SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીએ ભીલને સમજાવેલ પરદા રાગમનનું પાપ. [ ૧૭૫ ] નહીં કરનારી વ્યક્તિની આવા પ્રકારની શુશ્રુષા કેણ કરી શકે? અર્થાત્ તે અજ્ઞાન એવી મારી આવા પ્રકારની શુશ્રષા કરી તેથી જણાય છે કે–તારા હૃદયમાં દયા છે, મારી એક જીભથી હું તને પિતા, કાકા કે ભાઈ કયા પ્રકારે બેલાવું? હે મહામન! પરોપકારપરાચણ તારા ચરિત્રથી, આમિક કાર્ય કરવાના ફલસ્વરૂપ મહર્ષિનાં તપને પણ તે તૃણસમાન બનાવેલ છે. જે નિર્દય, કામાસક્ત પરસ્ત્રીમાં પ્રેમ કરનારા છે તે એઠું ભજન કરનારા કાગડા જેવા છે. તેથી હલકી વૃત્તિવાળા કેણ હોઈ શકે? જે પરસ્ત્રીગમન કરવામાં આવે તો સર્વ પ્રકારના પુથી શું લાભ છે? સમગ્ર પાપનું મૂળ પદારાગમન જ છે. પરસ્ત્રીગમન નિંદાનું સ્થાન છે, તિરસ્કારનું કારણ છે, મૃત્યુનું દ્વાર છે તેમજ લજજાને આવાસ છે, છતાં મૂઢ પુરુષોને માટે પ્રીતિનું કારણ બને છે. જે કામદેવથી હરણ કરાયેલા મનને પાછું વાળવાને શકિતમાન નથી તે એરોથી પિતાના ધનની રક્ષા કરવા કેવી રીતે સમર્થ બની શકે? પરસ્ત્રી જે માનવી પ્રત્યે રક્ત બને તો તે તેણીના ધણથી મૃત્યુ પ્રાપ્ત થાય છે અને જે વિરક્ત બને તો તે પોતે જ તેને હણી નાખે છે, માટે માણસોએ તો રક્ત હોય કે વિરક્ત હોય પણ પરસ્ત્રોને તે સદંતર ત્યાગ જ કરે. પોતાના પ્રત્યે અનુરાગી પરસ્ત્રીને ભેગવવાથી તે નરકરૂપી સાગરને પાર પામી શકતે નથી; અર્થાત્ નરકના અસહ્ય દુઃખ અનુભવે છે. સ્ત્રી, ઝેર, અગ્નિ, જળ અને શસ્ત્રએટલા પદાર્થોની સાથે ક્રીડા કરનારાઓની કુશળતા ક્યાંથી હોઈ શકે? દુર્ણ બુદ્ધિવાળા માટે તે તે વસ્તુઓ તાત્કાલિક મૃત્યુ પમાડનારી છે. શેષનાગની સ્ત્રી પ્રત્યે અનુરાગી બનેલા શખ નામના નાગને, તક્ષકે, સ્ત્રીવેષ ધારણ કરીને, વિશ્વાસ પમાડીને એકાંતમાં રહેલા તેને હણી નાખે. વળી પિતાનું આરાધન કરનાર, તેમજ ભેગવિલાસની ઇચ્છાથી વિëળ બનેલા શુદ્રગ નામના વીર પુરુષને, સરસ્વતીએ પોતે પ્રસન્ન થવા છતાં પણ, શાપ આપે હતે. નંદિવર્ધન નામના પર્વતને વિષે બાર પગથિયા બનાવનારા તેમજ કામાસક્ત એવા ઋષિયનો શ્રીમાતાએ નિગ્રહ કર્યો. પાર્વતીને નિમિતે શંકરની પાછળ દોડતા એવા દુર્ધર દત્યને કૃષ્ણ માયાપ્રપંચથી શીધ્ર હણી નાખે, તે કામી પુરુષોને માટે કામ( વિષયાભિલાષ) એ ભયંકર પરિણામ લાવનાર છે. વળી તે કામ બંને લેથી વિરુદ્ધ છે અને મહાત્મા પુરુષોને નિંદવા લાયક છે, તો ભોગવિલાસની ઈચ્છા રહિત મારા વિષે તું જીવિતદાન આપનાર બનીને, હે મહાત્મન્ ! તારે તારા ચિત્તને ક્રૂર બનાવવું જોઈએ નહીં. મારું મન તારા વિષે ભાઈની માફક સુપ્રસન્ન થયેલ છે, તો તે મન, બ્રહ્મચર્યના નાશથી તારા પ્રત્યે રોષવાળું ન બને. જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય વિદ્યમાન રહે ત્યાં સુધી મારા પ્રત્યે તારું ઉપકારજન્ય પુણ્ય અને મારી કૃતજ્ઞતા એ બને અખંડ રહે !” આ પ્રમાણે સતી દમયંતીના મુખમાંથી નીકળેલા સત્ય વચન સાંભળીને ભયભીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy