SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મ. સર્ગ તેરમો, રાજન! ત્યારબાદ તે કુમાર મને પિતાની સાથે લઈ ગયે અને વજા તેમજ પતાકાથી શણગારાયેલ તેની નગરીમાં હું દાખલ થયે. પિતાને પ્રણામ કરીને સભામાં બેઠા બાદ પૂછાવેલા તેણે પિતાનું અશ્વથી અપહરણ કરાયા સંબંધીનું સમસ્ત વૃત્તાંત હર્ષપૂર્વક કહી સંભળાવ્યું–“હે પિતા ! અશ્વથી હરણું કરી જવાયેલ હું નિર્જન વનમાં લઈ જવાયો. ઘોડા પર ચઢેલે હું શ્રમને લીધે ચેષ્ટા રહિત બની ગયો હતો. લતાના સમૂહમાં વીંટળાઈ ગયેલ લગામવાળો મારો અશ્વ ત્યાં જ ઊભું રહી ગયે અને ડાળીઓ સાથે અથડાવાથી નિશ્રેષ્ઠ બનેલ હું પૃથ્વી પર પડી ગયે. સિંહ અને વાઘથી વ્યાપ્ત તે વનમાં ચેષ્ટા રહિત બનેલ મારી નજીકમાં ભાગ્યયોગે આ ગજસાધુએ પિતાને પડાવ નાખ્યો હતો. જે તે સમયે નિષ્કારણ બંધુ એવા આ સાર્થવાહે મારી રક્ષા ન કરી હોત તો હું આજે જીવતે ક્યાંથી હેત ? હે પિતાજી ! આપ સરખા પ્રાપ્ત થયેલા આ સાધુપુરુષથી, મને જીવતદાન આપવાવડે કરીને હું મરણ પર્યન્ત તેનાથી ખરીદાયો છું અર્થાત્ જિંદગી પર્યત હું તેનો ઋણી .” આ પ્રમાણેના સુવર્ણ બાહના કથનથી, મને બંધુ સરખે માનીને, તેમજ સામંતની પદવી આપીને કોઈપણ સ્થળે જવાની મને આજ્ઞા આપી નહીં. તે નગરમાં પ્રતિષ્ઠાપાત્ર મારા તથા પ્રકારના વિશ્વાસુપણાને લીધે સમગ્ર સુંદર રાજકાર્યોમાં મને મુખ્ય સ્થાન આપવામાં આવતું. તે રાજાને કલાસમૂહના મંદિરરૂપ અને સુવર્ણ બાહુથી નાની કલાવતી નામની પુત્રી છે. હે દેવ! તે કલાવતીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે –“જે કઈ મારી ચાર સમસ્યાઓની પૂર્તિ કરશે તે મારો સ્વામી બનશે.” તે કાર્ય માટે અનેક રાજાઓને બોલાવવામાં આવ્યા છે અને મેં પણ આપની બુદ્ધિની તીક્ષણતા તો જાણેલી જ છે, એટલે આપને આમંત્રણ આપવા માટે દશાર્ણ પતિએ મારી સાથે પિતાને ગરુડ નામને દૂત મોકલે છે, હું પણ સાર્થને લઈને સ્વદેશ તરફ શીધ્ર તેની સાથે અહીં આવી પહોંચે છું. હવે આપને યોગ્ય લાગે તેમ કરે. આ ચિત્રપટમાં આળેખેલું તેણીનું સ્વરૂપ તે માત્ર છાયારૂપ જ છે અને આપની પ્રોતિને માટે હું તે ચિત્રપટને સાથે લેતે આવ્યો છું ” આ પ્રમાણે ગજસાધુ સાર્થવાહના મુખરૂપી ચંદ્રથી પ્રગટેલ વાણીરૂપી અમૃતનું પાન કરીને તેની સમક્ષ જ તે દૂતને રાજાએ અતીવ સત્કાર કર્યો. કલાવતીની કલા, કીર્તિ તથા લાવણ્યને વિચાર કરીને શંખરાજાએ સ્વયંવરમાં જવા માટે વિશેષ પ્રકારે તૈયારી કરી. “હું કઈ રીતે તે સમસ્યાઓની પૂર્તિ કરીશ?” એમ વિચારીને રાજાએ સરસ્વતીના મંત્રને એક લાખ વાર જપ કર્યો એટલે શક્તિશાળી, નિર્મળ અને ધનુષ તથા ચક્રની આકૃતિ યુક્ત અને બિંદુ ( અનુસ્વાર) સહિત ( ) સારસ્વત મંત્ર જાપ કરતાં તે રાજાએ સરસ્વતીનું સાક્ષાત્ દર્શન કર્યું એટલે મેતીની માળા જેવા નિર્મળ કમંડલુના જળથી રાજા પર છંટકાવ કરીને જગન્માતા સરસ્વતી દેવી અંતર્ધાન થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy