SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ CD શકુંતલા અને દુષ્યન્તને મેળાપ. [ ૧૮૩ ] રમણીય જણાય છે. ઉત્તમ વસ્તુઓને શું શોભારૂપ નથી બનતું? મારા જેવા આર્ય પુરુષને આ કન્યા પ્રત્યે જે પ્રીતિ થાય છે તેથી જ જણાય છે કે-આ ક્ષત્રિય-કન્યા હોવી જોઈએ. શંકાશીલ પદાર્થોમાં સજજન પુરુષોનું મન એ જ સાબિતીરૂપપ્રમાણભૂત છે. આંબાને વળગીને રહિત પ્રફુલ્લ માધવી લતાને પાણી પાતી તેણીને તેની સખી “તું પણ આ પ્રમાણે થા” એમ જે કહી રહી છે તે બરાબર-ઉચિત છે. તેવામાં પાણીની છાલકથી ઊડેલે ભમરો શકુંતલાના મુખરૂપી કમળ પર તેના અધરેષ્ઠ પાન કરીને ધન્ય બનેલ ને તેણીના કર્ણ પર્યન્ત લંબાયેલા બંને નેત્ર પર ધ્વનિ કરવા લાગ્યા એટલે પહોળા અને અહિંતહીં ભમતા હાથના અગ્રભાગવાળી, ચપલા નેત્રોવાળી તેમજ મસ્તકને ધ્રુજાવતી તેણીને ભમરારૂપ નટે વગર સંગીતને ખરેખર નૃત્ય કરાવ્યું. તે સમયે “હે સખી! આ ભમરાથી મને બચાવ, બચાવ” એમ સ્પષ્ટ ભયયુક્ત વાણી બોલતા તેણીને સખીએ મશ્કરીમાં કહ્યું કે- “ તારી રક્ષા કરવા માટે તું દુષ્યન્ત રાજાને બોલાવ.” એટલે “ ભલે તેમ હે મારા પૂર્વ પુરુષોએ વનની રક્ષા કરવાને માટે મને ફરમાન કર્યું છે, એમ વિચારીને તે બે કે–“દુરાચારીનો નાશ કરનાર, પુરુવંશને રાજા પૃથ્વીનું પાલન કરનાર હોવા છતાં અત્યંત ભેળી તાપસ કન્યાઓ પ્રત્યે કોણ અન્યાયી આચરણ કરે છે?” ત્યારે સખીએ જવાબ આપે કે –“હે આર્યપુત્ર! અહીં કોઈપણ પ્રકારનું વિન નથી, તેમજ વિધન કરનાર પણ નથી. અમારી સખી શકુન્તલા ભમરાથી વિહ્વળ બની હતી. મહાત્મા ગાલવ-કુલપતિની આ પુત્રી છે; અમે બંને તેની પ્રિયંવદા અને અનસૂયા નામની સખીએ છીએ. સોમતીર્થની યાત્રાએ ગયેલા પિતાના આદેશથી સજજન પુરુષનું આતિથ્ય આ શકુન્તલા કરે છે, માટે આપ આર્યપુત્રનું પણ આતિથ્ય તે ભલે કરે.” - આ પ્રમાણે તે બંને તાપસકન્યાઓથી સૂચવાયેલ રાજાએ તે આમંત્રણ સ્વીકારીને, નદી વૃક્ષની નીચે તે સર્વની સાથે વાર્તાલાપ શરૂ કર્યો દુષ્યને પૂછયું કે– “તમારા કુલપતિ તે પત્ની રહિત છે તો પછી આ તમારી સખી તેની પુત્રી કઈ રીતે ?” ત્યારે સખીએ જણાવ્યું કે–“ગાલવ ઋષિ તે તેના પાલક પિતા છે, જ્યારે વિશ્વામિત્ર તેના જન્મદાતા પિતા છે. વિશ્વામિત્રના તપનો ભંગ કરવા માટે મેનકા નામની અપ્સરા આવી હતી. તેને જોઈને શું થયું હશે તેની આર્ય પુત્રને કહેવાની જરૂર હોય ખરી? અર્થાત વિવામિત્રના તપને ભંગ થયે અને તે મેનકા સાથે સ્નેહપાશમાં જકડાયા. ” ત્યારે દુષ્યને જણાવ્યું કે–“હા, સમજ કે-વિશાલ નેત્રવાળી આ તમારી સખી મેનકાની પુત્રી છે પરંતુ તેણીને શા માટે ત્યાગ કરવામાં આવ્યું અને ગાલવ મુનિએ વનને વિષે તેણીને શી રીતે પ્રાપ્ત કરી ?” ત્યારે સખીઓએ જણાવ્યું કે-“તેણુંના દિવ્ય પ્રભાવને કારણે પિપટેએ તેનું પિષણ કર્યું અને પૂર્વે પક્ષીઓએ તેની લાલન-પાલન કરી તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy