SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ © પક્ષીઓએ નલના ઉત્તરાંચ વસ્ત્રનું કરેલ અપહરણું અને સૂચન. [ ૧૪૭]. ડિને, ઊડી જઈને, જ્યાં કોઈપણ જાતનો ઉપાય ન કરી શકાય તેટલે દૂર આકાશમાં તે પક્ષીઓ ચાલ્યા ગયા. ચાર સરખા આવેલા તે દુષ્ટ પક્ષીઓને વસ્ત્રનું હરણ કરીને ચાલયા જતાં જોઈને, વિલખાં બનેલા નલે વિધિની ચેષ્ટાને વિચાર કર્યો–પોતાના દુર્દેવની વિચારણા કરી. ખરેખર હાલમાં મારું ભાગ્ય પ્રતિકૂળ બન્યું જણાય છે, જેથી પક્ષીઓ પણ મારે પરાભવ કરે છે. એક સમય એવો હતો કે પક્ષીઓ મારું દૂતપણું કરતા હતા ત્યારે આજે ખરેખર ખેદની વાત છે કે-તે જ પક્ષીઓ મારા શત્રુ બન્યા છે. આ પ્રમાણે ચિંતાતુર તે નલને જોતાં પક્ષીઓ મનુષ્યવાણીથી ક્રોધપૂર્વક ઉચ્ચ સ્વરે તેના પ્રત્યે બેલ્યા કે “હે દુબુદ્ધિ રાજન ! જેણે તારું રાજ્ય હરી લીધું, તને વનવાસ અપાવ્યો તે ઘુતક્રીડા કરાવનાર પાસાઓ અમે જ છીએ એમ તું સમજ. અમે અમારી જાતને સુવર્ણ મય જ બનાવીએ છીએ અને અમારા દ્વારા જેઓ ધન મેળવવા ચાહે છે તેની તારા જેવી દશા થાય છે. જો કે અમે તારા હસ્ત, પગ વિગેરે કેઈપણ અવયવને છેદ્યા નથી, પરંતુ ઉત્તરીય વસ્ત્રવાળા તને અમે કેમ સહન કરી શકીએ ? એટલે અમે તારું ઉત્તરાસન હરી લીધું છે. વિશ્વાસઘાતી એવા અમને જે માણસ સેવે છે તેને બાહ્ય તેમજ આંતરિક આછાદન કેમ હોઈ શકે? અર્થાત્ તે માણસ બહારથી વસ્ત્ર રહિત અને આંતરિક ગુણથી લજજા, તેમજ બુદ્ધિ રહિત બને છે. કદાચિત રેતીમાંથી તેલ નીકળે અને જળમાંથી અગ્નિ પણ પ્રકટે, પરંતુ હે રાજન્ ! તું જાણી લે કે-ધૂતથી કદી ધનપ્રાપ્તિ થતી નથી.” આ પ્રમાણે તે પક્ષીઓના વચનને સાંભળતા અને જવાબ નહીં આપતાં નલે, “આ પક્ષીરૂપી અક્ષે (પાસા ) મારા દુશ્મન છે” તેમ સમજીને હદયમાં ઈષ્યભાવને ધારણ કર્યો. અર્ધવ અને ઉત્તરાસન તરીકે લપેટેલે, રસ્તાના થાકથી વ્યાકુળ, તીવ્ર તરસવાળે, શીઘ જેના કંઠ, ણ અને તાલુ સુકાઈ ગયા છે તે, પહેલા મુખવાળો, પિતાના દુઃખની માફક બીજાના દુઃખને અસદા જાણતો નવ દમયંતીને કહેવા લાગ્યા કે-“હે કોમળાંગી ! રત કમળની કળી કરતાં પણ અતિ સુકુમાર, સોંદર્યને અંગે આમ્રવૃક્ષના અંકુરને પણ જીતી લેનાર, દાભથી ચીરાયેલા અને લોહીને વહાવતા તારા બંને ચરણે માર્ગમાં ચાલવાને કઈ રીતે સમર્થ બનશે? આ સમયે કંટકથી વ્યાસ અને સૂર્યના તાપથી તપેલા આ રસ્તાઓ પર હમણાં એક પગલું પણ મૂકવું તે વિશેષ પ્રકારે અશકય છે. હવે આપણે આ અટવી ઓળંગી જવા આવ્યા છીએ, દિવસ પણ થોડો બાકી રહ્યો છે. હે પ્રિયા ! આગળ જળના નૂતન પ્રદેશ જેવાઈ રહ્યા છે, એકધારા મીષ્ટ ધ્વનિને કરતાં સારસ પક્ષીઓથી સૂચવાઈ રહેલ અને ગાઢ છાયાવાળું સરોવર આપણું માર્ગને શોભાવી રહેલ છે, અર્થાત્ હમણાં જ આપણે કેઈએક સરોવરને કિનારે પહોંચી જઈશું.” દમયંતીએ જવાબમાં જણાવ્યું કે-“હે સ્વામી! પતિના સંગમથી સુખપૂર્વક રહેલાં મને શું દુઃખ હોઈ શકે ? હે રાજાધિરાજ ! તમારી આવા પ્રકારની સ્થિતિ જ ફક્ત મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy