SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્ક ંધ ૫ મે. સ સાતમે, આપની જેવા વિચક્ષણુની પાસે વિશેષ કહેવાથી શું ? કારણ કે મારી વિસ્તારવાળી હકીકતનેા હું કઈક સક્ષિસ વૃત્તાંત આપને સંભળાવું છું. પૃથ્વીપીઠને વિષે પ્રસિદ્ધ, વિદ્વાન, નિષધ દેશના સ્વામી, વીરસેન રાજાના પુત્ર, વીર, કોચક નામના રાક્ષસને હણનાર, વિચક્ષણ, દેવાનું તપણું' કરનાર, દયાળુ, ખલીઇ, વિનયી, ન્યાયી, દશે દિશાઓને વિષે વિજય કરનાર, મહાન્ ચાદ્ધો, સત્ય પ્રતિજ્ઞાવાળા, સુંદર બુદ્ધિવાળા, શાંત, શત્રુના નાશ કરવામાં પ્રલય કાળના અગ્નિ સરખા, પવિત્ર ક્રીતિ વાળા, સુખી, પ્રશ'સાપાત્ર રાજાધિરાજ એવા નલ મારા સ્વામી થાય છે. ઘતક્રીડામાં નાના ભાઇથી જીતાઇને દૈવયેાગથી તે દેશ બહાર કાઢી મૂકાયેલ છે અને માત્ર અને હાથના પિરવારવાળા તેની પાછળ હું પણુ નીકળી પડી. તેને અનુસરી માગમાં ભીલ લેાકેાથી પરાભવ પામેલા, પક્ષીઓએ હરી લીધેલા ઉત્તરીય વસ્રવાળા અને ગ્રીષ્મ ઋતુમાં પવન તથા તડકાની પીડાને સહન કરતા તે એક વનમાંથી બીજા વનમાં પરિભ્રમણ કરવા લાગ્યા. કાઇપણ કારણથી સત્ત્વરૂપી મિત્રથી રહિત બનેલ તે નલ, લિપિદ્વારા લખીને, મને મારા પિતાને ઘરે જવાનું સૂચવીને, અનાથ અને સૂતેલી એવી મને એકલી ત્યજી દઇને તેવી રીતે ચાલ્યા ગયા છે કે જેથી ફરીવાર મારા જોવામાં આવ્યા નથી. ખીણ, પર્વત અને નદીથી ભયંકર વનમાં મેં તપાસ કર્યા છતાં, કલ્પવૃક્ષ સરખા તે નલરાજને મે ફરી કોઇપણ સ્થળે પ્રાપ્ત કર્યાં નહીં. તેને કાઇપણ સ્થળે નહીં જોઈને, ખિન્ન બનેલી હું કાઇએક મહાવનમાં થાકી જઈને સૂતી તેવામાં કાઇ એક અજગર મને ગળી ગયા, અને તેના મુખમાંથી કેઇએક ભીલે મને છેડાવી. વિવેક વિનાના તે ભિલના પંજામાં હું સપડાઈ અને પ્રયત્ન કરવા છતાં પણ તેના હસ્તમાંથી ક્ષેમ-કુશળ રીતે હું મુક્ત બની ત્યારે પાતાના આત્માને નહીં જાણનાર, પેાતાના હસ્તથી મને સ્પર્શ કરવાને ઈચ્છતાં તે ગરીબડા ભીલને વરદાન આપનાર ઇન્દ્રે એકદમ ભસ્મીભૂત કર્યાં. આગળ ચાલતાં મામાં મને વિષ્ણુક લેાકેાના સાર્થ( કાલા ) મળ્યે, પરન્તુ રાત્રિને વિષે જેમ વ્યસનાથી સ્વચ્છંદી પ્રાણી નાશ પામે તેમ હસ્તીએથી તે સાથે નષ્ટ કરાયેા. પતિથી ત્યજાએલી અને સઢ વગરની નૌકા જેવી હું અત્યારે દુર દુર્દશારૂપી વમળવાળા ખાડામાં આવી પડી છું. સમસ્ત પૃથ્વીને આધારરૂપ શક્તિશાળી માડુવાળા અને દક્ષિણ દિશાના સ્વામી ભીમ રાજા મારા પિતા છે. મારા સ્વામીની આજ્ઞાથી પિતાના ઘરે જતી હું ત્યાં પહેાંચી શકીશ કે નહિ ? તે હું ખરાખર જાણતી નથી. જો તે રાજાને કઇ પણ ઉપદ્રવ થશે તે અમારા અનેનેા મેળાપ કેવી રીતે થશે ? અથવા તા જો મને કંઇ પણ સંકટ પ્રાપ્ત થયું. તા પણ અમારા ખત્તેનેા મેળાપ ક્યાંથી થશે ? આશારૂપી પાશ મારા જીવનને ચારે બાજુથી શીઘ્ર આવરી રહ્યો છે અર્થાત્ આશા મને પ્રાણ ત્યાગ કરવા દેતી નથી અને અળાકારે પ્રાણ ત્યાગ કરવા માટે શાસ્ત્રકારાએ ઉપદેશ આપ્યા નથી. મારી એક-એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy