SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શકુંતલાની શોચનીય સ્થિતિ. [ ૧૯૧] ઉભેલાને જોઈ શકતો નથી. કરેલી વિનંતિને સાંભળી શક્તો નથી, બોલાવ્યા બોલતે નથી અને અત્યંત પરિચિત વ્યક્તિને યાદ પણ કરી શકતો નથી. વધારે કહેવાથી શું? અમે તે સંદેશવાહક છીએ. હે રાજન! કુલપતિના આદેશથી આ કન્યાને તારી પાસે મૂકી જઈએ છીએ. આ કન્યાનો તું સ્વીકાર કર અથવા તે ત્યજી દે. ગમે તે કાર્ય કરવાને તું શક્તિશાળી છે. કુલપતિના આદેશનું પાલન કરીને અમે તે આ ચાલ્યા.” આ પ્રમાણે ચાલ્યા જતા શાર્ગરવની પાછળ જતી, રડતી અને ગરીબડી શકુન્તલાને જોઈને ગૌતમીએ શાર્ગરવને કહ્યું કે-“અરે શાર્ગરવ! તું આ પ્રમાણે ન કર. એક ક્ષણ માત્ર રાહ જે. રડતી અને ગરીબડી શકુન્તલા આપણું પાછળ આવે છે. આવા નિર્દયી પતિ પાસે રહીને મારી પુત્રી શું કરે ?” આ પ્રમાણે કહેવાયેલા અને રોષે ભરાયેલા શાર્ગરવે પાછું જોઈ શકુન્તલાને કહ્યું કે –“તું ઊભી રહે, તું ગાંડી બની ગઈ જણાય છે. આશ્રમમાં ફરીવાર હવે તારું શું કામ છે ? આવા પ્રકારનો પરીક્ષા કર્યા વિનાનો સ્વછંદી પ્રેમ માનવીને બાળે છે. જે પ્રકારે રાજાએ જણાવ્યું તે પ્રમાણે જ જે તું છે તે અકુલીન એવા તારાથી ગાલવ ઋષિને શી જરૂર છે ? પિતાના પતિવ્રતપણને જે તું જાણતી હોય તે સ્વામીના ઘરે દાસપણું કરવું તે ઉચિત છે. ” આ પ્રમાણે શાર્ગરવને બોલતો સાંભળીને દયાળુ દુષ્યન્ત રાજાએ કહ્યું કે-“અરે મહાત્મન ! ઋષિઓ તે દયાળુ જ હોય છે, તે આવી (ગર્ભવતી) રિથતિમાં આવી પડેલી સ્ત્રીને કેમ ત્યજી દે છે?” “હે રાજન ! આ વિશ્વમાં સમગ્ર જનસમૂહ બીજાને ઉપદેશ કરે છે, પરંતુ તે પ્રમાણે પોતે આચરણ કરતો નથી. જે આપ દયાળુ છે તો તમે પોતે જ પરણેલી સ્ત્રીનો ત્યાગ કેમ કરી રહ્યા છો?” ત્યારે ન્યાયપૂર્વક પિતાની જાતને કલંકરહિત જણાવતા દુષ્યન્ત ઋષિને જણાવ્યું કે –“ સગભાં, અપરિચિત, સમસ્ત ગુણશાળી અને પૂર્વમાં કદી નહીં જોયેલી એવી સ્ત્રીને નેહભાવથી સ્વીકારીને સ્ત્રીને ત્યાગ કરનારે હું, આજે પારદારસેવી, પરસ્ત્રીલંપટ તે નથી બનતેને તે તમે કહે! જે એમ ન હેય તે આ આર્યકન્યા મારા મનમાં શા માટે શ્રેષનું અથવા તે તુચ્છતાનું પાત્ર બને?” ત્યારે “તું રાજા છે, અમે તાપસ છીએ અને આ કન્યા કુલીન છે.” એ પ્રમાણે ત્રણેને સંગમ થયો છે. તું રક્ષણ કરનાર છે, અમે ઉચિત વાણી બોલનારા છીએ અને આ કન્યા રક્ષણ કરવા યોગ્ય છે, તે આ અવસરે તમને જે યોગ્ય લાગે તે કરો.” આ પ્રમાણે કહીને, શકુન્તલાને શીધ્ર ત્યજી દઈને પિતાના પરિજનવર્ગ સાથે શારવ કષિ ચાલ્યા જવા બાદ લોકો શકુન્તલા પ્રત્યે અત્યંત કરુણા ભાવવાળા બન્યા અને તેને સ્વીકારી લેવાને માટે રાજાને વારંવાર પ્રાર્થના કરી. પછી “ આ પારકી સ્ત્રી છે.” એમ મનમાં માનતા રાજાએ તેને પિતાના મહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy