ કર્યો. આવા પ્રકારે તે વનપ્રદેશમાં મિત્રાચારીથી બંધાયેલા તે બંનેમાંથી એક ગંધર્વપુત્ર પ્રિયંવદ પિતાના દિવ્ય પ્રદેશમાં ગયે અને શંખ રાજવી અત્યંત સમૃદ્ધિ શાળી દશાર્ણદેશમાં ગયે. એટલે સામે આવેલ વિજયસેન રાજાથી અત્યંત આદરભાવપૂર્વક કરાવેલ આતિથ્થવાળા શંખરાજાએ, (સમસ્યા-પૂર્તિ માટે) આતુર હોવા છતાં પિતાના તંબુમાં પથારીમાં જ રાત્રિ વ્યતીત કરી. બાદ માંગલિક વૃત્તિથી પ્રાત:કાળ સંબંધી ક્રિયા સારી રીતે કરીને, પિતાને ઉચિત વેશ પહેરીને, શંખરાજા મહામૂલ્યવાળા માંચડા પર બેઠેલા રાજ-સમૂહવાળા સ્વયંવરમંડપમાં જલદી આવી પહે, - ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy