SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ - -- -- - -- [ ૧૫૦ ] શ્રી દમયંતી ચરિત્ર કંધ જ છે. સર્ગ દસમો. કટારી ન શોભે તેમ દમયંતી મારી સાથે શેભી શકશે નહીં. અર્થાત તેને મારી સાથે રાખવી કોઈપણ પ્રકારે ઉચિત નથી, તો હવે કઈ પણ પ્રકારના પ્રપંચથી તેને છેતરીને તેને ત્યાગ કરું જેથી મારાથી અળગી થયેલી દમયંતી કોઈ પણ સ્વજનને ગૃહે આશ્રય મેળવશે. કદાચ મારી આ દુર્દશા દૂર થાય અને સ્વજનને આશ્રય મેળવીને દમયંતી જીવતી રહે. સેંકડો રાજાઓથી વ્યાપ્ત આવાસવાળું મારું સામ્રાજય કયાં અને મૃગના મિથુન જેવું અમારું આ પરિભ્રમણ ક્યાં? સામર્થ્યને લીધે કાર્યકાર્યને વિચાર રહિત, વછંદી ભાગ્ય-ચેષ્ટાને નમસ્કાર હ ! વધારે શું કહેવું-વિચારવું ?” આ પ્રમાણે પોતાના ચિત્તમાં કર્મલીલાનો વિચાર કરતો, સંતાપ પામેલે, રાજલક્ષમીથી ભ્રષ્ટ બનેલ અને શિથિલ ગાત્રવાળે નલ, રાત્રિ-સમયે ધર્મવતી દમયંતીએ બનાવેલ કુવલયના પાંદડાની પથારીમાં સૂતો. પૃથ્વી પીઠ પર કરેલ પથારીમાં, હાથનું ઓશીકું બનાવીને સૂતેલા નલ રાજાના બંને ચરણેને વારંવાર જેતી, અને તે ચરણને પિતાના ખોળામાં લેતી દમયંતી, સતત ઝરતા અશ્રુબિંદુએથી વારંવાર ભીના બનતા પિતાના બંને હસ્તથી ચાંપવા લાગી–સેવાસુશ્રુષા કરવા લાગી. જુગારના વ્યસનથી જેનું સમસ્ત હરણ કરાઈ જવાથી, ભીલ લોકેની સાથે થયેલ સંગ્રામથી, ક્રોધ યુક્ત બનેલ નલરાજાનું ગંગા નદીના ઉજજવળ જળ યુકત સરોવર ઘર છે, માત્ર દમયંતી જ સેવકજન છે અને ભૂમિપીઠ શગ્યા છે–ખરેખર આવા પ્રકારના કષ્ટને ધિક્કાર હો ! બંધુભાવને, અધિક પરિવારને, મંત્રીમંડળને, લક્ષમીને, અધિક બિલને, કુલને, સહાયકોને વારંવાર ધિક્કાર છે કે જેથી એક, ઇદ્વિયશૂન્ય, જંગલમાં ભૂમિ પર સૂનાર, પવિત્ર કીર્તિવાળો નલરાજા આવી અધમ દશાને પ્રાપ્ત થયે. પૂર્વ સહચરી કેશિની એ જે જે હકીકત મને જણાવી હતી તે સર્વ અપશુકનને લીધે મને સંપૂર્ણ પ્રાપ્ત થઈ છે. કપટકુશળ કરોડો વ્યંતરોથી ગ્રસ્ત બનેલ નલરાજાનું હું કોઈપણ પ્રકારે મારા બુદ્ધિચાતુર્યથી રક્ષણ કરી શકું તેમ નથી. ભાગ્યના બે શન્ય બનેલ નલરાજા, પ્રમાદી બનેલ મને છેડી દઈને, ઈચછાપૂર્વક ગમે ત્યાં ચાલ્યા જાય તે તે વખતે તેમને કણ અટકાવે ? મારું જમણું નેત્ર વારંવાર ફરકી રહ્યું છે તે સૂચવે છે કે-મને મારા પતિને વિરહ થશે. ખરેખર ખેદની વાત છે કે અત્યારે હું સર્વથા પ્રકારે હણાઈ છું. ” આ પ્રમાણે ચિંતાતુર બનેલી અને ભયને કારણે અત્યંત વ્યાકુળ થયેલી તેમજ “હે રાજા ! હે રાજા !” એમ અચાનક બોલતી દમયંતીને શંકાશીલ બનેલ, આંસુ સારતા અને અશ્રુને લૂછતા નલે એકદમ ગાઢ આલિંગન આપીને શાન્ત કરી. “હે ભી! તું કેમ ગભરાઈ ગઈ છે? કંપારીને ત્યજી દે. હે દેવી! તારા નજીકપણાને તજીને હું કયાંય ગયે નથી. હે મૃગાક્ષી ! તારી સમક્ષ રહેલા મને તું શું જોતી નથી ? મારા તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy