SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી દમયંતી ચરિત્ર: સ્કંધ ૫ મો. સર્ગ પાંચમે. SR. SH * Bi -FFFFFFASHISHTgs - આ સર્ગ પાંચમે. "FFFFFપાપEERપાર" [દમયંતીનું અનેક પ્રકારે ભીલને સમજાવવું દમયંતીના શાપથી ભીલનું ભસ્મીભૂત બનવું મૈન રહેલી અને નિ:સાસો નાખતી તેને જોઈને, કામદેવના બાણથી પીડિત -~-~--*~ બનેલ ભીલ ફરીથી કહેવા લાગ્યો કે –“અરે! મોનનું આલંબન લઈને નિ:શ્વાસદ્ધારા સમય કેમ વીતાવી રહી છે? તારા મનમાં તારે કામજન્ય કીડાના દુઃખને વિચારવું નહીં. આ વનમાં મારી સાથે શંકારહિતપણે તું ભેગ ભેગવ હું તને હમેશને માટે કેદ કરી રાખીશ તેવા પ્રકારનો ભય પણ તારે તારા મનમાં રાખો નહીં. જ્યાં સુધી તારી મારા પ્રત્યે પ્રીતિ છે ત્યાં સુધી તે અહીં હમેશને માટે સુખી છે, તો તું જલદી મારું વચન સ્વીકાર.” સભામાં રહેલા દાનવીર પુરુષની માફક નેહાળ વચને બોલતાં તે ભીલને દમયંતીએ જણાવ્યું કે –“હે ભાગ્યશાલી ! તું સર્વ પ્રકારે વિનયશીલ છે. તને વધારે શું કહેવું ? સજજન કે દુર્જનના ઉત્પત્તિસ્થાન માટે ગ્રામ કે નગરની અપેક્ષા રહેતી નથી. એટલે કે નગરમાં દુર્જન હોય અને ગ્રામમાં સજજન હેય તેમ પણ બની શકે. આવા વનમાં તારું સામર્થ્ય રાજાઓને પણ જીતી લેવાને શક્તિશાલી હોય છે. પાણીમાં રહેલા હસ્તીઓને પણ શિશુમાર(એક જાતના મલ્ય) પકડી લે છે. અનાથ, બળહીન અને મૂઢ એવી મને તું જે ઇંધો નથી-આક્રમણ કરતા નથી તે ખરેખર તારી સજજનતા જ જણાવે છે. ભીલ આવે કેમ હોઈ શકે? અર્થાત્ તારા આવા ગુણોથી તું ભીલ હો તેમ જણાતું નથી. ખરેખર જગતમાં ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે; નહીંતર ભલેને વિષે મહાભાગ્યશાળી અને દયાળુ કયાંથી હોઈ શકે? ભયંકર આ મહાવનમાં તારા જેવી જે મહાત્મા વ્યક્તિ છે તે ખરેખર ભાગ્યેગને કારણે બારા સમુદ્રમાં મીઠા પાણી જેવું બન્યું છે. તારાવડે જીવિતદાન અપાયેલી હું તારી દેવાદાર મટી શકું તેમ નથી, કારણ કે જગતને વિષે પ્રાણથી પણ અધિક દેવાની શક્તિ કોની છે? અજગરથી ગળાયેલી મને તે યમરાજાના મુખમાંથી જ્યારથી ખેંચી કાઢી ત્યારથી જ મને જીવિતદાન આપ્યું છે. પછી પણ મને સુંદર આહાર આપીને તે પરોપકારરૂપી વૃક્ષને મંજરી પ્રગટાવી છે. અર્થાત્ તે રીતે પરોપકારથી પણ અધિક કર્યું છે. જે તારા હૃદયમાં દયા ન હતા તે આવી ચઢેલ, અપરિચિત, સંબંધ વિનાની અને કોઈપણ જાતનો ઉપકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy