SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્યન્ત કરેલ રાક્ષસોને પરાજય. [૧૯૫] પછી રાજાએ તે અદૃશ્ય વ્યક્તિને ઉદ્દેશીને કહ્યું કે- “હે રાક્ષસ! ઊભો રહે, ઊભું રહે. ક્યાં જાય છે? અદૃશ્ય એ તું મારી નજરે પડતો નથી, પરંતુ શત્રુઓના મસ્તકેને છેદવાથી રક્તવણું બનેલા મારા બાણેને તે તું પ્રત્યક્ષ છે અર્થાત્ મારા બાણે હમણાં તને હણી નાખશે.” આ પ્રમાણે ભ્રકુટી ચઢાવીને બોલતાં દુષ્યન્ત રાજાએ ધનુષ ચઢાવ્યું એટલે માતલિ (ઈન્દ્રનો સારથી ) જદી તે બ્રાહ્મણને ત્યજી દઈને પ્રત્યક્ષ થયો અને હાસ્યપૂર્વક રાજાને જણાવ્યું કે- “હે મિત્ર! તમારા ધનુષને ઊતારી લે અને જલદી મારી સામું જુઓ. મિત્ર પ્રત્યે સજજનોના કર્ણ પર્યન્ત દીર્ઘ નેત્રો પડે છે, પરંતુ તેના બાણે પડતા નથી અર્થાત્ તું મને તારો મિત્ર સમજ.” અરે આ શું? અરે! ઇંદ્રના સારથિ માતલિ ! હવે તારું કુશળ કઈ રીતે હેઈ શકે?” આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે આક્ષેપ કરતાં રાજાને રોકીને અને આલિંગન આપીને માતલીએ તેમને જણાવ્યું કે –“આયુષ્માન અને દયાળુ તમારા રસમાં (આનંદમાં) મેં વિન ઉપસ્થિત કર્યું છે. હે રાજન! આજે તમે જરદી તૈયાર થાવ, ઇંદ્રના આદેશથી વૈતાઢ્ય પર્વતના સીમાડામાં રહેલ રાક્ષસના વધને માટે તમે તે તરફ પ્રયાણ કરો.” આ પ્રમાણે બોલીને, મહાબલીષ રાજાને પોતાના રથમાં બેસારીને, કંઠમાં માળા પહેરેલ અને પિતાના રથના ચક્રના ઘાતથી પૃથ્વીને ચૂર-કંપાવતે માતલી ચાલી નીકળે. છે સ બારમો. રાજા દુષ્યન્તને થયેલ પુત્ર તથા પત્નીને મેળાપ. માતલી સારથીવાળા તે રથ પર આરોહણ કરીને દુષ્યન્ત રાજા રાક્ષસના Elleતાના સાઉથ તારૂનગરને વિષે આવી પહોંચે, એટલે રાક્ષસેના સનિકે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. યુદ્ધભેરીના વનિથી આકાશ છવાઈ ગયું ત્યારે ન બોલાવાયેલી હોવા છતાં પણ અપ્સરાઓ યુદ્ધના રસને લીધે તે સ્થળે સ્વયં આવી પહોંચી. ચંદ્રના મિત્ર સરખા રાક્ષસોએ તેપ, ત્રિશૂળ, હળ, મુશળ તથા ગદાઓદ્વારા સૂર્યરૂપી ચક્ષુને ઢાંકી દીધું ત્યારે બાણરૂપી કિરણવાળા દુષ્યન્તરૂપી સૂર્યની દ્રષ્ટિથી દેએ રણક્ષેત્ર નિ:સ્તબ્ધ અને કંટક (શત્રુ) રહિત કરીને ક૯પવૃક્ષની માળાઓ દ્વારા તે સૂર્યને ઢાંકી દીધું અને ઈંદ્ર મહારાજા પણ પિતાની પાસે આવેલા તેની સાથે તે સ્થળે આવી પહેચ્યા. મસ્તકને ધુણાવતા એવા ગાંધવડે સ્તુતિ કરાતા દુષ્યન્તને ઇંદ્ર પોતે પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy