SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ મુદ્રિકાની પ્રાપ્તિથી દુષ્યન્તને થયેલ મૃતિ. [ ૧૯૩] નામના મત્સ્યના ઉદરને ચીરવાથી આ વીંટી મને પ્રાપ્ત થઈ છે. માછીમારની આ હકીક્તને ખોટી જાણીને કાટવાળે તે મુદ્રિકા રાજાને સોંપી તેમજ તે માછીમારને શી શિક્ષા કરવી તે સંબંધી પૃછા કરી. તે મુદ્રિકાને જોઈને, જેનું શાપજન્ય વિષ નષ્ટ થઈ ગયું છે તે રાજા જલ્દી શકુન્તલાને યાદ કરીને રુદન કરવા લાગ્યું. ગૌતમીની વાણીથી તે વીંટીની પ્રાપ્તિ સંબંધી બીનાને સાચી માનીને રાજાએ તે માછીમારને દારિદ્રય રહિત બનાવીને છોડી મૂકે. તે સમયથી જ, જાણે જાતિસ્મરણ પામેલ વ્યકિતની જેમ અથવા સૂઈને જાગૃત થયેલા પુરુષની માફક રાજા પિતાની જાતને દુઃખી માનવા લાગે. (અર્થાત પૂર્વભવમાં શ્રીમંત હોય અને આ ભવમાં દરિદ્ધી બને તો જાતિસ્મરણ જ્ઞાનને અંગે દુઃખી બને અથવા તે સુદ્ધાવસ્થામાં સુંદર સ્વપ્ન જોયું હોય અને જાગ્રતાવસ્થામાં તે યાદ કરીને દુખી બને તેમ.) જેની પ્રિયા સંબંધી આશા તૂટી પડી છે તેવા તે રાજાના હૃદયને પશ્ચાત્તાપે તથાપ્રકારે બન્યું કે જેટલું તેણીના વિયોગરૂપી અગ્નિએ તેના હૃદયને દાહ ઉપજાવ્યે નહેાતે. પિતાના રાજ્યમાં રહેવા છતાં પણ દુષ્યન્ત શયન, સ્નાન, તાંબલ અને વિલેપન આદિથી રહિત બનવાથી જાણે પોતે કેદખાનામાં રહ્યો હોય તેમ પોતાની જાતને માનવા લાગ્યું. રાજાના તેવા પ્રકારના દુઃખને કારણે સમસ્ત રાજ્ય મનહર કીડાઓ અને ગીતનૃત્યાદિથી રહિત બનવાને કારણે ઉત્સવ વિનાનું બની ગયું અર્થાત સમસ્ત રાજ્ય શોકમાં ગરકાવ બની ગયું. આ પ્રમાણે વિરહ વેદનાથી વ્યાકુળ બનેલ રાજા પોતાના એક મિત્રને સાથે લઈને વનપ્રદેશમાં પ્રિયતમાની મનોહર રતિક્રીડાને વાર્તાલાપ કરવાપૂર્વક વિચારવા લાગ્યો. “ અરે ! તે ક્રીડાવન તેમજ પ્રલયકાળ પર્યન્ત યાદ રહેનાર તે રતિક્રીડા આજે મારા હૃદયને ખરેખર અત્યંત બાળી રહેલ છે. તે મિત્ર ! પ્રિયાના વિરહથી વ્યાકુળ મનવાળા મારા માટે આખું જગત આજે રૂપાંતર પામી રહ્યું છે. મારું આવા પ્રકારનું આચરણ જાણ્યા બાદ બીજી કોઈ પણ વ્યકિત કુલીન અને સૌભાગ્યશાળી વ્યકિત પર કઈ રીતે પ્રેમ કરશે ? આ વિષયમાં અતિ દુઃખી બનેલ વ્યકિતઓમાં મારી પત્ની શકુન્તલા પ્રથમ દષ્ટાન્તરૂપ બની છે. હે મિત્ર! પૂર્વે તેં તે તાપસ કન્યાની પ્રાપ્તિ સંબંધી જણાવ્યું હતું, પણ પાછળથી “તે મશ્કરી માત્ર જ હતી.” એમ તે મને ગંભીરતાપૂર્વક કહ્યું હતું. ત્યારે તે મિત્રે જવાબ આપે કે –“ હે રાજન્ ! તમારી તે ધર્મપત્નીને બળાત્કારે હરી જવાને ઇંદ્ર પણ સમર્થ નથી.” આ પ્રમાણે કથન સાંભળી રાજાએ પુનઃ પૃછા કરી કે-“તેને કોણ હરી ગયું હશે? અથવા તે અત્યારે કયાં હશે ? ” એટલે મિત્રે જણાવ્યું કે-સ્વર્ગભૂમિમાં રહેનાર કે એક ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy