SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર: અંધ ૫ મે. સર્ગ છો. ગંધથી ક્રોધી બનેલા વનહસ્તીઓએ હુમલો કર્યો. તે હસ્તીઓએ કરિયાણાના પાત્રને ભાંગી નાખ્યા, ગુણ કોથળા)માં ભરેલે માલ ચૂર્ણ કરી નાખે. કેટલાક મનુ ભયભીત બન્યા અને કેટલાક વૃષભ(બળદો) મૃત્યુ પામ્યા. તે સ્થળમાં કોઈ પણ દેખાતું ન હતું તેમજ કોઈપણ વસ્તુ વ્યવસ્થિત રહી નહોતી. ગંધર્વનગરની માફક ક્ષણમાત્રમાં તે સાથે, જોતજોતામાં નષ્ટ પામી ગયે. સાર્થમાં લેકે આ પ્રમાણે ભયભીત બન્યું છતે આધાર રહિત બનેલ, ચિંતા યુક્ત અને એકાકી દમયંતી ફરીથી વિચારવા લાગી કે–“જેની સાથે હું રસ્તે ચાલું છું તે પણ કુશળ રહી શક્યા નહીં. ખરેખર મારા દૈવનો ઉદય તો જુઓ.” આ પ્રમાણે તે પિતાના આત્માની નિંદા કરવા લાગી. પછી, ખેદ પામેલી હોવા છતાં પણ ઊઠીને, હિંમત રાખીને તેણી હળહળવે પર્વતના શિખર પર ચઢવા લાગી. નિરાશ બનેલ, પરાધીન, વ્યાકુળ, થાકી ગયેલી, ભયભીત અને ધજતી દમયંતી કોઈ પણ સ્થળે પિતાના હૃદયને શાંત્વન આપી શકે તેવી વ્યક્તિ મેળવી શકી નહીં. પછી નેત્રના રક્ત પ્રાંતભાગવાળી અને શેકથી વ્યાકુળ દમયંતી, નમેલી શાખાવાળા રક્ત અને શોકને નષ્ટ કરનારા અશોક વૃક્ષ પાસે પહોંચી. “હે અશોક ! તારું દર્શન, સ્પર્શન, વર્ણન અને સ્મરણ સજજન પુરુષોને ક્યા કયા પ્રકારના કુશળ નથી આપતું? એ પ્રમાણે અશોક વૃક્ષની સ્તુતિ કરીને પર્વતના માર્ગે આગળ ચાલતી દમયંતીના મનમાં સંતોષ પ્રગટ થયો, તેણીની પાછળ મંદ, શીતળ અને સુગંધી પવન વાવા લાગ્યો, પાંચ ઇદ્રિના વિષય પરત્વે ઉદાસીનતા પ્રગટ થઈ, સ્વસ્તિક નામના મેઘના મિત્રો તેના જેવામાં આવ્યા અને ઇચ્છિત ફલને સૂચવનાર તેણીનું ડાબું નેત્ર ફરક્યું ત્યારે આવા પ્રકારના શુભ શકુનેથી હર્ષિત બનેલી, મને આ બાબતમાં શું ફલ મળશે? એમ વિચારતી અને બાળહરણના જેવા નેત્રવાળી દમયંતીએ પર્વતના વિશાળ શિખર પર જાણે આલેખાયેલ હોય તેમ એક મુનિમંડળને જોયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy