SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીને થયેલ મુનિ સમાગમ. [ ૧૭ ] રF SF આ સર્ગ સાતમો. Fર છું [દમયંતીએ મુનિને કરેલ પ્રણામ અને કહેલ સ્વવૃત્તાંત: તે સાંભળી મુનિઓને થયેલ અક્ષપાત] Hપ્રત્યક્ષ ધર્મકર્મના સમૂહથી જાણે આલિંગન અપાયેલ હોય, સ્વચ્છ, ઝીણા અને હs a ની તાતપિતા વેત વસ્ત્રથી ઢંકાયેલા દેહવાળા મુનિવરને તેણે જોયા પવિત્ર, વિદ્વાન, સૌમ્ય આકૃતિવાળા તે મુનિવરોને જોઈને હર્ષ પામેલી દમયંતીએ જાણે, પોતે પિતાના ઘરે પહોંચી હોય તેમ માન્યું. બાદ તે મુનિમંડળના મધ્યભાગમાં રહેલા, બૈર્યવાળા અને મહાપ્રીતિવાળા ધર્માચાર્યને, “હે ભગવાન! આજ્ઞા આપો” એ પ્રમાણે સૂચવીને તેણીએ પ્રણામ કર્યો ત્યારે ધમાચાર્યો તેણીને જણાવ્યું કે “હે ભદ્ર! તારા ધાર્મિક આચરણની વૃદ્ધિ થાઓ, તારું ચિત્ત પ્રસન્ન રહે. હું કલ્યાણ ! તું અહીં બેસ, તું અત્યંત થાકી ગયેલી જણાય છે. તે પવિત્ર હાસ્યવાળી ! વૈતાઢ્ય પર્વત પરથી આ તીર્થને વાંદવા માટે આવેલા અને તે વિદ્યાધર મુનિઓ સમજ. પૃથ્વીને વિષે પાંચમા ચક્રી અને સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ નામના હવે પછી થશે. તેઓનું તિર્યંચ, અસુર અને મનુષ્યોથી વ્યાપ્ત સમવસરણ અહીં થશે. પછી ફરીને જન્મ પામેલા અને તેમની કૃપાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. હે ચતુર ! આ તીર્થનું નામ ખરેખર મુકિતદ્વાર છે અને તે જૈન ધર્મની પ્રાપ્તિ સિવાય સામાન્ય જનતાને દષ્ટિગોચરમાં ન આવે તેવું છે. પવિત્ર નામવાળા અમારા ભાસ્કર નામના ગુરુએ શિળે એવા અમને મહેરબાની કરીને આ તીર્થસ્થળ બતાવ્યું છે, તે સુકોમળ અંગવાળી, ભેળી, સૌભાગ્યવતી, સતી અને એકલી આવેલી તને જોઈને અમને અત્યંત આશ્ચર્ય થયું છે. તે લક્ષમી, સાવિત્રી, ઇંદ્રાણી કે પાર્વતી જણાતી નથી, કારણ કે તારી દષ્ટિ નિમેષવાળી જણાય છે અને તે દેવીએ તે નિમેષ રહિત હોય છે, તે તું ઐશ્વર્ય રહિત હોવા છતાં રાજાની રાણીની માફક તને અમે આયુષ્માન જાણીએ છીએ; કારણ કે તારા નેત્રની આકૃતિ તેવી છે.” આ પ્રમાણે મુનિરાજથી કહેવાયેલી દમયંતી ક્ષણમાત્ર નીચું મુખ રાખીને, બળપૂર્વક આંખના અથને રોકીને, નીચે બેસીને કહેવા લાગી કે–“હે પૂજ્ય! જે કે હું સંકટમાં સપડાયેલી છું, છતાં પણ આપ જે મારા માટે કહી રહ્યા છે તેથી ભાગ્યવતી છું. આપને સુકૃત, દુકૃત અથવા સુખ-દુઃખ સર્વ હકીક્ત જણાવીને પ્રાણી શલ્ય રહિત બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy