SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સપ–સથી નલનું કુજ્જ બનવું. | [ ૧૫૭ ] છું. હે રાજન ! નરકમાંથી પૂર્વજ પુરુષના ઉદ્ધારની માફક યમરાજના મુખ જેવા ભયં. કર આ અગ્નિમાંથી મને શીધ્ર બહાર ખેંચી કાઢ.” એટલે સર્ષની પ્રાર્થનાને સ્વીકારતા બલી નલરાજાએ તે સપને નિકાસમાને પિતાના હાથને ટેકે આપે. મુશ્કેલીથી વશ કરી શકાય તેવા અને કપટ વાણી બોલતાં તે સપને ખેંચી કાઢતા તેમજ સના અતિશય ભારને અંગે જેને હાથ નમી પડ્યો છે તે નલ રાજા હળવે હળવે ચાલે. બાદ “મોટી કાયાવાળા તને વહન કરવાને હું સમર્થ નથી, તને હું કયે સ્થળે મૂકું ?” એમ પૂછતાં નલ રાજાને સપે કપટપૂર્વક કહ્યું કે-“હે રાજન ! અહીંથી નવ પગલાં ગણતે તું જા અને દશમે પગલે તારે મને તે સ્થળે મૂકી દે.” આ પ્રમાણે સપના સૂચનથી, એક, બે, ત્રણ નવ એમ પગલાં ગણતે નલ ચાલવા લાગ્યા. બાદ દશમે પગલે “ દશ” એમ બોલી જવામાં રાજા તેને છેડી દેવાને ઇચ્છે છે તેવામાં તે સપે તેને કાંડે ડંખ માર્યો. આ પ્રકારે તેને ડસીને, પિતાની ફણાને ગોળાકાર બનાવીને તે સર્ષ, તેની સન્મુખ અભિપ્રાયપૂર્વક જોતો બેઠો. તે સર્પના વિષરૂપી અગ્નિથી બળેલા નલ રાજાના સૂકાયેલા વૃક્ષ જેવા શરીરમાંથી અંધકાર સરખે ધૂમાડો પ્રગટી નીકળ્યો. જલદીથી સંસ્થાન (શરીરની આકૃતિ ), વર્ણ અને સ્વરની વિકૃતિ પામેલો (રૂપાંતર પામેલે) નલ, જેનો સૌભાગ્યસમૂહ નષ્ટ થયો છે તેવા કદરૂપા શરીરને ધારણ કરી રહ્યો અર્થાત કૂબડો બની ગયે. તેનું શરીર, ઝેરને લીધે જડ બનેલ મોટી મોટી નસે, હાડકાં અને ગાંઠોને કારણે જૂના લીંબડાના ઠુંઠા જેવું બની ગયું. વળી નલ, ઘેડાની જેમ ડેકથી વાં, સુવરની માફક દાઢથી કુર, બળદની જેવી પીઠ પર બાંધવાળે–એમ વિચિત્ર સ્વરૂપવાળ બની ગયે. તેની નાસિકા વક્ર (વાંકી) બની ગઈ, મસ્તક ત્રણ ખૂણાવાળું બન્યું અને બંને આંખો સિંચાણની માફક ઊંચી ચઢી ગઈ. પ્રિય પત્ની દમયંતીને ત્યાગ કરવાથી પ્રગટેલ પાતકને કારણે હાય તેમ નલ રાજા આંજણની કાલિમાને પણ શરમાવતો હોય તેમ કૃષ્ણ કાંતિથી પ્રકાશી ઊો અર્થાત તે અત્યંત શ્યામ બની ગયે. પિતાની આવી અવસ્થાને છે અને વ્યાકુળ બનેલ, મનમાં દુષ્ટ ફળવાળા પોતાના સી-ત્યાગનો વિચાર કરતો તેમજ રુષ્ટ બનેલ નલ, ભયંકર, નજરે પડતા તેમજ કઠોર દષ્ટિવાળા સપને આક્ષેપપૂર્વક કહેવા લાગ્યો કે-“અરે ! અરે ! ખેદની વાત છે. હે પાપીe! હજુ સુધી તું મારી સામે કેમ ઊભો છો ? હે નિલ જજ ! પિતાનું મુખ દેખાડતો તું શરમાતો નથી ? જેમ હિંગના પાણીથી આંબાનું વન નાશ પામે તેમ ડંખ દઈને તે મારા સુંદર દેહને નષ્ટ કર્યો તે ખરેખર ધિક્કારને પાત્ર છે ! આ કુબડાના જીવન કરતાં તે મૃત્યુ મારા માટે વખાણવા લાયક છે. હે દુષ્ટ ! તે શા માટે હંમેશ માટેની આવી યાતના કરી ? ઉપકારી, અત્યંત વિધાસુ, તારા કથન પ્રમાણે વર્તનાર અને શત્રુભાવ વિનાના એવા મને ડંખ દઈને તે શું પ્રાપ્ત કર્યું ? દીન લેકેની દુર્દશાને નષ્ટ કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy