SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ નળને નહીં દેખવાથી દમયંતીને વિલાપ. “ખરેખર નલના અતિશય રૂપ-સૌંદર્યને કારણે કોઈ વિદ્યાધરકુમારી કે વ્યંતરી મારા સ્વામીને જલ્દીથી હરી ગઈ હોય તેમ જણાય છે. અથવા તે મહારાજા નલને કેઈપણ પ્રકારની આપત્તિ આવી પડી જણાય છે. જે એમ ન હોય તો મારા સ્વામી આટલા સમય સુધી મારા દુઃખને શા માટે સહન કરે ? સુખપૂર્વક સૂતેલી મારા પ્રમાદને વારંવાર ધિક્કાર હે ! કારણ કે કષ્ટપૂર્વક મેળવી શકાય તેવો સ્વામીરૂપી નિધિ મેં ગુમાવ્યું છે. નાથ રહિત અને શરણ વિનાની હું સર્વ પ્રકારે લૂંટાઈ રહી છું અર્થાત મારું સર્વસ્વ લુંટાઈ ગયું છે. આશા રહિત બનેલ હું આ ગાઢ વનમાં એકલી શી રીતે જીવી શકીશ? ડાભના અગ્રભાગ પર રહેલ પાણીના બિંદુની જેમ આશાનું અવલંબન લઈને જ પ્રાણુઓનું જીવન વ્યવસ્થિત રહે છે-ટકી રહે છે. આશા ન હોય તો જીવન મૃત્યુ સમાન બની જાય. સ્વામી સહિત મારા માટે આ વન ભવ્ય મહાલય જેવું બન્યું હતું તે જ વન અત્યારે મારા માટે દુઃખના સાગર સમું બન્યું છે. કોઈપણ પ્રકારે મેં, ક્રીડાના મંદિર સરખા અને વિશ્વનો વિજય કરનારા વીરસેન રાજાના પુત્ર નલને સ્વામી તરીકે પ્રાપ્ત કર્યા પરંતુ ફરીથી મને તેનો વિરહ થયે. તથા પ્રકારનું સામ્રાજ્ય પણ નષ્ટ થયું અને આજે હું આવી અવસ્થામાં આવી પડી. ખરેખર કર્મરાજાનું ચરિત્ર અચિનન્ય છે. વધારે શું કહેવું? ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલ આ ભયંકર જંગલમાં મારું એકલીનું જીવન કઈ રીતે ટકી શકશે? હું કેમ જીવી શકીશ? સંબંધી જનોથી અળગી થવાને કારણે ભાગ્યહીન, પુણ્ય વિનાનું, તીર્થસેવાદિ કાર્યો નહીં કરવાને કારણે નિષ્ફળ બનેલ મારું દુછ નસીબ કેમ ઉદયમાં આવ્યું ? હે નાથ ! તમે ક્યાં છે? હે સ્વામિન! તમે જવાબ આપો. ન સહન કરી શકાય તેવો તમારો વિયેગ મારાથી કઈ રીતે સહન થઈ શકશે ? આ પૃથ્વીપીઠ પર દરેક પ્રકારનાં કાર્યો (બનાવો) બને છે તેમાં મને શંકા નથી પરંતુ ક્રચક રાક્ષસને હણનાર એવા તમારો શત્રુ કોણ હશે? હે સ્વામી ! કહે, કહે. તમે કઈ સ્થળે કે જળમાં, શત્રુઓ, દેવો કે નાગૅદ્રોથી હરણ કરાયા છો કે હણાયા છો? અથવા તે વિશ્વને પ્રિય તમને દુઃખ હોય તેમ હું માનતી નથી પરંતુ મારા પાપને અંગે નિધાન સરખા તમે અદશ્ય થઈ ગયા છે. પ્રાણીઓનું રક્ષણ કરનાર જળ (પાણી) વિશ્વમાં ઈષ્ટ ગણાયું છે તેમ તમે જગતને પ્રિય છો. હે સ્વામી ! જે તમને મારા પ્રત્યે પ્રિયપણાની ભાવના ન હોય તે ભલે, પરંતુ હે રક્ષણકત! શરણ રહિત બનેલ મારા પર તમને શું દયા પણ નથી આવતી ? હે નૈષધ ! આવ, આવ અને મારા દુઃખને જલદી દૂર કર. હે નલ! તમારું મન પ્રસન્ન બનાવે, હે વીરસેન રાજવીના પુત્ર! મારા કષ્ટને દૂર કરો અને હે દેના દૂત! મને દર્શન આપો. મારું હૃદય ફૂટી જાય છે, પ્રાણે ચાલ્યા જાય છે, ચૈતન્ય અળગું થઈ રહ્યું છે અને સાક્ષાત્ મૃત્યુ આવી પહોંચ્યું છે. બીજું વધારે શું કહું ? તમને અરુચિકર મારું જે કંઈ પણ દુષ્કૃત છે તે માફ કરો અને આગામી ભવેને વિષે તમે જ મારા સ્વામી થજે. હે દેવ ! હે સ્વામી! હે ભુવનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy