SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતીના ત્યાગ માટે નલની વિચારણું. [ ૧૪૯] અંધકાર છવાઈ ગયે. નેત્રનો વિષય બંધ થવાથી લેક ચાર ઇદ્રિયવાળા બન્યા અને પદાર્થો શબ્દ, ગંધ, રસ અને સ્પર્શથી પિતાનું સ્વરૂપ જણાવા લાગ્યા. અંધકારથી વ્યાપ્ત અને નિર્જન વનમાં નલને આવા પ્રકારની સ્થિતિવાળે જાણીને, શંકારહિત બનેલા કલિએ નલને છેતરવા માટે સ્વેચ્છાપૂર્વક શરૂઆત કરી. હવે મારે કયાં જવું અને દિવસો કઈ રીતે વીતાવવા? ખરેખર ધનહીન માણસોને કેઈપણ સાધન કે સાધ્ય હેતું નથી. ધન રહિત માણસને દુર્જન પુરુષે હસે છે, દુમિને સ્વેચ્છાપૂર્વક પડે છે અને સહાયકે તેનો ત્યાગ કરે છે. નિર્ધનને કેઈપણ સહાય કરતું નથી. અસહાય પુરુષની જ લઘુતા થાય છે. તુચ્છ બનેલા પ્રાણીને તિરસ્કાર કરવામાં આવે છે, તો તિરસ્કાર પામીને જીવવાનો શો અર્થ છે? હવે શત્રુઓ મને નિરંતર પજવશે, કારણ કે શત્રુ અને સ૫-એ બંનેનું છિદ્ર જોવાનું જ એક માત્ર કર્તવ્ય હોય છે. કાગડાની જેવી દુષ્ટ વૃત્તિવાળા દુરાચારી પ્રાણીઓની સાથે હું એક, બળવાન હોવા છતાં, સાથે પત્ની હોવાને કારણે લડવાને સમર્થ થઈ શકીશ નહીં જે મારે દમયંતીનું રક્ષણ કરવાનું ન હતું તે તે ભીલ લોકે મારા રથને શી રીતે લઈ જઈ શકત ? કદાચ શત્રુઓનું આક્રમણ ન થાય તે પણ દમયંતીને માર્ગમાં સાથે રાખવી મુશ્કેલ છે કારણ કે અત્યંત સુકુમાર તેણીનું દુઃખ જેવાને હું શકિતમાન નથી. જળ, ભેજન, શવ્યા, વાહન, સહાયક તેમજ સૈન્ય નથી તે રસ્તે કેવી રીતે કાપી શકાય-ઓળંગી શકાય ? પોતે થાકી જવા છતાં પણ દમયંતી મારી સેવાનો ત્યાગ કરી શકતી નથી, તેથી અત્યારે હું તેના દુઃખનું કારણ છું. હું રજા આપીશ તો પણ તે પોતાના પિતાને ઘરે જશે નહીં અને હું કોઈપણ પ્રકારે શ્વસુરગૃહે જવા ઈચ્છતા નથી, પૂર્વે સ્વયંવર મહોત્સવ પ્રસંગે જે આડંબરથી હું ગયો હતો તે, આવી દુ:ખી અવસ્થામાં આવી પડેલો હું, કુડિનપુરના નાગરિક લોકોને મારું મુખ કઈ રીતે બતાવી શકું? સાસરાના ગૃહે રહેનારા, ગરીબડા અને બેનસીબ માણસનું મહત્વ તેના પિતાના નામની સાથોસાથ ચાલ્યું જાય છે અર્થાત તેની કશી કિંમત રહેતી નથી. સ્વનામથી ખ્યાતિ પામનાર ઉત્તમ છે, “આ અમુકનો પુત્ર છે ” એમ પ્રસિદ્ધિ પામનાર મધ્યમ છે, ભાણેજ તરીકે ઓળખાનાર અધમ છે જ્યારે જમાઈ તરીકે ઓળખાનાર અધમાધમ છે જે દમયંતી તેના પિયર કે સાસરે સ્વસ્થ થઈને રહે તે મને લેશ માત્ર ચિંતા ન થાય. પછી તે હું એકલે ગમે તે સ્થળે, ગમે તેની પાસે, જેમ તેમ કરીને મારે સમય પસાર કરીશ. હું એક બનવાથી શત્રુઓનો મને ભય રહેશે નહીં, યાચકજનો મને ઉદ્વેગ પમાડશે નહીં, અને પારકી સેવા કરવાથી મને લજજા પણ થશે નહીં. ચંદ્રિકા સરખી આ દમયંતીથી ચંદ્ર સરખે હું વિખૂટો પડવાથી “આ નલ જ આવે છે” એમ સોગનપૂર્વક કંઈપણ વ્યક્તિ ખાત્રી કરી શકશે નહીં, અર્થાત્ દમયંતી વિના મને કઈ નલ તરીકે જાણી શકશે નહીં. મૂર્ખ માણસના હાથમાં પુસ્તક, દરિદ્રીના હાથમાં નિધિ અને નપુંસકના હાથમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy