SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પાંચમે. સર્ચ બારમે. અર્ધાસન પર બેસાડ્યો. બાદ તે તે પ્રકારને મધુર વાર્તાલાપ કર્યા બાદ રજા લેતા દુષ્યન્ત રાજાને દિવ્ય વરતુઓ બક્ષીસ આપીને ઇ તેમને વિદાય કર્યો. આકાશમાર્ગમાં તથા પ્રકારના આવતાં દિવ્ય સ્થાનેને માતલિએ આશ્ચર્યથી વિકસિત નેત્રવાળા દુષ્યન્ત રાજાને કહી સંભળાવ્યા “હમેશાં ફલ-સંપત્તિને ધારણ કરનારા દશ પ્રકારનાં કલ્પવૃક્ષવાળા આ વનમાં લાખ તાપસ રહે છે. આ વનમાં પૂજ્ય, શ્રેષ્ઠ વિદ્યાધરોથી નમસ્કાર કરાયેલા અને ઇંદ્રના ગુરુ મરિચી નામના ઋષિ તપશ્ચર્યા કરી રહ્યા છે.” આ પ્રમાણે સાંભળીને, રથનો ત્યાગ કરીને, મરિચી ઋષિને વંદન કરવાની ઈચ્છાથી દુષ્યન્ત રાજાએ, અવસર જાણવાને માટે માતલિ સારથિને તે કષિ પાસે મોકલ્યા. તેવામાં ત્યાં રહેલા દુષ્યન્ત રાજાએ બે સીએથી અનુસરાતા અને ચાલ્યા આવતા એવા પાંચ વર્ષના કોઈ એક બાળકને જોયે. રાજાના દેખતાં છતાં તે બાલકે માતાને સ્તનપાન કરતાં સિંહના તે બચ્ચાને પિતાની હથેળીથી તાડન કર્યું અને તે બચ્ચાંને કહ્યું કે-“તારું મુખ ઊઘાડ, મારે તારા દાંત ગણવા છે.” આમ કહીને તે બાળક બળપૂર્વક પિતાની આંગળીથી તેનું મુખ ઊઘાડવા લાગ્યા. બંને સ્ત્રીઓથી અટકાવવા છતાં પણ તે બાળકે સિંહણને લેશ માત્ર ભય રાખે નહીં. બાદ તે બાળકને ખેંચીને તે બંને સ્ત્રીઓ દૂર લઈ જતી હતી ત્યારે તે કુમારના કાંડામાંથી કંકણું (કડું) નીચે પડી ગયું, તે વલયને ભૂમિ પર પડેલું જાણુને તે બંને સ્ત્રીઓ તે વલય તેના હાથમાં પહેરાવી શકતી નહતી એટલે તે બાળક ઉત્ક્રોશ નામના પંખીની માફક આક્રોશ કરવા લાગ્યા. શ્રીવત્સના ચિહૂનવાળા તે બાળકને જોઈને રોમાંચિત બનેલ દુષ્યન્ત સનેહાવેશને કારણે ભૂમિ પર પડેલા તે કંકણને તેના હાથમાં પહેરાવી દેવાની ઈચ્છા થઈ એટલે કંકણને તેના હાથમાં પહેરાવી દીધું ત્યારે તે કુમારને રાજાને સેંપીને બંને સ્ત્રીઓએ રાજાને જણાવ્યું કે “ખરેખર હર્ષની વાત છે કે–ચંદ્રવંશના આભૂષણરૂપ દુષ્યન્ત રાજા તમે જ જણાઓ છે. આ તમારો સર્વદમન નામનો પુત્ર છે. મરિચી ઋષિએ આપેલ આ ઓષધિનું બનેલું વલય તેના હાથમાંથી પડી જવા બાદ તેને સ્પર્શ કરવાને કોઈપણ વ્યક્તિ સમર્થ થઈ શકતી નથી. આ બાળકના માતા-પિતા સિવાય બીજી કોઈપણ વ્યક્તિ આ વલયને જે સ્પર્શ કરે તે તે તક્ષણ બળીને ભસ્મ થઈ જાય. વધારે જણાવવાની જરૂર નથી કે-શકુન્તલા આજે સ્વામી યુક્ત બની છે. પૃથ્વીમંડલ પર વિચરતી ભાનુમતીના મુખદ્વારા વિગિની શકુન્તલા તમારી વિરહાવસ્થા જાણે છે, તે પિતાની માતા મેનકાના નિવાસસ્થાનમાં રહેતી શકુન્તલાને તમને જોઈને એક વેણ વ્રતને નિયમ ( જ્યાં સુધી પતિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કેશની વેણ ન બાંધવી તે) પૂર્ણ થાઓ. મરિચી ઋષિને વંદન કરવાને માટે જતી એવી કમળ નેત્રવાળી અને કલ્યાણી એવી શકુન્તલા આ તરફ જ આવતી જણાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy