SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૧૫૮ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કધ ૪ થે. સર્ગ બારમો. એ બીજાઓ પર પરોપકાર કરવારૂપી માર્ગ તમારી જેવા દુરાચારી વ્યક્તિઓથી નષ્ટ કરાય છે. તમને જન્મથી જ મસ્તકપ્રદેશમાં બે કાન નથી પ્રાપ્ત થયા તે ખરેખર ઉચિત જ છે કારણ કે એ કયે વિદ્વાન પુરુષ હોય કે જે આવા પ્રકારનું મર્મસ્થળ છેદનારું દુષ્ટ કર્મ કરે? વિશ્વના નીચા પ્રદેશમાં (પાતાલમાં ) તમારે માટે જે સ્થાન અપાયું છે તે યોગ્ય જ છે, છતાં આવા પ્રકારના કાર્યથી તેની કરતાં પણ નીચા પ્રદેશમાં (નરકમાં) જવાની તમારી ઈચ્છા હોય તેમ જણાય છે. જગતના પ્રાણીઓના પ્રાણ હરનાર, પાંગળા, બે જીભવાળા, કર્ણ વિનાના, શ્યામ, વક્ર ગતિવાળા એવા તમને કદ્રએ શા માટે જન્મ આપે? ખરેખર આ વિષયમાં મારો પોતાને જ દેશ છે, કારણ કે મૃત્યુની સન્મુખ બનેલા તને કૃતદનીને બહાર ખેંચી કાઢીને જ મેં આવા પ્રકારનું ફળ પ્રાપ્ત કર્યું છે. તારા પ્રત્યે સનેહ દર્શાવતા મારા તરફ તે જે પ્રિય આચરણ કર્યું છે તે યોગ્ય જ છે, કારણ કે સ્વયં સ્વીકારી લીધેલી ખાજવણી શું સુખ આપે ખરી ? ખરેખર, તે પરોપકાર કરવાપણાને ધિક્કાર હે! જે પોપકાર કરવાથી પિતાની જાત દુઃખી બને બ્રાહ્મણને લંગોટી દાનમાં આપીને પોતે જ નગ્ન બને-આના જેવી ઉપરની ક્રિયા થઈ ગણાય. હલકા પાત્રને દાન આપવાથી હમેશાં હજારગણું નીચપણું પ્રાપ્ત થાય છે, કારણ કે વામનને દાનમાં પૃથ્વી આપવાથી પાતાલમાં જવું પડયું. દુરાચારી પુરુષોને પૂજવાથી શું લાભ તેમજ કુદેવની આરાધનાથી શું ફળ? ખરેખર વિષ-વૃક્ષને સિચવાથી (ઉછેરવાથી) ભયંકર ફળ પ્રાપ્ત થાય છે. જે પિતાનું તેમજ પારકાનું હિત -કલ્યાણ કરવું પસંદ પડતું હોય તે ચોરને અભયદાન આપવું નહીં તેમ તેના પ્રત્યે દયા દર્શાવવી નહીં. પિતપોતાના કર્મ-ફળને ભગવનાર તેઓ પ્રત્યે ઉપેક્ષા (બેદરકારી ) કરવી તે જ હિતાવહ છે. હે સપ! વિશ્વાસઘાતી ! દાવાનળમાંથી મેં જાતે જ બરાબર ખેંચી કાઢેલ તેમજ મૃત્યુ સન્મુખ બનેલા તને હું હવે મારીશ નહીં. મેં તારા માટે જે કંઈ કર્યું અને તેં મારા પ્રત્યે જે કંઈ આચરણ કર્યું તે કર્મની ફળ-પ્રાપ્તિ આપણે બંનેને થશે. આથી વધારે તને શું કહેવું? અરે ! બધા દે, દાનવ, મનુષ્યો અને સર્પો ! તમે બધા મારા સાક્ષી રહેજે કે આ સર્વે મને ડંખ માર્યો છે. જે મેં કંઈ પણ દેશ કર્યો ન હોય તેમજ જે મેં બીજાનું કલ્યાણ કર્યું હોય તે મારા પ્રત્યે શીધ્ર મહેરબાની દર્શાવવાને તમે યેગ્ય છો અર્થાત તમે સર્વ શીવ્ર મારા પ્રત્યે પ્રસન્ન થાઓ!” આ પ્રમાણે શાપ આપતાં કૂબડા રૂપવાળા નલને હસતાં સર્ષે, સોમ્ય વચનથી ફરી કહ્યું કે-“હે રાજન્ ! તું શા માટે મારી બેટી નિંદા કરી રહ્યો છે ? કારણ કે “દશ” ( ડંખ દે) એમ તે મને કહ્યું ત્યારે જ મેં તને ડંખ દીધું છે. હે નલ! અત્યારે * ખાજવણ એક જાતની વૃક્ષ-ઔષધી છે. તે શરીરની કોઈ પણ જગ્યાને અડી જવાથી ખંજવાળ આવ્યા જ કરે અને અત્યંત કષ્ટ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy