SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભીલની તુચ્છ માગણી પ્રત્યે દમયંતીની વિચારણા. | [ ૧૩૩ ] મારા બહુ પ્રણામ કરવાથી શું ? પલ્લીમાં રહેનારા મારા જેવા ભીલને નાગરિક લોકના જેવો વિલાસ ભેગવવા દે. આ નિર્જન વનપ્રદેશ છે, કમળ એવી કમળની શય્યા છે, આ સમય વિલંબ કરવા જેવું નથી, તમારે શા માટે શરમ રાખવી જોઈએ ?” ભીલનું આવા પ્રકારનું વચન સાંભળીને દમયંતીએ ક્રોધ ન કર્યો, શરમાઈ પણ નહીં અને કેઈપણ પ્રકારનો જવાબ પણ તેને ન આપે. તેનું વચન સાંભળીને તે મનમાં આ પ્રમાણે વિચારવા લાગી કે–“અરે રે! વિશ્વને વિષે હું નલ રાજાની પત્ની, વીરસેન રાજાની પુત્રવધૂ, દમન રાજકુમારની બહેન અને ભીમ રાજાની પુત્રી હોવા છતાં, વધારે શું કહું ? આવા પ્રકારના કષ્ટોનું હું પાત્ર બની છું, ખરેખર જગતને વિષે કાળ તેમજ કર્મની કરતા જયવંતી વર્તે છે. આ યુવાન ભીલને જે હું મારા પિતા, ભાઈ અને પુત્રના નામથી ઓળખાવીશ તો પણ મારે વિષે આસક્ત બનેલી તેની ભેચ્છા શાંત થશે નહિ. ખરેખર કામરૂપી વાયુ દીપકની માફક વિવેકને નષ્ટ કરે છે, કામી પુરુષનું હૃદય નિર્લજજ હોય છે, અપમાનની તેને ગણના (પરવા) હેતી નથી, લાખો ગમે અભિલાષાઓ તે સેવે છે, તેમજ આ લેક કે પરલકનો લેશમાત્ર ભય તેને હોતો નથી. કામી પુરુષની પ્રકૃતિ જ આવા પ્રકારની હોય છે. તેને કોઈપણ પ્રકારની ઉપાધિ જ હેતી નથી. મારા જીવનની રક્ષા કરનાર આ ભીલ યુવકને મારે નેહયુક્ત મનહર વાણુ વડે કટુ વચન કઈ રીતે સંભળાવવા? તે સમયે અજગરના ઉદરરૂપી અગ્નિમાં હું કેમ બળીને ભસ્મ ન થઈ ગઈ? શા માટે નિષ્ફર એવા મહાકોમાં હું આવી પડી ? કામી પુરુષ ધર્મોપદેશને ગણકારતું નથી. કોઈ પણ સ્થળે ભીલને પાપની શંકા થતી નથી, તેઓ પાપભીરુ હતા નથી, તો અત્યંત ઉપકારી એવા આ ભિલને બદલે વાળી શકાય તેવો કોઈપણ પ્રસંગ મારા માટે રહેતો નથી. દાક્ષિણ્યથી બંધાયેલ વ્યક્તિએ વિષયનું ભક્ષણ જ કરવું રહ્યું. હણવાની ઈચ્છાથી તેણે અજગરને હણી નાખે, વિલાસની ભાવનાથી જલદીથી મને બહાર ખેંચી કાઢી અને કામવિવલ તે અત્યારે મધુર વાણું પણ બોલી રહેલ છે. કેઈ પણ પ્રકારે ભીલ સદગુણી તો નથી જ. જે તે મારા પર બળાત્કાર કરશે, પોતાની હિતકારક વસ્તુ સમજશે નહીં તે ગરીબડો એવા આ ભીલ મૃત્યુના મુખમાં જઈ પડશે, ખરેખર મારા નિમિત્તે હમણાં આ ભીલ મૃત્યુની નજીક જઈ રહ્યો છે” એમ વિચારીને દમયંતીએ કોમળ ઊંડો નિસાસો નાખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy