SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૦ ] શ્રી દમયતી રે શ્રી દમયંતી ચરિત્ર : ધ ૫ મે. સર્ગ દશમે. જવાથી મને જણાય છે કે–મારા પ્રાણે વજ જેવા છે અથવા તે રાજાની જીભ વજીની બનેલી જણાય છે. મારું પાણિગ્રહણ કરવા છતાં પણ તે વિષયમાં સંદેહ રહે છે તે આથી વધારે નિંદનીય શું હોઈ શકે? ઉન્નત બનેલી મારી આશા આજે મૂળમાંથી જ હણાઈ રહી છે. ” શકુંતલા આ પ્રમાણે વિચારી રહી. પછી તે સમયે દુષ્યન્ત, શકુન્તલા અને ગૌતમીને ગંભીર, શાન્ત અને પરસ્પર વાર્તાલાપ થયો. ગૌતમીએ રાજા દુષ્યન્તને કહ્યું કે;–“હે આર્ય પુત્ર દુષ્યન્ત ! તે સમયે તથા પ્રકારનું વર્તન કરીને અત્યારે આ પ્રમાણે કહેવું તે તમારા જેવાને માટે ઉચિત ન ગણાય.” પછી શકુન્તલાને ઉદ્દેશીને કહ્યું કે–“જે તારી પાસે કંઈ પણ નિશાની હોય તે રાજાને તારી ખાતરી થાય માટે તે નિશાની રાજાને શીધ્ર બતાવ. નીતિયુક્ત વસ્તુથી કોને વિશ્વાસ ન આવે? તે સમયે રાજાથી અપાયેલ મુદ્રિકા તું આપ અને રાજાને બતાવ.” ત્યારે શકુન્તલાએ જવાબ આપે કે- “હે પૂજ્ય ગૌતમી ! ખરેખર ખેદની વાત છે કે તે વીંટી નથી, કોઈ સ્થળે પડી ગઈ જણાય છે. બુદ્ધિની માકક મારી આંગળી પણ શૂન્ય બની ગઈ છે તે તમે જુઓ, અથોત મારી વીંટી પડી ગઈ જણાય છે.” ગોતમીએ શકુન્તલાને કહ્યું કે–“હે પુત્રી ! શક્રાવતાર તીર્થના જળને નમસ્કાર કરતી (આચમન લેતી) તારા હાથમાંથી તે મુદ્રિકા ગંગાના જળમાં પડી ગઈ જણાય છે.” પછી શકુન્તલાએ રાજાને જણાવ્યું કે–“માલિની નદીના કિનારે મારી સખી પ્રિયંવદાએ તમને કહેલ વચનો યાદ કરો.” દુષ્યને જવાબમાં જણાવ્યું કે“હે ભદ્ર! મેં બધું યાદ કરી જોયું પણ કંઈ યાદ આવતું વથી, માટે હવે તમે તમારું કથન બંધ કરો. સ્ત્રીઓના આવા પ્રકારના મહર, પ્રેમાળ અને શીતળ અસત્ય વાણીરૂપી અમૃતસમૂહથી વિષયી માણસ છેતરાય છે. ” દુષ્યન્તની આવી વાણીથી ક્રોધિત બનેલા શાલ્ગર હસ્ત ઊંચે કરીને રોષપૂર્વક કહ્યું કે-“હે મહાભાગ! અરે ! અરે !! આમ ન બોલે. કન્યાને આત્મા હમેશાં ભેળો હોય છે. વિધિથી જોડાયેલે સંબંધ કેવી રીતે મિથ્યા થઈ શકે? અરે હે રાજન્ ! કુળપતિના પ્રત્યે તારા આવા પ્રકારને દ્રોહ યુક્ત છે, કારણ કે જેણે કુળવતી કન્યાના ચોરનાર એવા આપને યોગ્ય માની લીધા. આ કન્યા શીલવતી, કુલીન, રૂપવતી અને સારા લક્ષણવાળી છે, જે તું તેને ન પર હેત તે શું તે બીજાને ન આપી શકાત? કુલીનપણાને કારણે કુલપતિએ તે આ કન્યાને તારી પાસે મોકલી છે, તો પરણેલી સ્ત્રીને ત્યાગ કરવારૂપ મહાપાપને તું શું કરીશ? લક્ષમીથી ઉન્મત્ત બનેલા અને પરાધીન આત્માવાળા પ્રાણીઓના, લક્ષમીને લીધે વિકૃતિ પામેલા આવા પ્રકારના ભાવો અવશ્ય થાય છે. લક્ષ્મી પ્રથમ કાન, નેત્ર અને વાણીને કાબમાં લઈને પછી ચેતનાને (બુદ્ધિને) હરી લે છે. ખરેખર સમુદ્રનું મથન કરવાથી ઉત્પન્ન થયેલી લક્ષમી કાળકૂટ ઝેરની બહેન છે. લક્ષમીવાળો માનવી પોતાની સમક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy