SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પ મો. સર્ગ આઠમો. છે, તો બીજા દીન જનની તો વાત જ શી કરવી? દિવસ પૂર્ણ થતાં જેમ કમલિની પિતાના સર્વ ગાત્રોને સંકેચીને રહે-કરમાઈ જાય તેમ વ્યાકુળ બનેલી દમયંતી શરમ, ય અને ખેદને ધારણ કરવાપૂર્વક પૃથ્વીપીઠ તરફ જેવા લાગી. આ પ્રમાણે નિઃશ્વાસ નાખતી, ચેષ્ટા રહિત એવી દમયંતીને આશ્વાસન આપવાને માટે કરુણાથી આર્દ્ર હૃદયવાળા મુનિવયે કહ્યું કે “હે પુત્રી દમયંતી! જો કે સંકટરૂપી ભી તે મુશ્કેલીથી તેડવા લાયક હોય છે છતાં પણ મહાપુરુષનું સત્વ વા કરતાં પણ કઠિન હોય છે. ભાગ્યયેગે પતિથી ત્યજાએલી તારે શેક કરવાની જરૂર નથી. શું શકુન્તલાએ તારા કરતાં વધારે દુઃખ સહન નથી કર્યું ? રાજ્યભ્રષ્ટ થવા છતાં બુદ્ધિમાન અને સમયને જાણનારા તારા સ્વામી નલરાજાએ પોતે જ તને સુખના સ્થાનરૂપ પિતાના ઘરે મોકલી છે. વાત્સલ્ય ગુણવાળા તારા પિતા તેને સર્વ પ્રકારની ઈચ્છિત વસ્તુઓ આપશે અને થોડો સમય વીત્યા બાદ તારા પતિ ફરીથી તારું પાલન કરશે અર્થાત તને પ્રાપ્ત થશે. સુખ અગર દુઃખમાં પોતાનાથી અધિકાધિક વ્યક્તિને જોતાં બૈર્યવાન પ્રાણને હર્ષ અને શોકરૂપી બંને દુશ્મન તેને ચલાયમાન કરી શકતા નથી. હે પુત્રી! તું શકુન્તલાનું કથાનક સાંભળ જેથી, તે સાંભળીને તારું હૃદય શોક રહિત બને. પુરુ વંશમાં ઉત્પન્ન થયેલ, ધનુર્ધારી, ગજપુર (હસ્તિનાપુર ) નગરને સ્વામી દુષ્યન્ત નામનો રાજા હતે, કે જે એકદા શિકાર કરવાને આતુર રથમાં બેસીને કેઈએક હરણની પાછળ પડ્યો. મહાવેગવાન રથવાળા અને બાણુ યુક્ત ખેંચેલા ધનુષ્યવાળા તે દુષ્યન્ત રાજા અને મૃગની વચ્ચે આવીને મુનિકુમારોએ તેને કહ્યું કે –“અમારા આ તાપસ આશ્રમમાં રહેનાર આ હરણ હણવા લાયક નથી. ક્ષત્રિય પુરુષનું શસ્ત્ર શું નિરપરાધીને હણી શકે ? નદીને કિનારે રહેલા તમારા આ વનને નિવિદનપણે જોઈને, હે રાજન! તમારા બાહુબલથી રક્ષાએલ આ તમારી પૃથ્વીને કૃતાર્થ કરો.” તે સમયે “ભલે એમ હો” એમ કહીને, તે મુનિ કુમારને પોતપોતાના કાર્યો કરવા માટે રજા આપીને, એકલો અને રથ વિનાને દુષ્યન્ત રાજા સ્વેચ્છાપૂર્વક તે આશ્રમભૂમિમાં ગયે. વૃક્ષરાજીમાં વિચરતો અને કરકેલા જેવા જમણા નેત્રવાળે, રોપાઓને પાણી છાંટતી કન્યાઓને વિષે કોઈએક ઉત્તમ કન્યાને ગુપ્ત રીતે સ્વેચ્છાપૂર્વક જેતે દુષ્યન્ત રાજા મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા કે- “અહે! નગર કરતાં આ વન ધન્ય છે કે જ્યાં આવી ઉત્તમ કન્યા રહેલી છે. ઝાકળના બિંદુવાળી કમલિનીની જેમ થાકના પ્રસ્વેદ બિંદુવાળી તેણી પિતાની સખી પાસે ગાંઠ બાંધેલા વૃક્ષની છાલના વાને ઢીલું કરાવી રહેલ છે. કલંકી હોવા છતાં ચંદ્ર મનહર દેખાય છે, શેવાળ યુક્ત હોવા છતાં પાણી મનોહર જણાય છે તેમ વૃક્ષની છાલનું વસ્ત્ર પહેર્યું હોવા છતાં આ કન્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy