SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્વાસા મુનિએ શકુંતલાને આપેલ શાપ. [ ૧૮૭ ] હેવાથી મુનિવર આવ્યા છે તેની તેને ખબર પડી નહી તેમજ તે તેમનું આતિથ્ય પણ કરી શકી નહીં. પૂજય પુરુષનું આતિથ્ય નહીં કરવાને કારણે ક્રોધી બનેલા તિર્યગૂજભક દવેએ તે મુનિવરના મુખદ્વારા (કારણ કે મુનિ તે મૌનધારી હતા) તેણીને શાપ આપ્યો કે“જેના વિચારમાં મગ્ન બનીને તું આતિથ્ય ધર્મ કરતી નથી તેવી રીતે પૂર્વની વાર્તા સંભારી આપવા છતાં પણ તે વ્યક્તિ, મદોન્મત્ત માણસની માફક તને યાદ કરશે નહીતને ઓળખી શકશે નહીં.” આવા પ્રકારના શાપને સાંભળીને આવી પહોંચેલી પ્રિયંવદા અને અનુસૂયા બંને સખીઓએ, તે મુનિવરની પાછળ શીવ્ર જઈને, તેમની સમક્ષ ઊભા રહીને, વારંવાર પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી. દીન, અનાથ, અશરણ, શૂન્ય ચિતવાળી, વિરહથી વ્યાકુળ એવી શકુન્તલાને જાણુને તિર્યપુજાભક દેવે પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે-“વીંટી બતાવવાથી તે વ્યક્તિ તેને યાદ કરી શકશે.” આ પ્રમાણે જણાવીને, તે બંને સખીએની નજરમાંથી દેવોએ મુનિવરને અંતર્ધાન કરી દીધા. રાજાએ આપેલી વીંટી ઓળખાણ માટે બનશે એમ જાણીને, દુઃખના કારણથી તે બંને સખીઓએ શાપ સંબંધી હકીકત શકુન્તલાને જણાવી નહીં. શાપના પ્રભાવથી દુષ્યન્ત રાજા શકુન્તલાને ભૂલી જવાથી, શકુન્તલા પણું વર્ણન સંખ્યા કરતાં અધિક દિવસોને સહન કરી શકી નહીં તેવામાં, વગર સમયે ફલવતી બનેલી લતાની માફક કંઈક ગર્ભવતી બનેલી શકુન્તલાને જોઈને “આ શું?” એમ શંકિત બનેલા તાપસ કે તેણીને વારંવાર જોવા લાગ્યા. તાપસોના વિરક્ત ભાવને કારણે પિતાની થઈ રહેલી નિંદાને જાણીને શકુન્તલા પિતાની બંને સખીઓની સાથે કેઈને પણ પિતાનું મુખ બતાવતી ન હતી. “પિતા આપે છતે હું તેને મારું મુખ કઈ રીતે દેખાડી શકીશ?” એવા ભયથી શકુન્તલા કાંતિહીન બની ગઈ. - કેટલાક સમય બાદ, સામે સ્વાગત માટે આવેલા તાપસ લેકેથી જાણે આશ્રમને નવીન બનાવતા હોય તેમ તેના પાલક-પિતા ગાલવ ઋષિ આશ્રમમાં આવી પહોંચ્યા અને યજ્ઞકુંડ પાસે આવતાં તેમણે નીચે પ્રમાણે આકાશવાણું સાંભળી કે-“પૃથ્વીની આબાદીને માટે દુષ્યન્ત રાજાથી સ્થાપન કરાયેલા વીર્યને ધારણ કરતી પુત્રી શકુન્તલા, હે તાપસ શ્રેષ્ઠ ! અગ્નિ યુક્ત ખીજડીના વૃક્ષ જેવી બની છે, અર્થાત તેને દુષ્યન્ત રાજાથી ગર્ભાધાન થયેલ છે.” આ પ્રમાણેની આકાશવાણી સાંભળીને હર્ષિત બનેલા ગાલવ શષિએ, શકુન્તલાને તેના સ્વામીના ગૃહે મોકલવાને માટે તૈયારી કરી અને નિર્મળ વાત્સલ્યથી વ્યાકુળ અંત:કરણવાળા તેમણે શરમાળ અને કંઈક શંકાવાળી શકુન્તલાને પિતાના ખોળામાં બેસાડીને પંપાળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy