SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કલાવતીનું વૃત્તાંત. [ ૧૯૯] ચરિત્ર સાંભળે તે તું આવી પડેલા દુઃખને માટે આ રીતે શેક ન કરે. સાંભળ, હું તને કલાવતીનું વૃત્તાંત કહું છું, જે સાંભળીને તું તારી જાતને દુઃખી માનશે નહિં. જાવાલપુરમાં સુખના સાગર સમાન, ઔદાર્ય તથા વૈર્ય વિગેરે ગુણેથી મનોહર, કલાવાન, વિનયી અને ન્યાયપરાયણ શંખ નામનો રાજા હતે. રૂપથી કામદેવને જીતનાર અને પરાક્રમથી દુશ્મનને સંહાર કરનાર તે નિશ્ચિત રાજાના દિવસો વિદ્ધ જનેની સાથે વાર્તાલાપ કરવામાં પસાર થતા હતા. એકદા નગરના પ્રાંતભાગમાં જમણ કરતાં તે રાજાના સિન્યના અોથી જાણે ઉડાડેલી હોય તેવી વનિયુક્ત રજેરાશિ તેને દેખાયો. ત્યારે “ આ શું છે?” એમ જાણવાને માટે રાજાથી ફરમાવેલા ઘોડેસ્વારોએ તે હકીકત જાણું લઈને, અંજલિ જોડીને પ્રસન્નતાપૂર્વક રાજાને જણાવ્યું કે “હે રાજન! આપણા નગરને રહેવાસી સાર્થવાહ, પરદેશથી ઉત્તમ વસ્તુઓ લઈને કુશળતાપૂર્વક આવી પહોંચે છે. હે રાજન ! શ્રીમંતેમાં શ્રેષ્ઠ આ ગજસાધુ નામના સાથે વાત આ૫નું દર્શન કરવાને આવ્યું છે, તે આપ મહેરબાની કરો, તેને આવવાની આજ્ઞા આપે.” આ પ્રમાણે હકીકત સાંભળીને, તેના નામપૂર્વક ગજસાધુ શ્રેષ્ઠીને બેલાવીને, સરોવરને કિનારે વૃક્ષની નીચે બેઠેલા રાજા તેને મળ્યા. ગજસાધુ શ્રેણીઓ સાથે લાવેલ મહામૂલ્યવાળું ભેટણું કર્યું, એટલે તે સ્વીકારીને પ્રસન્ન બનેલા રાજાએ તેનું દાણ (જકાત) માફ કર્યું. બાદ સજજન તે શ્રેષ્ઠીએ પેટી ઉઘાડીને તેમાંથી અનેક વસ્ત્રોથી વીંટળાયેલ ચિત્રપટ રાજાને બતાવ્યું. તે ચિત્રપટમાં ચિતરેલ નારીને જેતે રાજા અસાધારણ રૂપને લીધે સ્વગગના માનીને જોવામાં તેને નમસ્કાર કરવાને તૈયાર થયા તેવામાં રાજાને તેમ કરતાં અટકાવીને સાર્થવાહે જણાવ્યું કે હે રાજન ! આપને યોગ્ય આ દેવી છે. તેનું વૃત્તાંત સાંભળો આપના નગરથી નીકળીને દશાર્ણ નામના દેશમાં જતાં વિદિશા નામની નગરીની નજીકમાં રહેલા વનપ્રદેશમાં પડાવ નાંખીને પહેલા મને સાયંકાળે મારા નોકરોએ મને જણાવ્યું કે“ અહીં લતાના સમૂહમાં લગામ વીંટળાઈ જવાથી અટકી ગયેલ કોઈ એક અશ્વ રહેલે છે અને તેની પાસે પૃથ્વી પીઠ પર ચેષ્ટા રહિત પડેલો તેને સ્વાર છે.” પછી મેં તે રવારને ઘેડા રહિત મારા તંબુમાં મંગાવીને, મારા સેવકવર્ગદ્વારા ઉપચાર કરાવીને, જલ્દી સ્વસ્થ બનાવ્યો. બીજે દિવસે સવારે તે સવારના પગલે પગલે અનુસરતું તેનું સૈન્ય આવી પહોંચ્યું તે કુમાર વિજયસેન રાજાને યુવરાજ હતા. અવવડે અપહરણ કરાવાથી તેણે તેવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી. તે કુમારનું નામ સુવર્ણબાયું હતું. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy