SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મો. સર્ગ નવમે. (શકુન્તલા) તારી અવસ્થા (સ્થિતિ) જાણતી નથી, કેમકે બીજાના ચિત્તમાં કઈ રીતે પ્રવેશ કરી શકાય? હે નિર્દય ! તારા માટે કામદેવ મારા દેહને અત્યંત સતાવી રહ્યો છે.” આ પ્રમાણે લેકને અર્થ સાંભળીને સંભ્રમને પ્રગટાવતાં દુષ્યન્ત રાજાએ તે સ્થળમાં પ્રવેશ કરીને મધુર વાણુથી તેણીને કહ્યું કે-“તેં જે કંઈ ઉપાલંભ દર્શાવ્યો છે તે જ છે, પરંતુ હે ભેળી! તું જાણું લે કે-મારા આ કાંડામાંથી મારું વલય (કડું) નીકળી રહ્યું છે તેનું કારણ શું હશે? અર્થાત્ તારી ને મારી અવસ્થા સરખી કામપીડિત છે. મને પહેલા પીડિત કરીને પછી જ કામદેવ તને પીડી રહ્યો જણાય છે. સૂર્ય પ્રથમ ચંદ્રને નિસ્તેજ બનાવીને પછી જ ચાંદનીને કાંતિહીન બનાવે છે.” આ પ્રમાણે શકુન્તલા પ્રત્યે બોલતા, પાસે બેસતા અને તેજહીન શરીરવાળા રાજાને, બંને સખીઓએ શકુન્તલાને સ્વીકારવાની વિનંતિ કરી. ત્યારે સત્યવાદી તેણે તે બંને સખીઓની સમક્ષ, જિંદગી પર્યન્ત, પિતાનું જીવન અને ધન શકુન્તલાને સમર્પણ કર્યું. આ પ્રમાણે કૃતાર્થ બનેલ તે બંને સખીઓ બહાનું કાઢીને ત્યાંથી ચાલ્યા ગયા બાદ, શકુન્તલાને વિશ્વાસ પમાડવામાં કુશળ રાજા તેની સાથે ક્રીડા કરવા લાગ્યો. શકુન્તલાના બાચિત સ્વભાવને કારણે કામવિલ્હલ અને સનેહ નજરવાળે રાજા ક્ષણ માત્ર કંઇક વ્યાકુળ બન્યું. પછી તે તે પ્રકારના સુખદ અને કમળ ઉપાયો દ્વારા શકુન્તલાને વશ કરીને રાજા તેણીની સાથે સ્વેચ્છાપૂર્વક વિલાસ કરવા લાગ્યા. પ્રથમ જ વિરહથી વ્યગ્ર બનેલી શકુન્તલાની રજા લઈને જતાં રાજાએ તેણીના મનોરંજન માટે નિશાની તરીકે એક મુદ્રિકા(વીંટી) તેણીને આપી અને જણાવ્યું કે“મારા નામના વર્ણ(અક્ષર) તું હંમેશાં ગણજે અને તેટલા પ્રમાણુવાળા (ત્રણ) દિવસને છેડે મારે પ્રધાન પુરુષ તને તેડવા માટે આવશે.” આશારૂપી પાશથી બંધાયેલ હૃદયવડે વિયેગી એવી તેણીએ તે નામના અક્ષરની ગણત્રીપૂર્વક કઈ પણ પ્રકારે પિતાના જીવનને ધારી રાખ્યું. *એuસંજ્ઞાથી પ્રાણ ધારણ કરતી તેણી તે, અક્ષરની ગણત્રીપૂર્વક જેટલામાં સૂચવાયેલો સમય પરિપૂર્ણ થવા આવ્યા તેટલામાં તેણના ઝુંપડીના દરવાજે હસ્તપાત્ર વાળા, નમ અને મૌન ધારણ કરનારા દુર્વાસા નામના મુનિ જન નિમિત્તે આવી ચઢયા. તે મહામુનિવર આવ્યા છતાં, મહાપ્રસાદને કારણે, પિતે મિથ્યાત્વ રહિત હેવા છતાં તેનું આતિઓ કરવામાં તે ખલના પામી અર્થાત તેણે રાજાના વિચારમાં મગ્ન * નારકી વિગેરે બીજા પ્રાણીઓ જેમ જીવિતને ધારણ કરે છે તેમ માત્ર કોઈ પણ હેતુ સિવાય જીવિત ધારણ કર્યું જવું તેને ઘસંજ્ઞા કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy