SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્યન્તને પત્ની તથા પુત્રની થયેલુ પ્રાપ્તિ. [ ૧૯૭ ] ,, આ પ્રમાણે તે અને સખીએ ખેલી રહી હતી તેવામાં તે અને શકુન્તલા અને દુષ્યન્ત એકબીજાને દૂરથી જ શીઘ્ર જોવા લાગ્યા. એટલે તે બંનેનુ ગાંભીર્ય, કરુણ, ઉત્સુકતાવાળુ, શરમ અને હર્ષોં વ્યાપ્ત તેમજ સખીઓને પણુ ઇચ્છનીય એવું ઢષ્ટિમિલન થયું. “ ખરેખર, આજના દિવસ ધન્ય છે કે આ પુત્ર આપ જયવતા વર્તી છે. આ પ્રમાણે ખેલતી શકુન્તલાને દુષ્યન્ત રાજાએ જણાવ્યું કે—દ્ધ પૂર્વે સ્મૃતિભ્રંશને કારણે મે જે કઇ તારા અપરાધ કર્યો છે તેને હું પ્રિયા ! તુ માક્ કર, આવી મારી નમ્ર વિજ્ઞપ્તિ છે. હે દેવી! તે જ ખરેખર મારા માટે મહાભાગ્યના વિષય છે કે—તમે પુત્રના પ્રેમના કારણે તમારા દેહના ત્યાગ કર્યા નથી. હે કૃશેાદરી ! આજે હુ પુત્ર તેમજ પત્નીવાળા થયા છું. દુ:ખને લીધે જીવવા છતાં પણ મૃત્યુ સુધી પહોંચેલી તુ આજે મને જીવતી પ્રાપ્ત થઈ છે. માછીમારના હાથથી પ્રાપ્ત થયેલી મુદ્રિકાāારા તારું મરણ થયું તે હવે ફરીથી આ મુદ્રિકા તારી આંગળીને શેાભાવે ” આ પ્રમાણે સાંભળીને અશ્રુપ્રવાહને રોકતી. શકુન્તલા ગદ્ગદ વાણીથી દુષ્યન્તને કહેવા લાગી કે—“ કે આ પુત્ર! હું શા માટે મારા દેહને ત્યાગ કરું ? હે નાથ ! મૃત્યુ પામેલી મને તમારા દન ફ્રીથી કયાં થાય ? હે નાથ ! દેવયેાગથી તમારા સ્મૃતિપથમાં આવેલી મને, વિશ્વાસુ જનનેા ઘાત કરનારી આ મુદ્રિકા શા માટે આપેા છે ? હે સ્વામિન્! જે તમે પ્રસન્ન થયા છે. તેથી આ મારા સદુમન નામને પુત્ર આજે પિતાયુક્ત બન્યા છે અને હું પણ પતિવાળી અની છું. ” આ પ્રમાણે તે અને દંપતી પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં સમય જાણીને માતિલ સારથિ ત્યાં આવ્યા અને એલ્સે કે—“ લાંબા સમયે પત્ની યુક્ત બનેલા, હૃદયરૂપી કમળને વિકસિત કરવામાં ચદ્ર સરખા તથા તમારી જેવા જ પરાક્રમશીલ સર્વઢમન નામના પુત્ર યુક્ત બનેલ આપ વિજયવંત વર્તો. હું આયુષ્મન્ ! જ્ઞાનદ્વારા તમને અહીં રહેલા જાણીને મરીચિ ઋષિ તમને સહકુટુંબ જોવાને ઇચ્છે છે, ચાલેા. ” એટલે પત્ની અને પુત્ર સહિત વિચક્ષણુ દુષ્યન્તે શીઘ્ર તે સ્થળે જઇને મરીચિઋષિના અને ચરણામાં પ્રણામ કર્યાં. આપ જલ્દી બાદ વાર્તાલાપ કરીને, ગુરુવડે સત્કારાયેલ દુષ્યન્ત રાજા વિનયપૂર્વક એલ્યેા કે “ હે પૂજ્ય ! આપની મહેરખાનીથી હું લાંબા સમયે પત્નીને પ્રાપ્ત કરી શકયા છું. ખરેખર, હું આજે કૃતકૃત્ય બન્યા છે, પરન્તુ આ સંબંધમાં મારે આપને કંઇક પૂછવું છે. પૂર્વે શકુન્તલા મને મળવા છતાં પણ હું તેને એળખી શકયા નહી, પરન્તુ મુદ્રિકાને જોઇને તે મારા સ્મૃતિપથમાં આવી તેનું કારણ શું? ” આ પ્રમાણે રાજાથી પુછાયેલ શ્રેષ્ઠ મરિચી ઋષિએ રાજાને દુર્વાસા ઋષિના શાપથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy