SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મે. સગ અગિયારમે, તેણીના સ્વજન હેાવા જોઇએ. હું જાણું છું કે તારી તે પ્રિયતમાની માતા મેનકા દેવી છે. સંતાન પ્રત્યેની પ્રીતિને કારણે તેણી જલ્દી તેણીનું હરણ કરીને દુર્ગમ એવા દિવ્ય ભૂમિપ્રદેશમાં લઇ ગઇ છે. હું માનુ છું કે—તે વૈતાઢ્ય પર્વત ઉપર અથવા તેા નંદન વનમાં રહેતી હશે. ” “ મારા ઘેર તિરસ્કારથી આધાત પામેલી તેણીએ પેાતાની માતાના હસ્તમાંથી આકાશમાર્ગ દ્વારા કાઇ પણ પર્વતના શિખર પર પેાતાના શરીરને પડતું મૂકયુ હશે, જેથી હું માનું છું કે—તેણી જીતી નહીં હાય. ” એટલે તેના મિત્રે રાજાને જણાવ્યું કે—“ હું મિત્ર ! પાપ શાંત થાઓ, અમંગળ દૂર થાએ, શકુન્તલાનું કલ્યાણુ થાઓ. વળી તેનો માતા મેનકા તેના રક્ષણ માટે પ્રયાસ કરી રહી છે, અને શકુન્તલા પશુ ખરેખર સત્વ ગુણવાળી છે. સ્વામીએ અતિશય તિરસ્કાર કરવા છતાં પણ સગર્ભા સ્ત્રીઓ પેાતાના સંતાન પ્રત્યેના વાત્સલ્ય ગુણને લીધે કદી પણ આપઘાત કરતી નથી. ” ત્યારે રાજા દુષ્યન્તે જણાવ્યું કે—“ હૈ મિત્ર ! ત્રણ ભુવનને વિષે મારા જેવા કાઇ જડ ( મૂર્ખ ) નથી, કે જે પાતાની વહાલી પત્ની શકુન્તલાનેા ત્યાગ કરીને પેાતાની કુળપરંપરાના મૂળને ઉચ્છેદનાર મન્યા છે. હે મિત્ર! કઇંક ઉષ્ણુ અને સતત અરતાં મેાટા અશ્રુએથી, નિર્દોષ ના ત્યાગ કરવાથી પ્રગટેલા મારા પશ્ચાત્તાપરૂપી અગ્નિ કામમાં આવી શકતા નથી. વળી આ પૃથ્વીને વિષે જે કાઇ પાતે પાતાની સ્રીના ત્યાગ કરશે તેમજ જે નિ:સંતાન મૃત્યુ પામશે તે તે સર્વ વ્યકિત યુગાન્તકાળ પર્યન્ત એકી અવાજે મારું નામ લેશે અર્થાત્ આવા પ્રકારનું અધમ આચરણ કરનાર હું પહેલેા જ છુ,” આ પ્રમાણે મેલીને જેવામાં રાજા પેાતાના મહેલમાં પહેાંથ્યા તેવામાં “હું રાજન! હું રાજન્! મારી રક્ષા કરે, મારી રક્ષા કર। ” એમ ઉચ્ચારીને બ્રાહ્મણમિત્ર રુદન કરવા લાગ્યા ત્યારે તેનું આફ્રન્દ સાંભળીને રાજા દાક્યો છતાં રુદન કરતાં એવા તે બ્રાહ્મણમિત્રને નજરે નિહાળી શકયા નહીં. તે રુદનના ધ્વનિને અનુસારે બ્રાહ્મણમિત્રની રક્ષા કરવાને માટે રાજા જેમ જેમ મહેલના જુદા જુદા વિભાગેામાં જવા લાગ્યા તેમ તેમ તે એક સ્થળમાંથી બીજા સ્થળમાં પ્રવેશ કરવા લાગ્યા. ગાઢ રુદન કરતા તે બ્રાહ્મણમિત્ર કઇ રીતે નજરે નિહાળી શકાય? રાક્ષસ, ભૂત કે વેતાલ પૈકી આ કાણુ હશે? જે મારા પરાક્રમને જાણતા નથી. ખરેખર આ વ્યક્તિ જિંદગીથી ધરાઇ ગયેલી જણાય છે અથવા તા યમરાજ તેના પર ક્રોધે ભરાયેલા જણાય છે. મારા મિત્ર બ્રાહ્મણને હણુતા એવા આ ફાઇ ચૂત મને કષ્ટ ઉપજાવીને ખેાલી રહ્યો જણાય છે કારણ કે આકાશપ્રદેશને કપાવતા તેના સિંહનાદ સંભળાઇ રહ્યો છે. ” તેવામાં બ્રાહ્મણ ખેલ્યેા કેન્દ્ર બકરાની માફક ક ંપતા એવા મને ગળે પકડીને આ વ્યક્તિ સિંહની માફક મને હણી રહી છે.” એટલે રાજાએ જણાવ્યું કે—“ પીડિતાની રક્ષા કરવામાં કુશળ અને ધનુર્ધારી રાજા કરશે.” દુષ્યન્ત તારી રક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy