SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કધ ૫ મો. સર્ગ ચે. શરણ હો!એમ ઉચ્ચ સ્વરે વારંવાર બોલવા લાગી. તેવામાં કેઈએક વનચરે (ભીલ) તેણીને મસ્યથી પકડાયેલ હંસલીની મૃદુવાણી જેવો વનિ સાંભળ્યો. “આ શું ?” એમ આશ્ચર્ય પામેલો તે ભીલ જેટલામાં ત્યાં આવ્યો તેટલામાં તેણે ફક્ત જેનું મુખ બાકી છે તેવી દમયંતીને અજગરથી ગળાયેલી જોઈ એટલે મર્મસ્થળને જાણનાર તેણે પોતાની કુહાડીથી તે અજગરના પૂછડાને જલદી કાપી નાંખ્યું; કારણ કે અજગરની જાતિ પિતાના પૂછડાના બળથી જ નાશી જવાને શક્તિમાન હોય છે. માંસના કોઠાર સરખા, પહોળા છિદ્રવાળા તે અજગરને તે યુવાન ભીલે ચીરવાની કાપવાની-શરૂઆત કરી. પલાળના અગ્નિ સમાન અંદરના ભાગમાં લાલ અને બહારના ભાગમાં શ્યામ તે અજગરને ચીરતા તે ભીલે દમયંતીને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી અર્થાત સમગ્ર સુરક્ષિત દેહે બહાર કાઢી. આ પ્રમાણે મહામહેનતે અક્ષત અંગવાળી દમયંતીને બહાર ખેંચી કાઢીને, તે ભીલ તેણીને પિતાના હાથને ટેકે આપીને પર્વતની નદી પાસે લઈ ગયે. અજગરની ચરબીથી લેપાયેલ અને તેના જઠરાગ્નિથી તપી ગયેલ તેણીના દેહને પાણીથી સાફ કર્યો. બાદ દમયંતીનું બરાબર ધ્યાન રાખીને તે ભીલ તેના ભજનને માટે, નજીકમાં જ ફરીને, જલદી પાછો આવ્યો. બાદ તે ભોલે દમયંતીની સમક્ષ ખાવા લાયક ખજૂર, પ્રિયાલ, કેળા, આંબલીના કાતરા, ફણસ, નારંગી, તેમજ બીજા ફલે, કુમુદના બીજ, તેની કેમળ ડાંડલીઓ તેમજ બીજાં પણ ખાવા લાયક ઘણા પદાર્થોથી ભરેલ સોપારીના ઝાડની છાલો અને વિશાળ વાંસડાની નાળી(નાળવું)માં રહેલ વિવિધ પ્રકારનાં મીષ્ટ પેય પદાર્થો મૂક્યાં એટલે તેણીએ તેનું તે ભેટવું સ્વીકાર્યું. ઘણું કરીને શકિતશાળી વ્યક્તિઓ પણ આગ્રહને વશ બને છે. તે ફલે પૈકી કેટલાક ખાવા લાયક સારા ફળનો આહાર કરીને, આચમન કર્યા બાદ દમયંતીની તે ભીલ ફરીથી સેવા કરવા લાગ્યો. કમળના પાંદડાથી તે ભીલ તેણીને પવન નાખવા લાગે, બંને ચરાની સેવા કરવા લાગ્યો તેમજ નજીકમાં રહેલા વૃક્ષો પર થતાં પક્ષીઓના ધ્વનિને પણ રે. નિમિત્તથી પ્રગટેલ તેની અત્યંત ભક્તિને જાણતી દમયંતીએ, તે ભીલે પૂર્વે કરેલા ઉપકારની દાક્ષિણ્યતાને કારણે તે ભીલના સ્નેહને (સેવાને) રો નહીં બાદ અત્યન્ત અભુત, શ્રેષ્ઠ અને સ્વપ્નમાં પણ દુર્લભ એવા દમયંતીરૂપી સ્ત્રીરત્નને જોતો ભિલ્લ તેણીના રૂપને ધારી-ધારીને જોવા લાગ્યા પછી ભયનો ત્યાગ કરીને, કામવિહ્વળ બનેલા તે ભીલે, પોતાની જાતિને ઉચિત વાણીવડે નમ્રતાપૂર્વક કહ્યું કે-“શત્રુઓથી પરાજય પામેલા કેઈએક રાજાની આવી સ્થિતિમાં આવી પડેલી તમે ધર્મપત્ની છે તેમ હું માનું છું. વિધ્ય દેવીએ આપણા બંનેનો આવા પ્રકારનો મેળાપ કરી દીધો હોય તેમ મને લાગે છે. એમ જે ન હોત તે રાજાની પત્ની એવા તમે કયાં અને મારા જેવો ભીલ ક્યાં? તમારા વિષે રસિકપણું અને મુગ્ધપણું રહેલું છે. હૃદયગત ભાવને તમે સારી રીતે જાણી શકે છે તે આથી વધારે કહેવાનું શું હોઈ શકે ? તો હવે તમે પ્રસન્ન થાઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy